રાધનપુરમાં ટિકિટ માટે આંતરકલહ શરૂ, અલ્પેશ ઠાકોર સામે લવિંગજી અને નાગરજી સમીમાં શક્તિપ્રદર્શન કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:15:27

કોઈ પણ ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓના નેતાઓ વચ્ચે ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ જતી હોય છે. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પણ ટિકિટને લઈ રાજકારણ ગરમાયું છે. રાધનપુર વિધાનસભા બેઠકની ટીકીટને લઈ ભાજપમાં જ કકળાટ શરૂ થયો છે. 


અલ્પેશ ઠાકોર સામે રાધનપુરમાં વિરોધ શરૂ


રાધનપુર વિધાનસભા બેઠક માટે ભાજપમાં આંતરવિરોધ શરૂ થઈ ગયો છે. પાર્ટીમાં આંતરિક મતભેદો ખુલીને બહાર આવી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમખ સીઆર પાટીલે અલ્પેશ ઠાકોરને આડકતરી રીતે રાધનપુર બેઠક માટે શુભેચ્છાઓ આપતા સ્થાનિક ભાજપના નેતાઓ ટિકિટ માટે ચણભણ શરૂ કરી દીધી છે.  રાધનપુરમાં 'જીતશે સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક' તેવું લખાણવાળી પત્રિકા થઈ ફરતી. ટિકિટ મુદ્દે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

 


લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરનું સમીમાં શક્તિ પ્રદર્શન


અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક નેતાઓ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર છે. તેમણે ટીકીટ માંગ ને લઈ પ્રયાસો શરૂ પણ કરી દીધા છે. સમીના રણાવાડા ગામે લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં મહાસંમેલન યોજીને શક્તિપ્રદર્શન કરશે. 11 ઓક્ટોબરે યોજાનારા આ મહાસંમેલનમાં અઢારે આલમ સમાજનાં લોકો હાજર રહે તેવુ મનાય છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.