વર્ષના પહેલા દિવસે Gujaratએ સર્જ્યો World Record! રાજ્યના 108 સ્થળો પર કરાયું Surya namaskarનું આયોજન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-01 12:00:13

આપણે ત્યાં સૂર્યનારાયણને ઉર્જાના સ્તોત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં સૂર્યનમસ્કારને મહત્વનો યોગાસન માનવામાં આવે છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જે પ્રતિદિન સૂર્યનમસ્કાર કરતા હશે. ત્યારે ગુજરાતના વિવિધ સ્થળો પર ગુજરાત રાજય યોગ બોર્ડ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓના વિભાગ દ્વારા રાજયવ્યાપી સુર્યનમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, સામૂહિક સૂર્ય નમસ્કાર કરીને ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે.   

મહેસાણા ખાતે ઉપસ્થિત હતા મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી 

આજથી 2024નો પ્રારંભ થઈ ગયો છે. વર્ષના પ્રથમ દિવસે રાજ્યભરમાં સૂર્યનમસ્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળો પર આનું આયોજન કરવામાં આવ્યું. મોઢેરાના સૂર્યમંદિરમાં આ પ્રસંગને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અધિકારીઓ મહેસાણામાં આવેલા સૂર્યમંદિર ખાતે આયોજીત સૂર્યનમસ્કારના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 2500 જેટલા લોકોએ સામૂહિક સૂર્યનમસ્કાર વર્ષના પ્રથમ દિવસે કર્યા હતા. 108 સ્થળો પર સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.


આઈકોનિક સ્થળો પર કરાયું સૂર્યનમસ્કારનું આયોજન 

રાજ્યના આઈકોનિક સ્થળો પર સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના 108 આઇકોનીક સ્થળ પૈકી 51 સ્થળ પર આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 51 સ્થળો પર યોજાયેલો આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમની નોંધ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં લેવાઈ છે. મહેસાણા ખાતે મુખ્યમંત્રી તેમજ હર્ષ સંઘવી હાજર હતા. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે PMએ યોગ દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. PM સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો વિચાર કરે છે. હર્ષ સંઘવીએ કહ્યું કે આજે એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયા માટે નવી દિશા છે. ગુજરાતના 18 હજાર ગ્રામીણ વિસ્તારમાં સૂર્ય નમસ્કાર કાર્યકમ થયાં છે. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી હતી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.