ચૂંટણીમાં ભાજપનું જાતિ સમીકરણ, 42 પાટીદાર, 13 બ્રાહ્મણ, 3 જૈન, 14 ક્ષત્રિયો અને 14 મહિલાને ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-10 20:56:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે ત્યારે ભાજપે તેના 160 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે તેના આ ઉમેદવારોની પસંદગીમાં જાતિ સમીકરણોનું ખૂબ ધ્યાન રાખ્યું છે. સબ કા સાથ સબ કા વિશ્વાસના સુત્રને અનુસરતા ભાજપે ગુજરાતમાં 42 પાટીદાર, 13 બ્રાહ્મણ, 3 જૈન, 14 ક્ષત્રિયો અને 14 મહિલાને ટિકિટ આપી છે. 


સૌરાષ્ટ્રમાં ભાજપના નવા ચહેરા


સૌરાષ્ટ્રમાં ભાજપે મોટાભાગના નવા ચેહરાને ટિકિટ આપી છે. રાજકોટમાં તો ચારેય સીટ પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. જેમ કે ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ), ડો. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ) તથા રમેશ ટીલાળાનો (રાજકોટ દક્ષિણ) સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને અને જામનગરમાં રિવાબાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


દક્ષિણ ગુજરાતમાં ભાજપની 'રિપિટ' થિયરી


દક્ષિણ ગુજરાતમાં ભાજપે રિપિટ થિયરી અપનાવી બળવાનું જોખમ ટાળ્યું છે. સુરતની 11 બેઠકો પૈકીની એક માત્ર ઉધના સીટને બાદ કરતાં તમામ 10 બેઠકો પર ઉમેદવારોને રિપિટ કરાયા છે. તે જ પ્રકારે વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ઉમેદવારો રિપિટ કરાયા છે. સુરતમાં કુમાર કાનાણી, પ્રવીણભાઇ ઘોઘારી, સંગીતા પાટીલ, હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, પુર્ણેશ મોદીને જાળવી રાખવામાં આવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં બેને રિપિટ કર્યા છે અને બે નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં બે બેઠકો ઉપર નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. વલસાડમાં અરવિંદ પટેલ, કનુ દેસાઈ અને ભરત પટેલને જારી રખાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા તેમજ નિઝર વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે.


વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ


ભાજપે 182માંથી 160 નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે વર્તમાન 85 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, નીમા બહેન આચાર્ય બ્રજેશ મેરજા, આર. સી. ફળદુ,ધનજી પટેલ, મધુ શ્રીવાસ્તવ, પ્રદીપ પરમાર, રાકેશ શાહ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, સૌરભ પટેલ,સુરેશ પટેલ, વલ્લભ કાકડિયા, જગદીશ પટેલ, અરવિંદ પટેલ,  કૌશિક પટેલ, વિભાવરીબેન દવે,વાસણ આહિર, હિતુ કનોડિયા,લાખાભાઈ સાગઠીયા,હકુભા જાડેજા,ગોવિંદ પટેલ,અરવિંદ પટેલ,સુરેશ પટેલ, કિશોર ચૌહાણ,અરવિંદ રૈયાણી,જગદીશ પટેલ,યોગેશ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સહિતનો સમાવેશ થાય છે.


યાદીમાં 14 મહિલાઓને સ્થાન


માલતીબેન મહેશ્વરી-ગાંધીધામ,જિગ્નાબેન પંડયા-વઢવાણ, ડો. દર્શિતાબેન શાહ-રાજકોટ પશ્ચિમ, ભાનુ બેન બાબરિયા રાજકોટ ગ્રામીણ, ગીતાબા જાડેજા-ગોંડલ, રિવાબા જાડેજા-જામનગર ઉત્તર,ડો. દર્શનાબેન દેશમુખ -નાંદોદ, સંગીતા બેન પાટિલ-લિંબાયત, ભીખીબેન પરમાર-બાયડ, ડો. પાયલબેન કુકરાની-નરોડાકંચનબેન વિનુભાઇ રાદડિયા-ઠક્કરબાપા નગર, દર્શનાબેન વાઘેલા અસારવા, મોરવા હડફ - નિમિષાબેન સુથાર, મનીશાબેન વકીલ-વડોદરા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.


કોંગ્રેસના નેતાઓ માટે લાલ જાજમ


કોંગ્રેસ છોડીને જોડાયેલા નેતાઓને ભાજપે સાચવી લીધા છે. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપવામાં આવી છે. 2017માં કોંગ્રેસમાંથી લડનારા આ નેતાઓને ભાજપે ટિકિટ આપવામાં આવી છે. જેમાં (1) ભગા બારડ, તલાલા (2) રાજેન્દ્રસિંહ મોહન રાઠવા, છોટાઉદેપુર(3) હર્ષદ રિબડિયા, વિસાવદર(4) કુંવરજી બાવળિયા, જસદણ (5) જવાહર ચાવડા, માણાવદર (6) જીતુ ચૌધરી, કપરાડા(7) હાર્દિક પટેલ, વિરમગામ (8) રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય(9) જયેશ રાદડીયા, જેતપુર(10)પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા (11)જયદ્રથ સિંહ પરમાર, હાલોલ (12) બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર (13) અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા (14) જેવી કાકડિયા, ધારી (15) રાજેશ ઝાલા- કપડવંજ, કઠલાલ સીટ માટે ટિકિટ આપી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.