ઇલેક્સન ઈફેક્ટ: આદર્શ આચાર સંહિતાનો અમલ થતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 90% રોકડ વ્યવહારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 20:10:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ બે અઠવાડિયા બાકી છે, અને આદર્શ આચાર સંહિતા (MCC) લાગુ થતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લગભગ 90% રોકડ વ્યવહારો પર રોક લાગી ગઈ છે. RERAનો અમલ થયા પછી પારદર્શિતાના અનેક દાવા છતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો થાય છે. રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતો કહે છે કે કડક પોલીસ તપાસ અને અન્ય સરકારી એજન્સીઓની સતર્ક નજર હોવાને કારણે લોકો રોકડ લેવડ-દેવડ ટાળી રહ્યા છે.


ઈન્કવાયરી વધી, સોદા ઘટ્યા


રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોએ જણાવ્યું કે મકાનો, ફ્લેટ, દુકાનો અને ઓફિસ સ્પેશ માટે ઈન્કવાયરી આવે છે પરંતુ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી સોદા, ખાસ કરીને મોટી રોકડ સાથે સંકળાયેલા સોદાને રોકી દેવામાં આવ્યા છે. રિયલ્ટર્સે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કડક ચેકિંગને કારણે ડેવલપર્સ અને ખરીદદારો શહેરની આસપાસ રોકડની ટ્રાન્સફર કરવાનું જોખમ ટાળી રહ્યા છે. અમદાવાદમાં દિવસ-રાત વાહનોની તપાસ માટે 150 જેટલી પોલીસની ટીમો તૈનાત અને ચેકપોઈન્ટ્સ ઉભી કરવામાં આવી છે.


દિવાળી પહેલા સોદા નિપટાવી દેવાયા


એક ડેવલપરે જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર પર પ્રતિબંધ રહેશે તેવું સ્પષ્ટ થયું હોવાથી, અમે દિવાળી પહેલા શક્ય તેટલા સોદા નિપટાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અને હવે, શહેરમાં પોલીસની સક્રિયતા જોતા ડેવલપર્સ અને ખરીદદારો બંને રોકડની ટ્રાન્સફરથી સાવચેત બન્યા છે.”



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.