Gujarat: ફરી એક પરીક્ષામાં છબરડો! Gujarat Universityની BSC Sem-6ની Examમાં થયું એવું કે વિદ્યાર્થીઓ પરેશાન થયા! સાંભળો યુવરાજસિંહની પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-04-05 15:15:02

આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે બાદ મનમાં વિચાર આવે કે શિક્ષણમાં આવા છબરડા કેવી રીતે ચલાવી લેવાય? કોઈ વખત શાળામાં ચાલતી પરીક્ષાનું પેપર ફૂટે છે તો કોઈ વખત યુનિવર્સિટીમાં પરીક્ષા કોઈ બીજા વિષયની હોય અને પ્રશ્ન પત્ર બીજા વિષયનું આપવામાં આવ્યું હોય....? યુનિવર્સિટીની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત યુનિવર્સિટીથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં વિદ્યાર્થીઓેને જે પ્રશ્ન પત્ર બીજા દિવસે પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછી લેવામાં આવ્યું! પેપર જોઈ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ અને ડરી ગયા હતા... મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી દ્વારા ભૂલ સુધારી દેવામાં આવી. હાથથી લખવામાં આવેલું પ્રશ્ન પત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. 

આ પરીક્ષામાં છબરડો થયા હોવાની ઘટના સામે આવી! 

શિક્ષણ વિભાગ અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે કારણ કે ત્યાંથી આવતા સમાચાર આપણને અનેક વખત વિચારવા મજબૂર કરી દેતા હોય છે.. ગુજરાત યુનિવર્સિટીની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી છબરડો સામે આવ્યો છે અને એવો છબરડો કે વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાઈ ગયા...  જે વિષયનું પેપર બીજા દિવસે પૂછાવાનું હતું તે આગલા દિવસે આપી દેવામાં આવ્યું. અને આ છબરડો ગુજરાત યુનિવર્સિટીમાં થયો છે અને BSC સેમેસ્ટર ૬ની પરીક્ષામાં. 



યુવરાજસિંહે આ ઘટના બાદ પૂછ્યા અનેક સવાલ  

પ્રાપ્ત વિગતો પ્રમાણે વનસ્પતિ શાસ્ત્ર એટલકે botany વિષયમાં જે બીજા દિવસે જે પ્રશ્ન પત્ર પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછાઈ ગયું. બેદરકારેની લીધે આ પેપર એક કે -બે સેન્ટરો પર નહીં પરંતુ ૪ -૫ સેન્ટરો પર પહોંચી ગયા. પેપર જોયા બાદ વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ ગયા. વિદ્યાર્થીઓની માથાકુટ બાદ પરીક્ષા 11 વાગે શરૂ થવાની હતી તે 12.30 વાગ્યે શરૂ થઈ.. આ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે... યુવરાજસિંહ જાડેજાએ પૂછ્યું કે જેના કારણે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થયા તેના પર કાર્યવાહી કરાશે?   

   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.