પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસમાં જોડાતા ભાજપને જોરદાર ઝટકો


  • Published By :
  • Published Date : 2022-10-23 15:57:56

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે, પણ આજે ભાજપને કોંગ્રેસ જોરદાર ફટકો મારતા ભાજપની એક વિકેટ ખેરવી નાખી છે. ડભોઈ મતવિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર આજે કોંગ્રેસ જોડાતા ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે તેમણે વર્ષ 2012માં સિદ્ધાર્થ પટેલને પણ કાંટાની ટક્કર આપી હતી.


ભાજપનાં પૂર્વ MLA બાલકૃષ્ણ ઢોલરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો


વિધાનસભાની ચૂંટણી પહેલા ત્રણેય પાર્ટીઓમાં પક્ષપલટાને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસમાં જોડાઈ જતા વડોદરા જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. 


ભાજપથી અસંતુષ્ટ ઢોલરે આખરે કોંગ્રેસનો હાથ પકડ્યો


બાલકૃષ્ણ ઢોલર છેલ્લા ઘણા સમયથી ટિકિટના મુદ્દે ભાજપથી નારાજ હતા. વળી 2012માં પણ તેઓ ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. આ દરમિયાન તેમણે 5 હજાર મતથી સિદ્ધાર્થ પટેલને હરાવ્યા હતા. તેવામાં બાલકૃષ્ણ ઢોલર હવે કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ જણાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ ઢોલર ભાજપ વડોદરાના જિલ્લાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"