કોંગ્રેસ હાઈકમાન્ડનો મહત્વનો નિર્ણય, ગુજરાતના આ ટોચના પાંચ નેતા ચૂંટણી નહીં લડે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:49:28

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટી તેની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં વ્યસ્ત બની છે. રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ યુવા નેતૃત્વને પુરતું પ્રોત્સાહન મળે પુરતી તક મળે અને તે આગળ આવે તે માટે ખાસ પ્રયાસો હાથ ધર્યા છે. પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડના ટોચના પાંચ નેતાઓએ આગામી વિધાન સભાની ચૂંટણી નહીં લડે. જો કે રસપ્રદ બાબત તે પણ છે કે 2017માં પણ કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ વિધાનસભાની ચૂંટણી હારી ગયું હતું. આ નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમાવેશ થાય છે.


કયા 5 નેતા ચૂંટણી નહીં લડે


કોંગ્રેસ હાઇકમાન્ડએ યુવા નેતૃત્વને તક મળે તે માટે ખાસ ચૂંટણી રણનિતી બનાવી છે. જે અંતર્ગત ઉચ્ચ પદસ્થ નેતાઓને સાઇડટ્રેક કરીને નવા નેતાઓને તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી નહીં લડે. કેટલાકના મતે આ યાદીમાં અન્ય નેતાઓનો પણ સમાવેશ થઈ શકે છે.


કોંગ્રેસનાં ઉચ્ચ નેતૃત્વ પર હતું દબાણ


ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર યુવા નેતૃત્વ સાથે અન્યાયના આરોપો થયા રહ્યા છે. યુવાનોને આગળ નહીં કરવા તથા પાર્ટી સંગઠનમાં તેમને કોઈ જવાબદારી નહીં આપવાના કારણે આ ટોચના નેતાઓ પર પહેલાથી દબાણ હતું. રાજ્ય કોંગ્રેસમાં યુવા નેતૃત્વ વિકસે અને અને તેમની પ્રતિભા ખીલે તે માટે પુરતી તક જ મળતી ન હતી. આ જ કારણે યુવાઓ કોંગ્રેસથી દુર થઈ રહ્યા છે. હાર્દિક પટેલ અને વિશ્વનાથસિંહ વાઘેલા સહિત અનેક યુવા નેતાઓ પાર્ટીમાંથી રાજીનામા આપી ચુક્યા છે. 



કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું..

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.