ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસ સક્રીય થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:53:09

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પણ સક્રીય થઈ છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કોંગ્રેસે વિસ્તૃત કારોબારી બેઠક યોજી હતી જેમાં આગામી ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા તૈયાર કરવામાં આવી છે જેને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી પણ વહેંચી દેવામાં આવી છે. 8 વચનોની પત્રિકા કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બર સુધીમાં પત્રિકા ને જનતા સુધી પહોંચાડવામાં આવશે.

ચૂંટણી લક્ષી રણનીતિ કરાઈ તૈયાર

વિધાનસભા ચૂંટણી આવતા કોંગ્રેસમાં હલચલ શરૂ થઈ ગઈ છે. પોતાના વચનો લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા છપાવી છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સેવા સહિત 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પત્રિકા બૂઠ દીઠ 3000 ઘરોમાં આપવામાં આવશે. 5000થી વધુ બુથો પર કોંગ્રેસ દ્વારા આ પત્રિકા આપવામાં આવશે. 24,25 અને 26 સપ્ટેમ્બર સુધીમાં આ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.


કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા બેઠકમાં હાજર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, કાર્યકારી પ્રમુખો, જિલ્લા પ્રમુખ સહિત કાર્યકારો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .