રાધનપુરમાં ટિકિટ માટે આંતરકલહ શરૂ, અલ્પેશ ઠાકોર સામે લવિંગજી અને નાગરજી સમીમાં શક્તિપ્રદર્શન કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:15:27

કોઈ પણ ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓના નેતાઓ વચ્ચે ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ જતી હોય છે. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પણ ટિકિટને લઈ રાજકારણ ગરમાયું છે. રાધનપુર વિધાનસભા બેઠકની ટીકીટને લઈ ભાજપમાં જ કકળાટ શરૂ થયો છે. 


અલ્પેશ ઠાકોર સામે રાધનપુરમાં વિરોધ શરૂ


રાધનપુર વિધાનસભા બેઠક માટે ભાજપમાં આંતરવિરોધ શરૂ થઈ ગયો છે. પાર્ટીમાં આંતરિક મતભેદો ખુલીને બહાર આવી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમખ સીઆર પાટીલે અલ્પેશ ઠાકોરને આડકતરી રીતે રાધનપુર બેઠક માટે શુભેચ્છાઓ આપતા સ્થાનિક ભાજપના નેતાઓ ટિકિટ માટે ચણભણ શરૂ કરી દીધી છે.  રાધનપુરમાં 'જીતશે સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક' તેવું લખાણવાળી પત્રિકા થઈ ફરતી. ટિકિટ મુદ્દે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

 


લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરનું સમીમાં શક્તિ પ્રદર્શન


અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક નેતાઓ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર છે. તેમણે ટીકીટ માંગ ને લઈ પ્રયાસો શરૂ પણ કરી દીધા છે. સમીના રણાવાડા ગામે લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં મહાસંમેલન યોજીને શક્તિપ્રદર્શન કરશે. 11 ઓક્ટોબરે યોજાનારા આ મહાસંમેલનમાં અઢારે આલમ સમાજનાં લોકો હાજર રહે તેવુ મનાય છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"