સરકાર વિરોધી માહોલથી ચિંતિંત અમિત શાહ આજે કમલમમાં યોજશે હાઈ લેવલની બેઠકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:10:06

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર વિરોધી ધરણા-પ્રદર્શનોએ સરકારની ચિંતા વધારી છે. છેલ્લા 27 વર્ષથી શાસન કરતા ભાજપની નેતૃત્વ વિરૂધ્ધ લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર આ 'એન્ટી ઈન્કમ્બન્સી' ખાળવા માટે તમામ પ્રયાસો કરી રહી છે જો કે હજુ સુધી જોઈએ તેવી સફળતા મળી નથી. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ હવે મેદાનમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બે દિવસના તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી રેલીને સંબોધી હતી.  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાલ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આજે પાર્ટીના સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક કરશે.


અમિત શાહની આજે કોર કમિટીના સભ્યો સાથે બેઠક


અમિત શાહ કોઈ પણ રીતે ભાજપનો ગઢ બચાવવા કૃતસંકલ્પ છે. ગુજરાતમાં ભાાજપનું શાસન ટકી રહે તે માટે આજે અમિત શાહ ચાર બેઠકો કરશે. આ બેઠકોની તૈયારીને લઈ ભાજપ કાર્યાલયમાં ધમધમાટ  જોવા મળા રહ્યો છે. અમિત શાહ પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખ સાથે બેઠક કરશે. વિધાનસભા ચૂંટણીના ઈન્ચાર્જ, ભાજપની કોર કમિટીના સભ્ય સાથે પણ તેમજ  વ્યવસ્થાપક ટીમ સાથે અમિત શાહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.


શા માટે ભાજપ માટે ગુજરાતની ચૂંટણી મહત્વની?


આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થશે. રાજ્યમાં આપને મધ્યમ વર્ગનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. હવે આ જ મધ્યમ વર્ગ ભાજપની પણ કોર વોટ બેંક છે. જો કે અસહ્ય મોંઘવારી, મોંઘુ શિક્ષણ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, તથા રાજ્યમાં વધી રહેલી દારૂ અને ડ્ર્ગ્સના વેચાણથી મધ્યમ વર્ગ ભાજપથી વિમુખ થઈ રહ્યો છે. તો બીજી બાજુ આપના નેતા કેજરીવાલે રાજ્યના લોકો માટે વિવિધ ગેરન્ટી યોજનાઓની જાહેરાત કરી છે. આ કારણે ભાજપના ટોચનું નેતૃત્વ ખુબ જ ચિંતિત છે. જો ભાજપ ગુજરાતમાં ચૂંટણી હારી જાય તો તેની સીધી વિપરીત અસર 2024ની લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. આ કારણે ભાજપ માટે આ વખતની ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતી સર્જાઈ છે. ભાજપની ટોચની નેતાગીરી પણ તમામ દમદાર તૈયારીઓ અને રાજકીય સમીકરણોના સોગઠા સાથે  મેદાનમાં ઉતરશે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે