Gujarat : ક્યાં કેટલા ટકા થયું મતદાન Election Commissionએ આપી માહિતી, Navsari, Gandhinagar કરતા Bharuch, Valsadમાં વધારે થયું મતદાન..!


  • Published By :
  • Published Date : 2024-05-09 12:35:14

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે... જે આંકડા સામે આવ્યા છે તે મુજબ સૌથી વધારે મતદાન વલસાડ જિલ્લામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે... 60 ટકાથી વધારે મતદાન જ્યાં થયું છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી અને વલસાડ..

આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

સામે આવેલા આંકડા અનુસાર કચ્છમાં 56.14 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 69.92 ટકા, પાટણમાં 58.56 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 59.86 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 63.56 ટકા મતદાન, ગાંધીનગરમાં 59.80 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં54.72 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 55.45 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 55.09 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 51.83 ટકા મતદાન થયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 57.67 ટકા મતદાન, જૂનાગઢમાં 58.91 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 50.29 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 53.92 ટકા મતદાન થયું છે. આણંદમાં 65.04 ટકા મતદાન થયું છે. ખેડામાં 58.12 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 58.85 ટકા મતદાન થયું છે. દાહોદમાં 59.31 ટકા મતદાન થયું છે. વડોદરામાં 61.59 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 69.15 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 69.15 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 64.81 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 59.66 ટકા મતદાન થયું છે. વલસાડમાં 72.71 ટકા મતદાન થયું છે...    



મતદાન ઓછું થવા પાછળના કારણો? 

આ વખતે મતદાન ઓછું થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.. સૌથી પહેલું કારણ છે ગરમી.. મતદાનના દિવસે તાપમાનનો પારો ઘણો ઉંચો હતો.. તે સિવાય પાર્ટીના કાર્યકરો નિષ્ક્રીય દેખાયા હતા.. ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે દેખાયો હતો આ વખતે.. ઉમેદવારોની પસંદગીને લઈ કાર્યકરોમાં નારાજગી હતી જેને કારણે તેમનામાં ઉત્સાહ દેખાયો ના હતો.. 


પક્ષપલટાથી મતદાતા પરેશાન થઈ ગયા છે?  

તે સિવાય જે માહોલ આની પહેલાની ચૂંટણીઓમાં દેખાયો હતો તેવો માહોલ આ વખતની ચૂંટણીમાં ના દેખાયો.. ભાજપમાં થયેલા કોંગ્રેસીકરણને કારણે પણ મતદાન ઓછું થઈ શક્યું હોવાનું એક કારણ હોઈ શકે છે. નેતાઓ દ્વારા કરવામાં આવતો પક્ષપલટાએ પણ મતદાતાના માનસ પર અસર પાડી હોઈ શકે છે. તે સિવાય આ વખતે નબળો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો.. .જેવી સભાઓ પહેલા સંબોધવામાં આવતી તેવી આ વખતે જોવા મળી ના હતી..ઉલ્લેખનિય છે કે જેટલા મત પડ્યા છે તે કોને ફાયદો કરાવશે તે તો ચોથી જૂનને જ ખબર પડશે...   



આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.