Gujarat: ફરી એક પરીક્ષામાં છબરડો! Gujarat Universityની BSC Sem-6ની Examમાં થયું એવું કે વિદ્યાર્થીઓ પરેશાન થયા! સાંભળો યુવરાજસિંહની પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-04-05 15:15:02

આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે બાદ મનમાં વિચાર આવે કે શિક્ષણમાં આવા છબરડા કેવી રીતે ચલાવી લેવાય? કોઈ વખત શાળામાં ચાલતી પરીક્ષાનું પેપર ફૂટે છે તો કોઈ વખત યુનિવર્સિટીમાં પરીક્ષા કોઈ બીજા વિષયની હોય અને પ્રશ્ન પત્ર બીજા વિષયનું આપવામાં આવ્યું હોય....? યુનિવર્સિટીની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત યુનિવર્સિટીથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં વિદ્યાર્થીઓેને જે પ્રશ્ન પત્ર બીજા દિવસે પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછી લેવામાં આવ્યું! પેપર જોઈ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ અને ડરી ગયા હતા... મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી દ્વારા ભૂલ સુધારી દેવામાં આવી. હાથથી લખવામાં આવેલું પ્રશ્ન પત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. 

આ પરીક્ષામાં છબરડો થયા હોવાની ઘટના સામે આવી! 

શિક્ષણ વિભાગ અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે કારણ કે ત્યાંથી આવતા સમાચાર આપણને અનેક વખત વિચારવા મજબૂર કરી દેતા હોય છે.. ગુજરાત યુનિવર્સિટીની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી છબરડો સામે આવ્યો છે અને એવો છબરડો કે વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાઈ ગયા...  જે વિષયનું પેપર બીજા દિવસે પૂછાવાનું હતું તે આગલા દિવસે આપી દેવામાં આવ્યું. અને આ છબરડો ગુજરાત યુનિવર્સિટીમાં થયો છે અને BSC સેમેસ્ટર ૬ની પરીક્ષામાં. 



યુવરાજસિંહે આ ઘટના બાદ પૂછ્યા અનેક સવાલ  

પ્રાપ્ત વિગતો પ્રમાણે વનસ્પતિ શાસ્ત્ર એટલકે botany વિષયમાં જે બીજા દિવસે જે પ્રશ્ન પત્ર પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછાઈ ગયું. બેદરકારેની લીધે આ પેપર એક કે -બે સેન્ટરો પર નહીં પરંતુ ૪ -૫ સેન્ટરો પર પહોંચી ગયા. પેપર જોયા બાદ વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ ગયા. વિદ્યાર્થીઓની માથાકુટ બાદ પરીક્ષા 11 વાગે શરૂ થવાની હતી તે 12.30 વાગ્યે શરૂ થઈ.. આ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે... યુવરાજસિંહ જાડેજાએ પૂછ્યું કે જેના કારણે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થયા તેના પર કાર્યવાહી કરાશે?   

   



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.