Gujarat: બાકી રહેલી 7 Loksabha બેઠકોમાંથી 3 બેઠકો માટે ઉમેદવારોના નામ Congressએ કર્યા જાહેર, જાણો Rajkot બેઠક પર ઉમેદવાર તરીકે કોના નામની ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-04-05 11:30:22

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે વધુ ત્રણ ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસ ગમે ત્યારે  ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાત માટે વધુ ત્રણ ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે જે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે... ત્રણ ઉમેદવારોની વાત કરીએ તો જૂનાગઢથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકીટ આપી છે, વડોદરાથી કોંગ્રેસે જશપાલ પઢિયારને ટિકીટ આપી સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીક મકવાણાને ટિકીટ આપવામાં આવી. મહત્વનું છે હજી પણ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની ઘોષણા નથી કરવામાં આવી... 

કોંગેસે ગઈકાલે ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ કર્યા જાહેર

ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા સમય પહેલા ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવ્યા. એક તરફ ભાજપમાં લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલા ઉમેદવારોને લઈ અનેક જગ્યાઓ પર વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસે ગુજરાત માટે વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 7 બેઠકો માટે કોગ્રેસે ઉમેદવાર જાહેર ન કર્યા હતા પરંતુ ગઈકાલે ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરવામાં  આવ્યા છે. ઉમેદવાર તરીકે અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી કે આમને ટિકીટ મળી શકે છે ત્યારે ત્રણ ઉમેદવારના નામની ઘોષણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 


કોની કઈ બેઠક માટે કોંગ્રેસે કરી પસંદગી? 

જો ઉમેદવારના નામની વાત કરીએ તો વડોદરાથી કોંગ્રેસે જશપાલ પઢિયારને ટિકીટ આપી સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને ટિકીટ આપવામાં આવી. મહત્વનું છે હજી પણ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની ઘોષણા નથી કરવામાં આવી. ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ તો જાહેર કર્યા પરંતુ હજી પણ 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જેમાં મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ બેઠક માટે ઉમેદવારનો સમાવેશ થાય છે. સૌથી પહેલા વડોદરાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારની વાત કરીએ. હાલ આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપ સામે આવી ગયો છે એવામાં કોંગ્રેસે વડોદરામાં ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે!  


ઋત્વિક મકવાણા છે કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્રનગરથી 

હવે વાત જુનાગઢ બેઠકની કરી તો ત્યાં રાજેશ ચૂડસમાં સામે હીરાભાઈ જોટવાને પાર્ટીએ પસદ કર્યા છે હીરાભાઈ જોટવા રાજકારણમાં અગ્રણી નેતા છે, તેઓ 1991 થી રાજનીતિમાં સક્રિય છે.સાથે જ આહીર સમાજના અગ્રણી છે અને આટલા વર્ષોથી એ રાજકારણમાં છે એટલે એમને જુનાગઢથી ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણ જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગરથી ટિકિટ આપી છે. શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે તેવું માનવામાં આવે છે. 



રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને બનાવશે ઉમેદવાર? 

મહેસાણામાં ભાજપે હરિ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને લઈ મનોમંથનમાં છે, તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈ પણ કોંગ્રેસ અસમંજસમાં છે. ચર્ચાસ્પદ બેઠક રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવવો તે પણ વિચાર હેઠળ હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે નવસારી બેઠક પર પણ કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. રાજકોટ બેઠક માટે કોંગ્રેસ 2 દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. જેમાં હિતેશ વોરા, ડૉ.હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે જોવું રહ્યું કે બાકીની ચાર બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે... ? 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.