ઇલેક્સન ઈફેક્ટ: આદર્શ આચાર સંહિતાનો અમલ થતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 90% રોકડ વ્યવહારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 20:10:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ બે અઠવાડિયા બાકી છે, અને આદર્શ આચાર સંહિતા (MCC) લાગુ થતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લગભગ 90% રોકડ વ્યવહારો પર રોક લાગી ગઈ છે. RERAનો અમલ થયા પછી પારદર્શિતાના અનેક દાવા છતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો થાય છે. રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતો કહે છે કે કડક પોલીસ તપાસ અને અન્ય સરકારી એજન્સીઓની સતર્ક નજર હોવાને કારણે લોકો રોકડ લેવડ-દેવડ ટાળી રહ્યા છે.


ઈન્કવાયરી વધી, સોદા ઘટ્યા


રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોએ જણાવ્યું કે મકાનો, ફ્લેટ, દુકાનો અને ઓફિસ સ્પેશ માટે ઈન્કવાયરી આવે છે પરંતુ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી સોદા, ખાસ કરીને મોટી રોકડ સાથે સંકળાયેલા સોદાને રોકી દેવામાં આવ્યા છે. રિયલ્ટર્સે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કડક ચેકિંગને કારણે ડેવલપર્સ અને ખરીદદારો શહેરની આસપાસ રોકડની ટ્રાન્સફર કરવાનું જોખમ ટાળી રહ્યા છે. અમદાવાદમાં દિવસ-રાત વાહનોની તપાસ માટે 150 જેટલી પોલીસની ટીમો તૈનાત અને ચેકપોઈન્ટ્સ ઉભી કરવામાં આવી છે.


દિવાળી પહેલા સોદા નિપટાવી દેવાયા


એક ડેવલપરે જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર પર પ્રતિબંધ રહેશે તેવું સ્પષ્ટ થયું હોવાથી, અમે દિવાળી પહેલા શક્ય તેટલા સોદા નિપટાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અને હવે, શહેરમાં પોલીસની સક્રિયતા જોતા ડેવલપર્સ અને ખરીદદારો બંને રોકડની ટ્રાન્સફરથી સાવચેત બન્યા છે.”



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.