Gujarat : ક્યાં કેટલા ટકા થયું મતદાન Election Commissionએ આપી માહિતી, Navsari, Gandhinagar કરતા Bharuch, Valsadમાં વધારે થયું મતદાન..!


  • Published By :
  • Published Date : 2024-05-09 12:35:14

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે... જે આંકડા સામે આવ્યા છે તે મુજબ સૌથી વધારે મતદાન વલસાડ જિલ્લામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે... 60 ટકાથી વધારે મતદાન જ્યાં થયું છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી અને વલસાડ..

આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

સામે આવેલા આંકડા અનુસાર કચ્છમાં 56.14 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 69.92 ટકા, પાટણમાં 58.56 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 59.86 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 63.56 ટકા મતદાન, ગાંધીનગરમાં 59.80 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં54.72 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 55.45 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 55.09 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 51.83 ટકા મતદાન થયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 57.67 ટકા મતદાન, જૂનાગઢમાં 58.91 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 50.29 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 53.92 ટકા મતદાન થયું છે. આણંદમાં 65.04 ટકા મતદાન થયું છે. ખેડામાં 58.12 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 58.85 ટકા મતદાન થયું છે. દાહોદમાં 59.31 ટકા મતદાન થયું છે. વડોદરામાં 61.59 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 69.15 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 69.15 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 64.81 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 59.66 ટકા મતદાન થયું છે. વલસાડમાં 72.71 ટકા મતદાન થયું છે...    



મતદાન ઓછું થવા પાછળના કારણો? 

આ વખતે મતદાન ઓછું થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.. સૌથી પહેલું કારણ છે ગરમી.. મતદાનના દિવસે તાપમાનનો પારો ઘણો ઉંચો હતો.. તે સિવાય પાર્ટીના કાર્યકરો નિષ્ક્રીય દેખાયા હતા.. ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે દેખાયો હતો આ વખતે.. ઉમેદવારોની પસંદગીને લઈ કાર્યકરોમાં નારાજગી હતી જેને કારણે તેમનામાં ઉત્સાહ દેખાયો ના હતો.. 


પક્ષપલટાથી મતદાતા પરેશાન થઈ ગયા છે?  

તે સિવાય જે માહોલ આની પહેલાની ચૂંટણીઓમાં દેખાયો હતો તેવો માહોલ આ વખતની ચૂંટણીમાં ના દેખાયો.. ભાજપમાં થયેલા કોંગ્રેસીકરણને કારણે પણ મતદાન ઓછું થઈ શક્યું હોવાનું એક કારણ હોઈ શકે છે. નેતાઓ દ્વારા કરવામાં આવતો પક્ષપલટાએ પણ મતદાતાના માનસ પર અસર પાડી હોઈ શકે છે. તે સિવાય આ વખતે નબળો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો.. .જેવી સભાઓ પહેલા સંબોધવામાં આવતી તેવી આ વખતે જોવા મળી ના હતી..ઉલ્લેખનિય છે કે જેટલા મત પડ્યા છે તે કોને ફાયદો કરાવશે તે તો ચોથી જૂનને જ ખબર પડશે...   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.