ચૂંટણીમાં ભાજપનું જાતિ સમીકરણ, 42 પાટીદાર, 13 બ્રાહ્મણ, 3 જૈન, 14 ક્ષત્રિયો અને 14 મહિલાને ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-10 20:56:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે ત્યારે ભાજપે તેના 160 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે તેના આ ઉમેદવારોની પસંદગીમાં જાતિ સમીકરણોનું ખૂબ ધ્યાન રાખ્યું છે. સબ કા સાથ સબ કા વિશ્વાસના સુત્રને અનુસરતા ભાજપે ગુજરાતમાં 42 પાટીદાર, 13 બ્રાહ્મણ, 3 જૈન, 14 ક્ષત્રિયો અને 14 મહિલાને ટિકિટ આપી છે. 


સૌરાષ્ટ્રમાં ભાજપના નવા ચહેરા


સૌરાષ્ટ્રમાં ભાજપે મોટાભાગના નવા ચેહરાને ટિકિટ આપી છે. રાજકોટમાં તો ચારેય સીટ પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. જેમ કે ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ), ડો. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ) તથા રમેશ ટીલાળાનો (રાજકોટ દક્ષિણ) સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને અને જામનગરમાં રિવાબાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


દક્ષિણ ગુજરાતમાં ભાજપની 'રિપિટ' થિયરી


દક્ષિણ ગુજરાતમાં ભાજપે રિપિટ થિયરી અપનાવી બળવાનું જોખમ ટાળ્યું છે. સુરતની 11 બેઠકો પૈકીની એક માત્ર ઉધના સીટને બાદ કરતાં તમામ 10 બેઠકો પર ઉમેદવારોને રિપિટ કરાયા છે. તે જ પ્રકારે વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ઉમેદવારો રિપિટ કરાયા છે. સુરતમાં કુમાર કાનાણી, પ્રવીણભાઇ ઘોઘારી, સંગીતા પાટીલ, હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, પુર્ણેશ મોદીને જાળવી રાખવામાં આવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં બેને રિપિટ કર્યા છે અને બે નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં બે બેઠકો ઉપર નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. વલસાડમાં અરવિંદ પટેલ, કનુ દેસાઈ અને ભરત પટેલને જારી રખાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા તેમજ નિઝર વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે.


વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ


ભાજપે 182માંથી 160 નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે વર્તમાન 85 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, નીમા બહેન આચાર્ય બ્રજેશ મેરજા, આર. સી. ફળદુ,ધનજી પટેલ, મધુ શ્રીવાસ્તવ, પ્રદીપ પરમાર, રાકેશ શાહ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, સૌરભ પટેલ,સુરેશ પટેલ, વલ્લભ કાકડિયા, જગદીશ પટેલ, અરવિંદ પટેલ,  કૌશિક પટેલ, વિભાવરીબેન દવે,વાસણ આહિર, હિતુ કનોડિયા,લાખાભાઈ સાગઠીયા,હકુભા જાડેજા,ગોવિંદ પટેલ,અરવિંદ પટેલ,સુરેશ પટેલ, કિશોર ચૌહાણ,અરવિંદ રૈયાણી,જગદીશ પટેલ,યોગેશ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સહિતનો સમાવેશ થાય છે.


યાદીમાં 14 મહિલાઓને સ્થાન


માલતીબેન મહેશ્વરી-ગાંધીધામ,જિગ્નાબેન પંડયા-વઢવાણ, ડો. દર્શિતાબેન શાહ-રાજકોટ પશ્ચિમ, ભાનુ બેન બાબરિયા રાજકોટ ગ્રામીણ, ગીતાબા જાડેજા-ગોંડલ, રિવાબા જાડેજા-જામનગર ઉત્તર,ડો. દર્શનાબેન દેશમુખ -નાંદોદ, સંગીતા બેન પાટિલ-લિંબાયત, ભીખીબેન પરમાર-બાયડ, ડો. પાયલબેન કુકરાની-નરોડાકંચનબેન વિનુભાઇ રાદડિયા-ઠક્કરબાપા નગર, દર્શનાબેન વાઘેલા અસારવા, મોરવા હડફ - નિમિષાબેન સુથાર, મનીશાબેન વકીલ-વડોદરા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.


કોંગ્રેસના નેતાઓ માટે લાલ જાજમ


કોંગ્રેસ છોડીને જોડાયેલા નેતાઓને ભાજપે સાચવી લીધા છે. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપવામાં આવી છે. 2017માં કોંગ્રેસમાંથી લડનારા આ નેતાઓને ભાજપે ટિકિટ આપવામાં આવી છે. જેમાં (1) ભગા બારડ, તલાલા (2) રાજેન્દ્રસિંહ મોહન રાઠવા, છોટાઉદેપુર(3) હર્ષદ રિબડિયા, વિસાવદર(4) કુંવરજી બાવળિયા, જસદણ (5) જવાહર ચાવડા, માણાવદર (6) જીતુ ચૌધરી, કપરાડા(7) હાર્દિક પટેલ, વિરમગામ (8) રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય(9) જયેશ રાદડીયા, જેતપુર(10)પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા (11)જયદ્રથ સિંહ પરમાર, હાલોલ (12) બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર (13) અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા (14) જેવી કાકડિયા, ધારી (15) રાજેશ ઝાલા- કપડવંજ, કઠલાલ સીટ માટે ટિકિટ આપી છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"