ગુજરાતની ચૂંટણીનું આજે થશે એલાન: EC આજે બપોરે 12 કલાકે કરશે પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2022-11-03 22:10:28

 કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ 
 પ્રથમ તબક્કો તા. 29 અથવા 30 નવેમ્બરે 
 બીજો તબક્કો તા.4 અથવા 5 ડિસેમ્બરે
 મત ગણતરી હિમાચલની સાથે તા. 8 ડિસેમ્બરે થશે 
 આજ બપોરથી જ ગુજરાતમાં લાગુ થશે આચાર સહિતા..


ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 2022: ચૂંટણી પંચ ગુરુવાર, 3 નવેમ્બર, 2022 ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુજરાતમાં ગયા વર્ષની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મતગણતરી તારીખ 8 ડિસેમ્બર રહેશે. કારણ કે હિમાચલ ચૂંટણીના પરિણામોની તારીખ પણ 8મી ડિસેમ્બર છે.


ચૂંટણી પંચ ગુરુવારે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચે કાર્યક્રમની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદ બોલાવી છે.

Election Commission: Waiting in Himachal Pradesh on November 12 and results  will come on December 8, EC announced - Hindu Wire

ચૂંટણી પંચે આ મહિનાની શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી ન હતી. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Election 2019, Delhi AAP and Congress Alliance LIVE Updates: 'Tried  Everything But Cong Refused to Compromise': AAP on Alliance

હિમાચલ પ્રદેશની મત ગણતરીની તારીખ મતદાનના લગભગ એક મહિના પછી યથાવત રાખીને ચૂંટણી પંચે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ગુજરાતમાં પણ મતગણતરી 8 ડિસેમ્બરે થશે. 2017માં પણ બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મતગણતરી એક સાથે 18 ડિસેમ્બરે થઈ હતી.


ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ 1998, 2007 અને 2012માં એક સાથે યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે