ઇલેક્સન ઈફેક્ટ: આદર્શ આચાર સંહિતાનો અમલ થતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 90% રોકડ વ્યવહારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 20:10:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ બે અઠવાડિયા બાકી છે, અને આદર્શ આચાર સંહિતા (MCC) લાગુ થતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લગભગ 90% રોકડ વ્યવહારો પર રોક લાગી ગઈ છે. RERAનો અમલ થયા પછી પારદર્શિતાના અનેક દાવા છતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો થાય છે. રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતો કહે છે કે કડક પોલીસ તપાસ અને અન્ય સરકારી એજન્સીઓની સતર્ક નજર હોવાને કારણે લોકો રોકડ લેવડ-દેવડ ટાળી રહ્યા છે.


ઈન્કવાયરી વધી, સોદા ઘટ્યા


રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોએ જણાવ્યું કે મકાનો, ફ્લેટ, દુકાનો અને ઓફિસ સ્પેશ માટે ઈન્કવાયરી આવે છે પરંતુ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી સોદા, ખાસ કરીને મોટી રોકડ સાથે સંકળાયેલા સોદાને રોકી દેવામાં આવ્યા છે. રિયલ્ટર્સે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કડક ચેકિંગને કારણે ડેવલપર્સ અને ખરીદદારો શહેરની આસપાસ રોકડની ટ્રાન્સફર કરવાનું જોખમ ટાળી રહ્યા છે. અમદાવાદમાં દિવસ-રાત વાહનોની તપાસ માટે 150 જેટલી પોલીસની ટીમો તૈનાત અને ચેકપોઈન્ટ્સ ઉભી કરવામાં આવી છે.


દિવાળી પહેલા સોદા નિપટાવી દેવાયા


એક ડેવલપરે જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર પર પ્રતિબંધ રહેશે તેવું સ્પષ્ટ થયું હોવાથી, અમે દિવાળી પહેલા શક્ય તેટલા સોદા નિપટાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અને હવે, શહેરમાં પોલીસની સક્રિયતા જોતા ડેવલપર્સ અને ખરીદદારો બંને રોકડની ટ્રાન્સફરથી સાવચેત બન્યા છે.”



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.