ગુજરાત કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો, સંગઠનની રચના માટે સોનિયાને અપાઈ સંપુર્ણ સત્તા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 19:31:33

ગુજરાત કોંગ્રેસની રવિવારે યોજાયેલી કારોબારી બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મિટિંગમાં ગુજરાત સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગણી કરી છે. જ્યારે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલે પ્રસ્તાવને સમર્થન આપ્યું  હતું. 


સોનિયા ગાંધીને સત્તા આપતો ઠરાવ સર્વાનુમત્તે પસાર


ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસની ‘પ્રદેશ કારોબારી’ની વિશેષ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. પ્રદેશ કારોબારીમાં લેવાયેલા નિર્ણય – ઠરાવો બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને સત્તા આપતો ઠરાવ સર્વાનુમત્તે થયો હતો. 


ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ પ્રદેશ કારોબારીમાં મુક્યો હતો, જે પ્રસ્તાવને સમર્થન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા અને સિધ્ધાર્થ પટેલે કર્યું હતું. વિસ્તૃત પ્રદેશ કારોબારીની બેઠકમાં હાથ ઉચો કરીને ઠરાવને અનુમોદન આપ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ સંગઠનની ચૂંટણીના પી.આર.ઓ. શોભા ઓઝા, શાકીર સદાનીની ઉપસ્થિતીમાં સર્વાનુમત્તે પસાર થયેલ ઠરાવ સુપ્રત કરાયો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને ભારતના ભવિષ્ય અને યુવાનોના અવાજ એવા રાહુલ ગાંધીને બનાવવાની માંગ કરાઈ હતી. જેને કારોબારીના તમામ ઉપસ્થિત ડેલીગેટોએ તાળીઓના ગડગડાટથી અનુમોદન આપ્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે