રાજકોટ ભાજપમાં આંતરકલહ, મંત્રી અરવિંદ રૈયાણી સામે સ્થાનિક નેતાઓએ જ કાઢી હૈયાવરાળ


  • Published By :
  • Published Date : 2022-10-30 12:52:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેમ-તેમ ભાજપનો આંતરકલહ સપાટી પર આવી રહ્યો છે. ચૂંટણી પહેલા ભાજપમાં જોવા મળી રહેલા આંતરિક જૂથવાદથી અગ્રણી નેતાઓ પણ ચિંતિત છે. બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં રાજકોટની પૂર્વ બેઠક ને લઈ ખેંચતાણ જોવા મળી હતી. ચૂંટણી પહેલા આ જૂથવાદ ઠારવા ભાજપના દિગ્ગજ નેતાઓ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે હોદ્દેદારો, આગેવાને અને કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી હતી.


મંત્રી અરવિંદ રૈયાણીનો સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ કર્યો વિરોધ


રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન મંત્રી અરવિંદ રૈયાણી સામેનો અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો. રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીનો વિરોધ કરાયો હતો. પાર્ટીના સ્થાનિક નેતાઓ અશ્વિન મોલીયા, મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણીએ રાજકોટ પૂર્વ વિસ્તારમાં વિકાસ ન થયો હોવાનો રૈયાણી પર આરોપ લગાવ્યો હતો. મુકેશ રાદડીયાએ કહ્યું કે આ બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી પરંતુ વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના વધતા જૂથવાદ, અસંતોષ અને આંતરકલહને રોકવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ સંતોષ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. 


રાજકોટ પૂર્વની સીટ પર ભાજપમાંથી કોણ છે મેદાનમાં? 


રાજકોટની પૂર્વ બેઠકના દાવેદારોનું લીસ્ટ બહું લાબું છે. અરવિંદ રૈયાણી સામે અનેક લોકોએ તેમની દાવેદારી નોંધાવી છે. જેમ કે રમેશ પરમાર, સંજય ગોસ્વામી, અરવિંદ રૈયાણી, અસ્વિન મોલ્યા, દલસુખ જાગાણી, બાબુભાઇ માટીયા, પરેશ લીંબાસીયા, જયંતિ સરધારા, ઉદય કાનગડ, ભારતીબેન પરસાણા, દેવાંગ કુકાવા, પોપટ ટોળીયા, ખીમજી મકવાણા, મનસુખ પીપળીયા, તેજસ ભટ્ટી, વલ્લભભાઈ દુધાત્રા, સંજય હિરાણી, રશિક વોરા, મુકેશ રાદડિયા અને રશિલા સાકરીયાનો સમાવેશ થાય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.