પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસમાં જોડાતા ભાજપને જોરદાર ઝટકો


  • Published By :
  • Published Date : 2022-10-23 15:57:56

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે, પણ આજે ભાજપને કોંગ્રેસ જોરદાર ફટકો મારતા ભાજપની એક વિકેટ ખેરવી નાખી છે. ડભોઈ મતવિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર આજે કોંગ્રેસ જોડાતા ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે તેમણે વર્ષ 2012માં સિદ્ધાર્થ પટેલને પણ કાંટાની ટક્કર આપી હતી.


ભાજપનાં પૂર્વ MLA બાલકૃષ્ણ ઢોલરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો


વિધાનસભાની ચૂંટણી પહેલા ત્રણેય પાર્ટીઓમાં પક્ષપલટાને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસમાં જોડાઈ જતા વડોદરા જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. 


ભાજપથી અસંતુષ્ટ ઢોલરે આખરે કોંગ્રેસનો હાથ પકડ્યો


બાલકૃષ્ણ ઢોલર છેલ્લા ઘણા સમયથી ટિકિટના મુદ્દે ભાજપથી નારાજ હતા. વળી 2012માં પણ તેઓ ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. આ દરમિયાન તેમણે 5 હજાર મતથી સિદ્ધાર્થ પટેલને હરાવ્યા હતા. તેવામાં બાલકૃષ્ણ ઢોલર હવે કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ જણાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ ઢોલર ભાજપ વડોદરાના જિલ્લાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.