પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસમાં જોડાતા ભાજપને જોરદાર ઝટકો


  • Published By :
  • Published Date : 2022-10-23 15:57:56

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે, પણ આજે ભાજપને કોંગ્રેસ જોરદાર ફટકો મારતા ભાજપની એક વિકેટ ખેરવી નાખી છે. ડભોઈ મતવિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર આજે કોંગ્રેસ જોડાતા ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે તેમણે વર્ષ 2012માં સિદ્ધાર્થ પટેલને પણ કાંટાની ટક્કર આપી હતી.


ભાજપનાં પૂર્વ MLA બાલકૃષ્ણ ઢોલરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો


વિધાનસભાની ચૂંટણી પહેલા ત્રણેય પાર્ટીઓમાં પક્ષપલટાને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસમાં જોડાઈ જતા વડોદરા જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. 


ભાજપથી અસંતુષ્ટ ઢોલરે આખરે કોંગ્રેસનો હાથ પકડ્યો


બાલકૃષ્ણ ઢોલર છેલ્લા ઘણા સમયથી ટિકિટના મુદ્દે ભાજપથી નારાજ હતા. વળી 2012માં પણ તેઓ ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. આ દરમિયાન તેમણે 5 હજાર મતથી સિદ્ધાર્થ પટેલને હરાવ્યા હતા. તેવામાં બાલકૃષ્ણ ઢોલર હવે કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ જણાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ ઢોલર ભાજપ વડોદરાના જિલ્લાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.