Gujarat Congressના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નિવેદનથી ગરમાઈ રાજનીતિ! પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 12:47:26

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતો હોય છે... ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે...  નિવેદન આપતા તેમણે કહ્યું કે  ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે...

જગદીશ ઠાકોરે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

લોકસભા ચૂંટણીના દિવસો નજીકમાં છે.. દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે... ચૂંટણી નજીક આવતા અનેક જગ્યાઓ પર સભાઓ ગજવવામાં આવી રહી છે... આ સભાઓમાં અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેની ચર્ચાઓ થાય છે... પોલીસ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા છે. ત્યારે ફરી એક વખત પોલીસ અને ભાજપને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આડેહાથ લીધી હતી. નસવાડીના કડુલી મહુડી ખાતે યોજાલેલી કોંગ્રેસની સભામાં તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું... જગદીશ ઠાકોર દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે રાજનીતિ ગરમાઈ છે..


શું કહ્યું જગદીશ ઠાકોરે? 

પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે  ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે... જેને દારૂબંધી બંધ કરવી છે તે પેટીઓની પેટીઓ ઉતારશે... એ રૂપિયા આપશે અને પાછા તમને બે-ચાર દહાડા નશામાં રાખી નાના-મોટી લાલચ આપી તમને મત આપવા જતા રોકશે. એ કાવતરાથી તમે ચેતો હું તમને ચેતવવા આવ્યો છું. તે સિવાય તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા...!    



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..