વફાદાર ધારાસભ્યોને કોંગ્રેસ આપશે ટિકિટ, પણ 63 સિવાયના ઉમેદવાર કેવી રીતે પસંદ કરાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 13:30:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. તમામ રાજકિય પક્ષો ચુંટણીની તૈયારીઓમાં લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટી યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે ખુબ જ સાવધાની રાખી રહી છે. કોંગ્રેસની ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોએ 12મી સપ્ટેમ્બર સુધીમાં પોતાનો બાયોડેટા આપવાનો છે અને 15મી સુધીમાં આ બાયોડેટાને પ્રદેશ કાર્યાલય સામે મૂકાશે.


કોંગ્રેસને પસંદગી પ્રક્રિયા માટે મળ્યા 130 સૂચનો

 

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમને 130 સૂચનો મળ્યા છે. ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ટોળા સાથે દાવેદારી કરનારા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય. કોંગ્રેસ કમિટીની બેઠક બાદ આ અંગે સર્વસંમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે.


સ્ક્રિનિંગ કમિટી કરશે ઉમેદવારોની પસંદગી


જગદીશ ઠાકોરે કહ્યું કે પાર્ટીની ટિકિટ મેળવવા માંગતા 12 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારોએ પોતાનો બાયોડેટા 15 તારીખ સુધી જિલ્લા કોંગ્રેસ કમિટીને પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાનો રહેશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બરે ફરી એકવાર સ્ક્રિનિંગ કમિટીની બેઠકનું આયોજન થશે. કોંગ્રેસની દરેક પેનલ સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે.


વફાદાર ધારાસભ્યોની ટિકિટ પાક્કી


ભાજપની લાલચમાં આવ્યા વગર કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહેલા કર્મઠ ધારાસભ્યોને ચોક્કસ ટિકિટ આપવામાં આવશે. આ વફાદાર ધારાસભ્યોની ટિકિટ કાપવામાં નહીં આવે. આ અંગે કોંગ્રસના અગ્રણી નેતા સુખરામ રાઠવા પણ અગાઉ નિવેદન આપી ચુક્યાં છે. હાલના ધારાસભ્યોને હટાવવા અંગેની કોઇ જ વિચારણા નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.