ગુજરાતની ચૂંટણીનું આજે થશે એલાન: EC આજે બપોરે 12 કલાકે કરશે પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2022-11-03 22:10:28

 કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ 
 પ્રથમ તબક્કો તા. 29 અથવા 30 નવેમ્બરે 
 બીજો તબક્કો તા.4 અથવા 5 ડિસેમ્બરે
 મત ગણતરી હિમાચલની સાથે તા. 8 ડિસેમ્બરે થશે 
 આજ બપોરથી જ ગુજરાતમાં લાગુ થશે આચાર સહિતા..


ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 2022: ચૂંટણી પંચ ગુરુવાર, 3 નવેમ્બર, 2022 ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુજરાતમાં ગયા વર્ષની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મતગણતરી તારીખ 8 ડિસેમ્બર રહેશે. કારણ કે હિમાચલ ચૂંટણીના પરિણામોની તારીખ પણ 8મી ડિસેમ્બર છે.


ચૂંટણી પંચ ગુરુવારે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચે કાર્યક્રમની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદ બોલાવી છે.

Election Commission: Waiting in Himachal Pradesh on November 12 and results  will come on December 8, EC announced - Hindu Wire

ચૂંટણી પંચે આ મહિનાની શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી ન હતી. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Election 2019, Delhi AAP and Congress Alliance LIVE Updates: 'Tried  Everything But Cong Refused to Compromise': AAP on Alliance

હિમાચલ પ્રદેશની મત ગણતરીની તારીખ મતદાનના લગભગ એક મહિના પછી યથાવત રાખીને ચૂંટણી પંચે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ગુજરાતમાં પણ મતગણતરી 8 ડિસેમ્બરે થશે. 2017માં પણ બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મતગણતરી એક સાથે 18 ડિસેમ્બરે થઈ હતી.


ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ 1998, 2007 અને 2012માં એક સાથે યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.