Gujarat: ફરી એક પરીક્ષામાં છબરડો! Gujarat Universityની BSC Sem-6ની Examમાં થયું એવું કે વિદ્યાર્થીઓ પરેશાન થયા! સાંભળો યુવરાજસિંહની પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-04-05 15:15:02

આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે બાદ મનમાં વિચાર આવે કે શિક્ષણમાં આવા છબરડા કેવી રીતે ચલાવી લેવાય? કોઈ વખત શાળામાં ચાલતી પરીક્ષાનું પેપર ફૂટે છે તો કોઈ વખત યુનિવર્સિટીમાં પરીક્ષા કોઈ બીજા વિષયની હોય અને પ્રશ્ન પત્ર બીજા વિષયનું આપવામાં આવ્યું હોય....? યુનિવર્સિટીની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત યુનિવર્સિટીથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં વિદ્યાર્થીઓેને જે પ્રશ્ન પત્ર બીજા દિવસે પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછી લેવામાં આવ્યું! પેપર જોઈ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ અને ડરી ગયા હતા... મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી દ્વારા ભૂલ સુધારી દેવામાં આવી. હાથથી લખવામાં આવેલું પ્રશ્ન પત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. 

આ પરીક્ષામાં છબરડો થયા હોવાની ઘટના સામે આવી! 

શિક્ષણ વિભાગ અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે કારણ કે ત્યાંથી આવતા સમાચાર આપણને અનેક વખત વિચારવા મજબૂર કરી દેતા હોય છે.. ગુજરાત યુનિવર્સિટીની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી છબરડો સામે આવ્યો છે અને એવો છબરડો કે વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાઈ ગયા...  જે વિષયનું પેપર બીજા દિવસે પૂછાવાનું હતું તે આગલા દિવસે આપી દેવામાં આવ્યું. અને આ છબરડો ગુજરાત યુનિવર્સિટીમાં થયો છે અને BSC સેમેસ્ટર ૬ની પરીક્ષામાં. 



યુવરાજસિંહે આ ઘટના બાદ પૂછ્યા અનેક સવાલ  

પ્રાપ્ત વિગતો પ્રમાણે વનસ્પતિ શાસ્ત્ર એટલકે botany વિષયમાં જે બીજા દિવસે જે પ્રશ્ન પત્ર પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછાઈ ગયું. બેદરકારેની લીધે આ પેપર એક કે -બે સેન્ટરો પર નહીં પરંતુ ૪ -૫ સેન્ટરો પર પહોંચી ગયા. પેપર જોયા બાદ વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ ગયા. વિદ્યાર્થીઓની માથાકુટ બાદ પરીક્ષા 11 વાગે શરૂ થવાની હતી તે 12.30 વાગ્યે શરૂ થઈ.. આ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે... યુવરાજસિંહ જાડેજાએ પૂછ્યું કે જેના કારણે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થયા તેના પર કાર્યવાહી કરાશે?   

   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.