Gujarat : ક્યાં કેટલા ટકા થયું મતદાન Election Commissionએ આપી માહિતી, Navsari, Gandhinagar કરતા Bharuch, Valsadમાં વધારે થયું મતદાન..!


  • Published By :
  • Published Date : 2024-05-09 12:35:14

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે... જે આંકડા સામે આવ્યા છે તે મુજબ સૌથી વધારે મતદાન વલસાડ જિલ્લામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે... 60 ટકાથી વધારે મતદાન જ્યાં થયું છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી અને વલસાડ..

આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

સામે આવેલા આંકડા અનુસાર કચ્છમાં 56.14 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 69.92 ટકા, પાટણમાં 58.56 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 59.86 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 63.56 ટકા મતદાન, ગાંધીનગરમાં 59.80 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં54.72 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 55.45 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 55.09 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 51.83 ટકા મતદાન થયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 57.67 ટકા મતદાન, જૂનાગઢમાં 58.91 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 50.29 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 53.92 ટકા મતદાન થયું છે. આણંદમાં 65.04 ટકા મતદાન થયું છે. ખેડામાં 58.12 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 58.85 ટકા મતદાન થયું છે. દાહોદમાં 59.31 ટકા મતદાન થયું છે. વડોદરામાં 61.59 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 69.15 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 69.15 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 64.81 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 59.66 ટકા મતદાન થયું છે. વલસાડમાં 72.71 ટકા મતદાન થયું છે...    



મતદાન ઓછું થવા પાછળના કારણો? 

આ વખતે મતદાન ઓછું થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.. સૌથી પહેલું કારણ છે ગરમી.. મતદાનના દિવસે તાપમાનનો પારો ઘણો ઉંચો હતો.. તે સિવાય પાર્ટીના કાર્યકરો નિષ્ક્રીય દેખાયા હતા.. ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે દેખાયો હતો આ વખતે.. ઉમેદવારોની પસંદગીને લઈ કાર્યકરોમાં નારાજગી હતી જેને કારણે તેમનામાં ઉત્સાહ દેખાયો ના હતો.. 


પક્ષપલટાથી મતદાતા પરેશાન થઈ ગયા છે?  

તે સિવાય જે માહોલ આની પહેલાની ચૂંટણીઓમાં દેખાયો હતો તેવો માહોલ આ વખતની ચૂંટણીમાં ના દેખાયો.. ભાજપમાં થયેલા કોંગ્રેસીકરણને કારણે પણ મતદાન ઓછું થઈ શક્યું હોવાનું એક કારણ હોઈ શકે છે. નેતાઓ દ્વારા કરવામાં આવતો પક્ષપલટાએ પણ મતદાતાના માનસ પર અસર પાડી હોઈ શકે છે. તે સિવાય આ વખતે નબળો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો.. .જેવી સભાઓ પહેલા સંબોધવામાં આવતી તેવી આ વખતે જોવા મળી ના હતી..ઉલ્લેખનિય છે કે જેટલા મત પડ્યા છે તે કોને ફાયદો કરાવશે તે તો ચોથી જૂનને જ ખબર પડશે...   



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.