રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિકને મળી મોટી જવાબદારી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કરાઈ નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-08-17 19:54:06

ગુજરાત કોંગ્રેસમાં મહત્વના ફેરફારો થઈ રહ્યા છે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલની વરણી બાદ હવે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે વાસનિકની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસમાં આ થઈ રહેલા આ પરિવર્તનો લોકસભાની ચૂંટણીને લઈને કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રઘુ શર્માના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીનું પદ ખાલી હતું. મૂળ મહારાષ્ટ્રના મુકુલ વાસનીકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે.


શક્તિસિંહ ગોહિલે નિમણૂકને આવકારી  


પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની વરણીને શક્તિસિંહ ગોહિલે પણ આવકારી છે.  પ્રભારીની નિમણૂંક સાથે હવે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ મોટા ફેરફાર થશે તેવું નક્કી મનાઈ રહ્યું છે. કેન્દ્રમાં મોટું નામ ધરાવનાર મુકુલ વાસનીક ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યારે 2014 અને 2019માં તમામ 26 બેઠકો હારેલી કોંગ્રેસ માટે મુકુલ વાસનિક વાસનિક કેવો ચમત્કાર કરે છે તેના પર સૌની નજર રહેશે.  


માત્ર 25 વર્ષની ઉંમરે બન્યા હતા સાંસદ


મુકુલ વાસનિકે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને NSUI સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .