સ્માર્ટ સ્કૂલોની વાતો વચ્ચે રાજ્યમાં શિક્ષણની હાલત દયનીય, શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ


  • Published By :
  • Published Date : 2023-03-15 16:02:14

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં પૂરતા શિક્ષકો ન હોવા તે પણ છે. શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર શિક્ષકો પુરતું ધ્યાન આપી શક્તા નથી. રાજ્ય સરકારે પણ હવે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું સ્વિકાર્યું છે. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં શિક્ષણ મંત્રીને રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને આપના ધારાસભ્ય હેમંત આહિરે પ્રશ્ન પુછ્યો હતો, આ સવાલનો શિક્ષણ મંત્રીએ વિસ્તારથી જવાબ આપ્યો છે.


રાજ્યમાં કેટલા શિક્ષકોની ઘટ?


રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતાના દાવા કરી રહી છે પણ ખરેખર હકીકત કાંઈ અલગ જ છે. શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં રજુ કરેલા જવાબ મુજબ જામનગર જીલ્લાની 8 શાળાઓમાં જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની 46 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે.


જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 330 શિક્ષકોની જ્યારે માધ્યમિક શાળાઓમાં 27, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો 42 અને 4 આચાર્યની જગ્યાઓ ખાલી  જગ્યા ખાલી છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  પ્રાથમિક શાળાઓમાં 557 શિક્ષકોની જગ્યાઓ જ્યારે આચાર્યની 4 જગ્યા ખાલી છે. દેવભૂમિ દ્વારકાની 37 માધ્યમિક શિક્ષકો 43 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને 9 આચાર્ય ની જગ્યાઓ ખાલી છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ જ સ્થિતી


રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરની શાળાઓમાં પણ શિક્ષકોની મોટી ઘટ છે. આ શહેરોમાં વિવિધ વિષયોના શિક્ષકો વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમ કે અમદાવાદ જિલ્લામાં ધોરણ 1 થી 5 માં 388 શિક્ષકોની ઘટ છે. અમદાવાદ જિલ્લામાં ભાષાના 59, ગણિત-વિજ્ઞાન ના 105 તો સામાજવિદ્યાના 71 શિક્ષકોની ઘટ છે. ગાંધીનગર જિલ્લામાં ધોરણ 1 થી 5 ના 133, ભાષાના 59, ગણિત-વિજ્ઞાનના 49 તો સામાજિક વિદ્યાના 66 શિક્ષકોની ઘટ છે.


આ જ પ્રકારે  અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5માં 965,ભાષાના 43,ગણિત-વિજ્ઞાનના 62 તો સામાજિક વિદ્યાના 15 શિક્ષકોની ઘટ છે. જ્યારે ગાંધીનગર શહેર મા ધોરણ 1 થી 5 ના 34, ભાષાના 07, ગણિત-વિજ્ઞાનના 06, તો સામાજિક વિદ્યાના 20 શિક્ષકોની ઘટ હોવાની જાણકારી શિક્ષણમંત્રીએ આપી છે.


ગતિશીલ ગુજરાતની શાળાઓમાં ઓરડાઓની ઘટ 


રાજ્યના  કેટલાક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ ઓરડાઓની ઘટનો સામનો કરી રહ્યા છે. જેમ કે પોરબંદર જીલ્લામાં 9 જ્યારે જુનાગઢ જીલ્લામાં 127 શાળાઓમાં ઓરડાની ઘટ છે. આ જ પ્રકારે વાવની 45, ભાભરની 28 અને સુઇગામની 16 સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. પોરબંદરની 7 જ્યારે જુનાગઢની 54 શાળાઓમા કંપાઉન્ડ વોલ જ નથી. હદ તો ત્યાં થઈ કે પોરબંદર જીલ્લામા 7 શાળાઓમાં વિજ સુવિધા જ નથી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.