ગુજરાતની ચૂંટણીનું આજે થશે એલાન: EC આજે બપોરે 12 કલાકે કરશે પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2022-11-03 22:10:28

 કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ 
 પ્રથમ તબક્કો તા. 29 અથવા 30 નવેમ્બરે 
 બીજો તબક્કો તા.4 અથવા 5 ડિસેમ્બરે
 મત ગણતરી હિમાચલની સાથે તા. 8 ડિસેમ્બરે થશે 
 આજ બપોરથી જ ગુજરાતમાં લાગુ થશે આચાર સહિતા..


ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 2022: ચૂંટણી પંચ ગુરુવાર, 3 નવેમ્બર, 2022 ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુજરાતમાં ગયા વર્ષની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મતગણતરી તારીખ 8 ડિસેમ્બર રહેશે. કારણ કે હિમાચલ ચૂંટણીના પરિણામોની તારીખ પણ 8મી ડિસેમ્બર છે.


ચૂંટણી પંચ ગુરુવારે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચે કાર્યક્રમની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદ બોલાવી છે.

Election Commission: Waiting in Himachal Pradesh on November 12 and results  will come on December 8, EC announced - Hindu Wire

ચૂંટણી પંચે આ મહિનાની શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી ન હતી. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Election 2019, Delhi AAP and Congress Alliance LIVE Updates: 'Tried  Everything But Cong Refused to Compromise': AAP on Alliance

હિમાચલ પ્રદેશની મત ગણતરીની તારીખ મતદાનના લગભગ એક મહિના પછી યથાવત રાખીને ચૂંટણી પંચે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ગુજરાતમાં પણ મતગણતરી 8 ડિસેમ્બરે થશે. 2017માં પણ બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મતગણતરી એક સાથે 18 ડિસેમ્બરે થઈ હતી.


ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ 1998, 2007 અને 2012માં એક સાથે યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"