Gujarat : ક્યાં કેટલા ટકા થયું મતદાન Election Commissionએ આપી માહિતી, Navsari, Gandhinagar કરતા Bharuch, Valsadમાં વધારે થયું મતદાન..!


  • Published By :
  • Published Date : 2024-05-09 12:35:14

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે... જે આંકડા સામે આવ્યા છે તે મુજબ સૌથી વધારે મતદાન વલસાડ જિલ્લામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે... 60 ટકાથી વધારે મતદાન જ્યાં થયું છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી અને વલસાડ..

આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

સામે આવેલા આંકડા અનુસાર કચ્છમાં 56.14 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 69.92 ટકા, પાટણમાં 58.56 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 59.86 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 63.56 ટકા મતદાન, ગાંધીનગરમાં 59.80 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં54.72 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 55.45 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 55.09 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 51.83 ટકા મતદાન થયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 57.67 ટકા મતદાન, જૂનાગઢમાં 58.91 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 50.29 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 53.92 ટકા મતદાન થયું છે. આણંદમાં 65.04 ટકા મતદાન થયું છે. ખેડામાં 58.12 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 58.85 ટકા મતદાન થયું છે. દાહોદમાં 59.31 ટકા મતદાન થયું છે. વડોદરામાં 61.59 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 69.15 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 69.15 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 64.81 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 59.66 ટકા મતદાન થયું છે. વલસાડમાં 72.71 ટકા મતદાન થયું છે...    



મતદાન ઓછું થવા પાછળના કારણો? 

આ વખતે મતદાન ઓછું થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.. સૌથી પહેલું કારણ છે ગરમી.. મતદાનના દિવસે તાપમાનનો પારો ઘણો ઉંચો હતો.. તે સિવાય પાર્ટીના કાર્યકરો નિષ્ક્રીય દેખાયા હતા.. ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે દેખાયો હતો આ વખતે.. ઉમેદવારોની પસંદગીને લઈ કાર્યકરોમાં નારાજગી હતી જેને કારણે તેમનામાં ઉત્સાહ દેખાયો ના હતો.. 


પક્ષપલટાથી મતદાતા પરેશાન થઈ ગયા છે?  

તે સિવાય જે માહોલ આની પહેલાની ચૂંટણીઓમાં દેખાયો હતો તેવો માહોલ આ વખતની ચૂંટણીમાં ના દેખાયો.. ભાજપમાં થયેલા કોંગ્રેસીકરણને કારણે પણ મતદાન ઓછું થઈ શક્યું હોવાનું એક કારણ હોઈ શકે છે. નેતાઓ દ્વારા કરવામાં આવતો પક્ષપલટાએ પણ મતદાતાના માનસ પર અસર પાડી હોઈ શકે છે. તે સિવાય આ વખતે નબળો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો.. .જેવી સભાઓ પહેલા સંબોધવામાં આવતી તેવી આ વખતે જોવા મળી ના હતી..ઉલ્લેખનિય છે કે જેટલા મત પડ્યા છે તે કોને ફાયદો કરાવશે તે તો ચોથી જૂનને જ ખબર પડશે...   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.