ચૂંટણીમાં ભાજપનું જાતિ સમીકરણ, 42 પાટીદાર, 13 બ્રાહ્મણ, 3 જૈન, 14 ક્ષત્રિયો અને 14 મહિલાને ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-10 20:56:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે ત્યારે ભાજપે તેના 160 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે તેના આ ઉમેદવારોની પસંદગીમાં જાતિ સમીકરણોનું ખૂબ ધ્યાન રાખ્યું છે. સબ કા સાથ સબ કા વિશ્વાસના સુત્રને અનુસરતા ભાજપે ગુજરાતમાં 42 પાટીદાર, 13 બ્રાહ્મણ, 3 જૈન, 14 ક્ષત્રિયો અને 14 મહિલાને ટિકિટ આપી છે. 


સૌરાષ્ટ્રમાં ભાજપના નવા ચહેરા


સૌરાષ્ટ્રમાં ભાજપે મોટાભાગના નવા ચેહરાને ટિકિટ આપી છે. રાજકોટમાં તો ચારેય સીટ પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. જેમ કે ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ), ડો. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ) તથા રમેશ ટીલાળાનો (રાજકોટ દક્ષિણ) સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને અને જામનગરમાં રિવાબાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


દક્ષિણ ગુજરાતમાં ભાજપની 'રિપિટ' થિયરી


દક્ષિણ ગુજરાતમાં ભાજપે રિપિટ થિયરી અપનાવી બળવાનું જોખમ ટાળ્યું છે. સુરતની 11 બેઠકો પૈકીની એક માત્ર ઉધના સીટને બાદ કરતાં તમામ 10 બેઠકો પર ઉમેદવારોને રિપિટ કરાયા છે. તે જ પ્રકારે વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ઉમેદવારો રિપિટ કરાયા છે. સુરતમાં કુમાર કાનાણી, પ્રવીણભાઇ ઘોઘારી, સંગીતા પાટીલ, હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, પુર્ણેશ મોદીને જાળવી રાખવામાં આવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં બેને રિપિટ કર્યા છે અને બે નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં બે બેઠકો ઉપર નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. વલસાડમાં અરવિંદ પટેલ, કનુ દેસાઈ અને ભરત પટેલને જારી રખાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા તેમજ નિઝર વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે.


વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ


ભાજપે 182માંથી 160 નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે વર્તમાન 85 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, નીમા બહેન આચાર્ય બ્રજેશ મેરજા, આર. સી. ફળદુ,ધનજી પટેલ, મધુ શ્રીવાસ્તવ, પ્રદીપ પરમાર, રાકેશ શાહ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, સૌરભ પટેલ,સુરેશ પટેલ, વલ્લભ કાકડિયા, જગદીશ પટેલ, અરવિંદ પટેલ,  કૌશિક પટેલ, વિભાવરીબેન દવે,વાસણ આહિર, હિતુ કનોડિયા,લાખાભાઈ સાગઠીયા,હકુભા જાડેજા,ગોવિંદ પટેલ,અરવિંદ પટેલ,સુરેશ પટેલ, કિશોર ચૌહાણ,અરવિંદ રૈયાણી,જગદીશ પટેલ,યોગેશ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સહિતનો સમાવેશ થાય છે.


યાદીમાં 14 મહિલાઓને સ્થાન


માલતીબેન મહેશ્વરી-ગાંધીધામ,જિગ્નાબેન પંડયા-વઢવાણ, ડો. દર્શિતાબેન શાહ-રાજકોટ પશ્ચિમ, ભાનુ બેન બાબરિયા રાજકોટ ગ્રામીણ, ગીતાબા જાડેજા-ગોંડલ, રિવાબા જાડેજા-જામનગર ઉત્તર,ડો. દર્શનાબેન દેશમુખ -નાંદોદ, સંગીતા બેન પાટિલ-લિંબાયત, ભીખીબેન પરમાર-બાયડ, ડો. પાયલબેન કુકરાની-નરોડાકંચનબેન વિનુભાઇ રાદડિયા-ઠક્કરબાપા નગર, દર્શનાબેન વાઘેલા અસારવા, મોરવા હડફ - નિમિષાબેન સુથાર, મનીશાબેન વકીલ-વડોદરા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.


કોંગ્રેસના નેતાઓ માટે લાલ જાજમ


કોંગ્રેસ છોડીને જોડાયેલા નેતાઓને ભાજપે સાચવી લીધા છે. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપવામાં આવી છે. 2017માં કોંગ્રેસમાંથી લડનારા આ નેતાઓને ભાજપે ટિકિટ આપવામાં આવી છે. જેમાં (1) ભગા બારડ, તલાલા (2) રાજેન્દ્રસિંહ મોહન રાઠવા, છોટાઉદેપુર(3) હર્ષદ રિબડિયા, વિસાવદર(4) કુંવરજી બાવળિયા, જસદણ (5) જવાહર ચાવડા, માણાવદર (6) જીતુ ચૌધરી, કપરાડા(7) હાર્દિક પટેલ, વિરમગામ (8) રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય(9) જયેશ રાદડીયા, જેતપુર(10)પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા (11)જયદ્રથ સિંહ પરમાર, હાલોલ (12) બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર (13) અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા (14) જેવી કાકડિયા, ધારી (15) રાજેશ ઝાલા- કપડવંજ, કઠલાલ સીટ માટે ટિકિટ આપી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.