સ્માર્ટ સ્કૂલોની વાતો વચ્ચે રાજ્યમાં શિક્ષણની હાલત દયનીય, શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ


  • Published By :
  • Published Date : 2023-03-15 16:02:14

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં પૂરતા શિક્ષકો ન હોવા તે પણ છે. શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર શિક્ષકો પુરતું ધ્યાન આપી શક્તા નથી. રાજ્ય સરકારે પણ હવે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું સ્વિકાર્યું છે. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં શિક્ષણ મંત્રીને રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને આપના ધારાસભ્ય હેમંત આહિરે પ્રશ્ન પુછ્યો હતો, આ સવાલનો શિક્ષણ મંત્રીએ વિસ્તારથી જવાબ આપ્યો છે.


રાજ્યમાં કેટલા શિક્ષકોની ઘટ?


રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતાના દાવા કરી રહી છે પણ ખરેખર હકીકત કાંઈ અલગ જ છે. શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં રજુ કરેલા જવાબ મુજબ જામનગર જીલ્લાની 8 શાળાઓમાં જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની 46 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે.


જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 330 શિક્ષકોની જ્યારે માધ્યમિક શાળાઓમાં 27, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો 42 અને 4 આચાર્યની જગ્યાઓ ખાલી  જગ્યા ખાલી છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  પ્રાથમિક શાળાઓમાં 557 શિક્ષકોની જગ્યાઓ જ્યારે આચાર્યની 4 જગ્યા ખાલી છે. દેવભૂમિ દ્વારકાની 37 માધ્યમિક શિક્ષકો 43 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને 9 આચાર્ય ની જગ્યાઓ ખાલી છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ જ સ્થિતી


રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરની શાળાઓમાં પણ શિક્ષકોની મોટી ઘટ છે. આ શહેરોમાં વિવિધ વિષયોના શિક્ષકો વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમ કે અમદાવાદ જિલ્લામાં ધોરણ 1 થી 5 માં 388 શિક્ષકોની ઘટ છે. અમદાવાદ જિલ્લામાં ભાષાના 59, ગણિત-વિજ્ઞાન ના 105 તો સામાજવિદ્યાના 71 શિક્ષકોની ઘટ છે. ગાંધીનગર જિલ્લામાં ધોરણ 1 થી 5 ના 133, ભાષાના 59, ગણિત-વિજ્ઞાનના 49 તો સામાજિક વિદ્યાના 66 શિક્ષકોની ઘટ છે.


આ જ પ્રકારે  અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5માં 965,ભાષાના 43,ગણિત-વિજ્ઞાનના 62 તો સામાજિક વિદ્યાના 15 શિક્ષકોની ઘટ છે. જ્યારે ગાંધીનગર શહેર મા ધોરણ 1 થી 5 ના 34, ભાષાના 07, ગણિત-વિજ્ઞાનના 06, તો સામાજિક વિદ્યાના 20 શિક્ષકોની ઘટ હોવાની જાણકારી શિક્ષણમંત્રીએ આપી છે.


ગતિશીલ ગુજરાતની શાળાઓમાં ઓરડાઓની ઘટ 


રાજ્યના  કેટલાક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ ઓરડાઓની ઘટનો સામનો કરી રહ્યા છે. જેમ કે પોરબંદર જીલ્લામાં 9 જ્યારે જુનાગઢ જીલ્લામાં 127 શાળાઓમાં ઓરડાની ઘટ છે. આ જ પ્રકારે વાવની 45, ભાભરની 28 અને સુઇગામની 16 સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. પોરબંદરની 7 જ્યારે જુનાગઢની 54 શાળાઓમા કંપાઉન્ડ વોલ જ નથી. હદ તો ત્યાં થઈ કે પોરબંદર જીલ્લામા 7 શાળાઓમાં વિજ સુવિધા જ નથી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.