અમિત શાહનો દાવો, વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીમાં AAP એક પણ સીટ જીતી નહીં શકે


  • Published By :
  • Published Date : 2022-12-01 09:59:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસને તેમનો વોટશેર ઘટવાની ચિંતા સતાવી રહી છે. પહેલી ડિસેમ્બરના દિવસે મતદાનને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપને નિશાન બનાવી જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દરેક પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે, પણ તે પાર્ટીને સ્વિકારવી કે નહીં તે લોકો પર નિર્ભર છે.


રાજ્યમાં ભાજપની જીત કેમ?


અમિત શાહે પીટીઆઈને આપેલા એક ઈન્ટરર્વ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજ્યના સર્વાગી વિકાસમાં તેમનું યોગદાન, અને ઝીરો તૃષ્ટીકરણની નિતીના અમલના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો દ્વારા વારંવાર ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે. આ સાથે જ અમિત શાહે ગુજરાતમાં ભાજપ અભૂતપૂર્વ જીત પ્રાપ્ત કરશે તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકોને અમારી પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સંપુર્ણ ભરોસો છે. 


અમિત શાહે AAP અંગે શું કહ્યું?


આમ આદમી પાર્ટી અંગે તેમણે કહ્યું. કે "આપ ગુજરાતના લોકોના મગજમાં ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ AAPનું નામ સફળ ઉમેદવારોની યાદીમાં ન આવે". અમિત શાહે કોંગ્રેસને ગુજરાતમાં કોંગ્રેસ જ ભાજપની મુખ્ય હરીફ ગણાવી હતી. 


ભારત જોડો યાત્રા પર જવાબ


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે પુછતા તેમણે કહ્યું કે રાજનિતીમાં સતત પ્રયાસો જરૂરી છે. તેમણે કહ્યું મારૂ હંમેશાથી માનવું રહ્યું  છે કે રાજનેતાઓ કઠોર મહેનત કરવાની કોઈ જરૂર નથી. રાહુલ ગાંધી કઠોર મહેનત કરી રહ્યા છે તે સારી બાબત છે પણ રાજનિતીમાં સતત પ્રયત્નો જ પરિણામ આપે છે, તેથી થોભા અને રાહ જુઓ.


ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ શા માટે?


વિપક્ષે ભાજપ પર રાજ્યની ચૂંટણીઓમાં આતંકવાદ જેવા રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે જેથી લોકોનું ધ્યાન શાસન સંબંધિત ચિંતાઓથી હટાવવામાં આવે છે? રાજ્યની ચૂંટણીના પ્રચારમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ વિશે વાત કરતા શાહે કહ્યું કે તે મુદ્દા દરેક વિધાનસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ છે. તેમણે સવાલ કર્યો કે શું ગુજરાતની સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી છે કે નથી?."ગુજરાતની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા અલગ મુદ્દા નથી. જો દેશ સુરક્ષિત નથી, તો ગુજરાત કેવી રીતે સુરક્ષિત રહેશે? તેથી તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા મુખ્ય મુદ્દો છે.  વળી સરહદી રાજ્ય હોવાના કારણે ગુજરાતના લોકો રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ છે. દેશના કોઈ પણ સ્થળે રાષ્ટ્રીય સુરક્ષાને અસર થાય તે અમને પરવડી શકે તેમ નથી.


હરિફો સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ


વિપક્ષો વારંવાર સરકાર ભાજપના નેતાઓ પર રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવે છે તે અંગે, શાહે કહ્યું કે દેશમાં સ્વતંત્ર અને તટસ્થ ન્યાયતંત્ર છે, અને "જો તપાસ એજન્સીઓનો કોઈ દુરુપયોગ થતો હોય, તો તેઓ ન્યાયતંત્રનો સંપર્ક કરી શકે છે".


ચૂંટણીમાં મોંઘવારી મુદ્દો નથી? 


મોંઘવારીના મુદ્દે અમિત શાહે કહ્યું કે મોંઘવારી માત્ર ભારતનો જ નહીં પણ સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે. જો કે ભારતમાં તેની અસર ખુબ ઓછી છે. ભારતે મોંઘવારીને સરસ રીતે નિયંત્રણમાં રાખી છે. તે કારણે જ મોંઘવારીએ ભારતના સામાજીક જીવન પર ખુબ જ ઓછી અસર કરી છે.


ભાજપના મુખ્યમંત્રી અંગે શું કહ્યું?


મુખ્યમંત્રી અંગે  તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી તરીકે  યથાવત રહેશે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે સારૂ કામ કરી રહ્યા છે, અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી તમામ યોજનાઓને સારી રીતે આગળ ધપાવી રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.