વિરમગામ અને ધંધુકા બેઠકને લઈ કોંગ્રેસનું કોંકળું ગુચવાયું, ઉમેદવાર અંગે પાર્ટીમાં ખેંચતાણ


  • Published By :
  • Published Date : 2022-11-14 21:46:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કર્યા છે, જો કે કેટલીક સીટો એવી છે જ્યાં ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. જેમ કે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી વિરમગામ અને ધંધુકા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બંને બેઠકોને લઈ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતી છે. 


યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ માંગી ટિકિટ


ધંધુકા અને વિરમગામ સીટને લઈ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મુંઝવણ વધારી છે.  હરપાલસિંહ ધંધુકા બેઠકથી ચૂંટણી લડવા જીદ કરી રહ્યા છે, જયારે પ્રદેશના નેતાઓએ ધંધુકા બેઠકની જીદ છોડવાનું કહેતા હરપાલસિંહે વિરમગામ બેઠક માંગી હતી. વિરમગામ બેઠકની માંગણી થતા પ્રદેશના નેતાઓમાં ખેંચતાણ વધી છે.


આ બંને સીટને લઈ રાજકારણ ગરમાયું


હરપાલસિંહ ચુડાસમાએ તેમની દાવેદારી નોંધાવી છે ત્યારે તે જાણવું પણ રસપ્રદ બની રહેશે હાલ વિરમગામ અને ધંધુકા બેઠક પર શું સ્થિતી છે. વર્તમાનમાં રાજેશ ગોહિલ ધંધુકાના ધારાસભ્ય છે.જયારે વિરમગામ બેઠક પર લાખા ભરવાડ વર્તમાન ધારાસભ્ય છે.જો વિરમગામ બેઠક હરપાલસિંહ ચુડાસમાને આપવામાં આવે તો ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ સામે તેમનો સીધો મુકાબલો થશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.