ગુજરાતમાં કોરોનાના નવા 304 કેસ, કુલ 2091 એક્ટિવ કેસ, 05 દર્દીઓ વેન્ટિલેટર પર


  • Published By :
  • Published Date : 2023-04-19 20:38:23

રાજ્યમાં આજે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ 323 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 381 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. 


કુલ 2091 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 2091 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2086 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,74,958 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ- 111 તે ઉપરાંત વડોદરા કોર્પોરેશન - 29, મહેસાણા - 25, સુરત કોર્પોરેશન - 15, વલસાડ - 13, ભરૂચ - 12, ગાંધીનગર - 11, સાબરકાંઠા - 9, ગાંધીનગર કોર્પોરેશન - 8, આણંદ - 6, રાજકોટ કોર્પોરેશન - 6, સુરેન્દ્રનગર - 6, અમરેલી - 5, મોરબી - 5, નવસારી - 5, પાટણ - 5, ભાવનગર - 4, રાજકોટ - 3, બનાસકાંઠા - 2, દાહોદ - 2, જામનગર કોર્પોરેશન - 2, પંચમહાલ - 2, અમદાવાદ - 1, ભાવનગર કોર્પોરેશન - 1, ગીર સોમનાથ - 1, ખેડા - 1, કચ્છમાં - 1 કેસ નોંધાયો છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.