વિરમગામ અને ધંધુકા બેઠકને લઈ કોંગ્રેસનું કોંકળું ગુચવાયું, ઉમેદવાર અંગે પાર્ટીમાં ખેંચતાણ


  • Published By :
  • Published Date : 2022-11-14 21:46:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કર્યા છે, જો કે કેટલીક સીટો એવી છે જ્યાં ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. જેમ કે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી વિરમગામ અને ધંધુકા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બંને બેઠકોને લઈ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતી છે. 


યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ માંગી ટિકિટ


ધંધુકા અને વિરમગામ સીટને લઈ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મુંઝવણ વધારી છે.  હરપાલસિંહ ધંધુકા બેઠકથી ચૂંટણી લડવા જીદ કરી રહ્યા છે, જયારે પ્રદેશના નેતાઓએ ધંધુકા બેઠકની જીદ છોડવાનું કહેતા હરપાલસિંહે વિરમગામ બેઠક માંગી હતી. વિરમગામ બેઠકની માંગણી થતા પ્રદેશના નેતાઓમાં ખેંચતાણ વધી છે.


આ બંને સીટને લઈ રાજકારણ ગરમાયું


હરપાલસિંહ ચુડાસમાએ તેમની દાવેદારી નોંધાવી છે ત્યારે તે જાણવું પણ રસપ્રદ બની રહેશે હાલ વિરમગામ અને ધંધુકા બેઠક પર શું સ્થિતી છે. વર્તમાનમાં રાજેશ ગોહિલ ધંધુકાના ધારાસભ્ય છે.જયારે વિરમગામ બેઠક પર લાખા ભરવાડ વર્તમાન ધારાસભ્ય છે.જો વિરમગામ બેઠક હરપાલસિંહ ચુડાસમાને આપવામાં આવે તો ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ સામે તેમનો સીધો મુકાબલો થશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.