Gujarat Congressના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નિવેદનથી ગરમાઈ રાજનીતિ! પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-05-02 12:47:26

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતો હોય છે... ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે...  નિવેદન આપતા તેમણે કહ્યું કે  ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે...

જગદીશ ઠાકોરે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

લોકસભા ચૂંટણીના દિવસો નજીકમાં છે.. દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે... ચૂંટણી નજીક આવતા અનેક જગ્યાઓ પર સભાઓ ગજવવામાં આવી રહી છે... આ સભાઓમાં અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેની ચર્ચાઓ થાય છે... પોલીસ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા છે. ત્યારે ફરી એક વખત પોલીસ અને ભાજપને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આડેહાથ લીધી હતી. નસવાડીના કડુલી મહુડી ખાતે યોજાલેલી કોંગ્રેસની સભામાં તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું... જગદીશ ઠાકોર દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે રાજનીતિ ગરમાઈ છે..


શું કહ્યું જગદીશ ઠાકોરે? 

પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે  ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે... જેને દારૂબંધી બંધ કરવી છે તે પેટીઓની પેટીઓ ઉતારશે... એ રૂપિયા આપશે અને પાછા તમને બે-ચાર દહાડા નશામાં રાખી નાના-મોટી લાલચ આપી તમને મત આપવા જતા રોકશે. એ કાવતરાથી તમે ચેતો હું તમને ચેતવવા આવ્યો છું. તે સિવાય તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા...!    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે