Gujarat: બાકી રહેલી 7 Loksabha બેઠકોમાંથી 3 બેઠકો માટે ઉમેદવારોના નામ Congressએ કર્યા જાહેર, જાણો Rajkot બેઠક પર ઉમેદવાર તરીકે કોના નામની ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-04-05 11:30:22

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે વધુ ત્રણ ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસ ગમે ત્યારે  ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાત માટે વધુ ત્રણ ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે જે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે... ત્રણ ઉમેદવારોની વાત કરીએ તો જૂનાગઢથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકીટ આપી છે, વડોદરાથી કોંગ્રેસે જશપાલ પઢિયારને ટિકીટ આપી સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીક મકવાણાને ટિકીટ આપવામાં આવી. મહત્વનું છે હજી પણ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની ઘોષણા નથી કરવામાં આવી... 

કોંગેસે ગઈકાલે ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ કર્યા જાહેર

ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા સમય પહેલા ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવ્યા. એક તરફ ભાજપમાં લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલા ઉમેદવારોને લઈ અનેક જગ્યાઓ પર વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસે ગુજરાત માટે વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 7 બેઠકો માટે કોગ્રેસે ઉમેદવાર જાહેર ન કર્યા હતા પરંતુ ગઈકાલે ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરવામાં  આવ્યા છે. ઉમેદવાર તરીકે અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી કે આમને ટિકીટ મળી શકે છે ત્યારે ત્રણ ઉમેદવારના નામની ઘોષણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 


કોની કઈ બેઠક માટે કોંગ્રેસે કરી પસંદગી? 

જો ઉમેદવારના નામની વાત કરીએ તો વડોદરાથી કોંગ્રેસે જશપાલ પઢિયારને ટિકીટ આપી સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને ટિકીટ આપવામાં આવી. મહત્વનું છે હજી પણ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની ઘોષણા નથી કરવામાં આવી. ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ તો જાહેર કર્યા પરંતુ હજી પણ 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જેમાં મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ બેઠક માટે ઉમેદવારનો સમાવેશ થાય છે. સૌથી પહેલા વડોદરાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારની વાત કરીએ. હાલ આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપ સામે આવી ગયો છે એવામાં કોંગ્રેસે વડોદરામાં ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે!  


ઋત્વિક મકવાણા છે કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્રનગરથી 

હવે વાત જુનાગઢ બેઠકની કરી તો ત્યાં રાજેશ ચૂડસમાં સામે હીરાભાઈ જોટવાને પાર્ટીએ પસદ કર્યા છે હીરાભાઈ જોટવા રાજકારણમાં અગ્રણી નેતા છે, તેઓ 1991 થી રાજનીતિમાં સક્રિય છે.સાથે જ આહીર સમાજના અગ્રણી છે અને આટલા વર્ષોથી એ રાજકારણમાં છે એટલે એમને જુનાગઢથી ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણ જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગરથી ટિકિટ આપી છે. શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે તેવું માનવામાં આવે છે. 



રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને બનાવશે ઉમેદવાર? 

મહેસાણામાં ભાજપે હરિ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને લઈ મનોમંથનમાં છે, તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈ પણ કોંગ્રેસ અસમંજસમાં છે. ચર્ચાસ્પદ બેઠક રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવવો તે પણ વિચાર હેઠળ હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે નવસારી બેઠક પર પણ કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. રાજકોટ બેઠક માટે કોંગ્રેસ 2 દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. જેમાં હિતેશ વોરા, ડૉ.હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે જોવું રહ્યું કે બાકીની ચાર બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે... ? 



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.