Gujarat: બાકી રહેલી 7 Loksabha બેઠકોમાંથી 3 બેઠકો માટે ઉમેદવારોના નામ Congressએ કર્યા જાહેર, જાણો Rajkot બેઠક પર ઉમેદવાર તરીકે કોના નામની ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-04-05 11:30:22

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે વધુ ત્રણ ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસ ગમે ત્યારે  ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાત માટે વધુ ત્રણ ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે જે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે... ત્રણ ઉમેદવારોની વાત કરીએ તો જૂનાગઢથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકીટ આપી છે, વડોદરાથી કોંગ્રેસે જશપાલ પઢિયારને ટિકીટ આપી સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીક મકવાણાને ટિકીટ આપવામાં આવી. મહત્વનું છે હજી પણ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની ઘોષણા નથી કરવામાં આવી... 

કોંગેસે ગઈકાલે ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ કર્યા જાહેર

ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા સમય પહેલા ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવ્યા. એક તરફ ભાજપમાં લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલા ઉમેદવારોને લઈ અનેક જગ્યાઓ પર વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસે ગુજરાત માટે વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 7 બેઠકો માટે કોગ્રેસે ઉમેદવાર જાહેર ન કર્યા હતા પરંતુ ગઈકાલે ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરવામાં  આવ્યા છે. ઉમેદવાર તરીકે અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી કે આમને ટિકીટ મળી શકે છે ત્યારે ત્રણ ઉમેદવારના નામની ઘોષણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 


કોની કઈ બેઠક માટે કોંગ્રેસે કરી પસંદગી? 

જો ઉમેદવારના નામની વાત કરીએ તો વડોદરાથી કોંગ્રેસે જશપાલ પઢિયારને ટિકીટ આપી સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને ટિકીટ આપવામાં આવી. મહત્વનું છે હજી પણ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની ઘોષણા નથી કરવામાં આવી. ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ તો જાહેર કર્યા પરંતુ હજી પણ 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જેમાં મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ બેઠક માટે ઉમેદવારનો સમાવેશ થાય છે. સૌથી પહેલા વડોદરાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારની વાત કરીએ. હાલ આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપ સામે આવી ગયો છે એવામાં કોંગ્રેસે વડોદરામાં ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે!  


ઋત્વિક મકવાણા છે કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્રનગરથી 

હવે વાત જુનાગઢ બેઠકની કરી તો ત્યાં રાજેશ ચૂડસમાં સામે હીરાભાઈ જોટવાને પાર્ટીએ પસદ કર્યા છે હીરાભાઈ જોટવા રાજકારણમાં અગ્રણી નેતા છે, તેઓ 1991 થી રાજનીતિમાં સક્રિય છે.સાથે જ આહીર સમાજના અગ્રણી છે અને આટલા વર્ષોથી એ રાજકારણમાં છે એટલે એમને જુનાગઢથી ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણ જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગરથી ટિકિટ આપી છે. શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે તેવું માનવામાં આવે છે. 



રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને બનાવશે ઉમેદવાર? 

મહેસાણામાં ભાજપે હરિ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને લઈ મનોમંથનમાં છે, તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈ પણ કોંગ્રેસ અસમંજસમાં છે. ચર્ચાસ્પદ બેઠક રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવવો તે પણ વિચાર હેઠળ હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે નવસારી બેઠક પર પણ કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. રાજકોટ બેઠક માટે કોંગ્રેસ 2 દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. જેમાં હિતેશ વોરા, ડૉ.હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે જોવું રહ્યું કે બાકીની ચાર બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે... ? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.