વફાદાર ધારાસભ્યોને કોંગ્રેસ આપશે ટિકિટ, પણ 63 સિવાયના ઉમેદવાર કેવી રીતે પસંદ કરાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 13:30:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. તમામ રાજકિય પક્ષો ચુંટણીની તૈયારીઓમાં લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટી યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે ખુબ જ સાવધાની રાખી રહી છે. કોંગ્રેસની ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોએ 12મી સપ્ટેમ્બર સુધીમાં પોતાનો બાયોડેટા આપવાનો છે અને 15મી સુધીમાં આ બાયોડેટાને પ્રદેશ કાર્યાલય સામે મૂકાશે.


કોંગ્રેસને પસંદગી પ્રક્રિયા માટે મળ્યા 130 સૂચનો

 

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમને 130 સૂચનો મળ્યા છે. ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ટોળા સાથે દાવેદારી કરનારા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય. કોંગ્રેસ કમિટીની બેઠક બાદ આ અંગે સર્વસંમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે.


સ્ક્રિનિંગ કમિટી કરશે ઉમેદવારોની પસંદગી


જગદીશ ઠાકોરે કહ્યું કે પાર્ટીની ટિકિટ મેળવવા માંગતા 12 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારોએ પોતાનો બાયોડેટા 15 તારીખ સુધી જિલ્લા કોંગ્રેસ કમિટીને પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાનો રહેશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બરે ફરી એકવાર સ્ક્રિનિંગ કમિટીની બેઠકનું આયોજન થશે. કોંગ્રેસની દરેક પેનલ સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે.


વફાદાર ધારાસભ્યોની ટિકિટ પાક્કી


ભાજપની લાલચમાં આવ્યા વગર કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહેલા કર્મઠ ધારાસભ્યોને ચોક્કસ ટિકિટ આપવામાં આવશે. આ વફાદાર ધારાસભ્યોની ટિકિટ કાપવામાં નહીં આવે. આ અંગે કોંગ્રસના અગ્રણી નેતા સુખરામ રાઠવા પણ અગાઉ નિવેદન આપી ચુક્યાં છે. હાલના ધારાસભ્યોને હટાવવા અંગેની કોઇ જ વિચારણા નથી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.