સ્માર્ટ સ્કૂલોની વાતો વચ્ચે રાજ્યમાં શિક્ષણની હાલત દયનીય, શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ


  • Published By :
  • Published Date : 2023-03-15 16:02:14

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં પૂરતા શિક્ષકો ન હોવા તે પણ છે. શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર શિક્ષકો પુરતું ધ્યાન આપી શક્તા નથી. રાજ્ય સરકારે પણ હવે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું સ્વિકાર્યું છે. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં શિક્ષણ મંત્રીને રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને આપના ધારાસભ્ય હેમંત આહિરે પ્રશ્ન પુછ્યો હતો, આ સવાલનો શિક્ષણ મંત્રીએ વિસ્તારથી જવાબ આપ્યો છે.


રાજ્યમાં કેટલા શિક્ષકોની ઘટ?


રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતાના દાવા કરી રહી છે પણ ખરેખર હકીકત કાંઈ અલગ જ છે. શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં રજુ કરેલા જવાબ મુજબ જામનગર જીલ્લાની 8 શાળાઓમાં જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની 46 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે.


જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 330 શિક્ષકોની જ્યારે માધ્યમિક શાળાઓમાં 27, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો 42 અને 4 આચાર્યની જગ્યાઓ ખાલી  જગ્યા ખાલી છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  પ્રાથમિક શાળાઓમાં 557 શિક્ષકોની જગ્યાઓ જ્યારે આચાર્યની 4 જગ્યા ખાલી છે. દેવભૂમિ દ્વારકાની 37 માધ્યમિક શિક્ષકો 43 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને 9 આચાર્ય ની જગ્યાઓ ખાલી છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ જ સ્થિતી


રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરની શાળાઓમાં પણ શિક્ષકોની મોટી ઘટ છે. આ શહેરોમાં વિવિધ વિષયોના શિક્ષકો વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમ કે અમદાવાદ જિલ્લામાં ધોરણ 1 થી 5 માં 388 શિક્ષકોની ઘટ છે. અમદાવાદ જિલ્લામાં ભાષાના 59, ગણિત-વિજ્ઞાન ના 105 તો સામાજવિદ્યાના 71 શિક્ષકોની ઘટ છે. ગાંધીનગર જિલ્લામાં ધોરણ 1 થી 5 ના 133, ભાષાના 59, ગણિત-વિજ્ઞાનના 49 તો સામાજિક વિદ્યાના 66 શિક્ષકોની ઘટ છે.


આ જ પ્રકારે  અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5માં 965,ભાષાના 43,ગણિત-વિજ્ઞાનના 62 તો સામાજિક વિદ્યાના 15 શિક્ષકોની ઘટ છે. જ્યારે ગાંધીનગર શહેર મા ધોરણ 1 થી 5 ના 34, ભાષાના 07, ગણિત-વિજ્ઞાનના 06, તો સામાજિક વિદ્યાના 20 શિક્ષકોની ઘટ હોવાની જાણકારી શિક્ષણમંત્રીએ આપી છે.


ગતિશીલ ગુજરાતની શાળાઓમાં ઓરડાઓની ઘટ 


રાજ્યના  કેટલાક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ ઓરડાઓની ઘટનો સામનો કરી રહ્યા છે. જેમ કે પોરબંદર જીલ્લામાં 9 જ્યારે જુનાગઢ જીલ્લામાં 127 શાળાઓમાં ઓરડાની ઘટ છે. આ જ પ્રકારે વાવની 45, ભાભરની 28 અને સુઇગામની 16 સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. પોરબંદરની 7 જ્યારે જુનાગઢની 54 શાળાઓમા કંપાઉન્ડ વોલ જ નથી. હદ તો ત્યાં થઈ કે પોરબંદર જીલ્લામા 7 શાળાઓમાં વિજ સુવિધા જ નથી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.