ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસ સક્રીય થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:53:09

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પણ સક્રીય થઈ છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કોંગ્રેસે વિસ્તૃત કારોબારી બેઠક યોજી હતી જેમાં આગામી ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા તૈયાર કરવામાં આવી છે જેને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી પણ વહેંચી દેવામાં આવી છે. 8 વચનોની પત્રિકા કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બર સુધીમાં પત્રિકા ને જનતા સુધી પહોંચાડવામાં આવશે.

ચૂંટણી લક્ષી રણનીતિ કરાઈ તૈયાર

વિધાનસભા ચૂંટણી આવતા કોંગ્રેસમાં હલચલ શરૂ થઈ ગઈ છે. પોતાના વચનો લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા છપાવી છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સેવા સહિત 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પત્રિકા બૂઠ દીઠ 3000 ઘરોમાં આપવામાં આવશે. 5000થી વધુ બુથો પર કોંગ્રેસ દ્વારા આ પત્રિકા આપવામાં આવશે. 24,25 અને 26 સપ્ટેમ્બર સુધીમાં આ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.


કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા બેઠકમાં હાજર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, કાર્યકારી પ્રમુખો, જિલ્લા પ્રમુખ સહિત કાર્યકારો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે