કોંગ્રેસ હાઈકમાન્ડનો મહત્વનો નિર્ણય, ગુજરાતના આ ટોચના પાંચ નેતા ચૂંટણી નહીં લડે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:49:28

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટી તેની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં વ્યસ્ત બની છે. રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ યુવા નેતૃત્વને પુરતું પ્રોત્સાહન મળે પુરતી તક મળે અને તે આગળ આવે તે માટે ખાસ પ્રયાસો હાથ ધર્યા છે. પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડના ટોચના પાંચ નેતાઓએ આગામી વિધાન સભાની ચૂંટણી નહીં લડે. જો કે રસપ્રદ બાબત તે પણ છે કે 2017માં પણ કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ વિધાનસભાની ચૂંટણી હારી ગયું હતું. આ નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમાવેશ થાય છે.


કયા 5 નેતા ચૂંટણી નહીં લડે


કોંગ્રેસ હાઇકમાન્ડએ યુવા નેતૃત્વને તક મળે તે માટે ખાસ ચૂંટણી રણનિતી બનાવી છે. જે અંતર્ગત ઉચ્ચ પદસ્થ નેતાઓને સાઇડટ્રેક કરીને નવા નેતાઓને તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી નહીં લડે. કેટલાકના મતે આ યાદીમાં અન્ય નેતાઓનો પણ સમાવેશ થઈ શકે છે.


કોંગ્રેસનાં ઉચ્ચ નેતૃત્વ પર હતું દબાણ


ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર યુવા નેતૃત્વ સાથે અન્યાયના આરોપો થયા રહ્યા છે. યુવાનોને આગળ નહીં કરવા તથા પાર્ટી સંગઠનમાં તેમને કોઈ જવાબદારી નહીં આપવાના કારણે આ ટોચના નેતાઓ પર પહેલાથી દબાણ હતું. રાજ્ય કોંગ્રેસમાં યુવા નેતૃત્વ વિકસે અને અને તેમની પ્રતિભા ખીલે તે માટે પુરતી તક જ મળતી ન હતી. આ જ કારણે યુવાઓ કોંગ્રેસથી દુર થઈ રહ્યા છે. હાર્દિક પટેલ અને વિશ્વનાથસિંહ વાઘેલા સહિત અનેક યુવા નેતાઓ પાર્ટીમાંથી રાજીનામા આપી ચુક્યા છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .