ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસ સક્રીય થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:53:09

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પણ સક્રીય થઈ છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કોંગ્રેસે વિસ્તૃત કારોબારી બેઠક યોજી હતી જેમાં આગામી ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા તૈયાર કરવામાં આવી છે જેને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી પણ વહેંચી દેવામાં આવી છે. 8 વચનોની પત્રિકા કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બર સુધીમાં પત્રિકા ને જનતા સુધી પહોંચાડવામાં આવશે.

ચૂંટણી લક્ષી રણનીતિ કરાઈ તૈયાર

વિધાનસભા ચૂંટણી આવતા કોંગ્રેસમાં હલચલ શરૂ થઈ ગઈ છે. પોતાના વચનો લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા છપાવી છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સેવા સહિત 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પત્રિકા બૂઠ દીઠ 3000 ઘરોમાં આપવામાં આવશે. 5000થી વધુ બુથો પર કોંગ્રેસ દ્વારા આ પત્રિકા આપવામાં આવશે. 24,25 અને 26 સપ્ટેમ્બર સુધીમાં આ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.


કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા બેઠકમાં હાજર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, કાર્યકારી પ્રમુખો, જિલ્લા પ્રમુખ સહિત કાર્યકારો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.   



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .