રાજકોટ ભાજપમાં આંતરકલહ, મંત્રી અરવિંદ રૈયાણી સામે સ્થાનિક નેતાઓએ જ કાઢી હૈયાવરાળ


  • Published By :
  • Published Date : 2022-10-30 12:52:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેમ-તેમ ભાજપનો આંતરકલહ સપાટી પર આવી રહ્યો છે. ચૂંટણી પહેલા ભાજપમાં જોવા મળી રહેલા આંતરિક જૂથવાદથી અગ્રણી નેતાઓ પણ ચિંતિત છે. બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં રાજકોટની પૂર્વ બેઠક ને લઈ ખેંચતાણ જોવા મળી હતી. ચૂંટણી પહેલા આ જૂથવાદ ઠારવા ભાજપના દિગ્ગજ નેતાઓ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે હોદ્દેદારો, આગેવાને અને કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી હતી.


મંત્રી અરવિંદ રૈયાણીનો સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ કર્યો વિરોધ


રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન મંત્રી અરવિંદ રૈયાણી સામેનો અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો. રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીનો વિરોધ કરાયો હતો. પાર્ટીના સ્થાનિક નેતાઓ અશ્વિન મોલીયા, મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણીએ રાજકોટ પૂર્વ વિસ્તારમાં વિકાસ ન થયો હોવાનો રૈયાણી પર આરોપ લગાવ્યો હતો. મુકેશ રાદડીયાએ કહ્યું કે આ બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી પરંતુ વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના વધતા જૂથવાદ, અસંતોષ અને આંતરકલહને રોકવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ સંતોષ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. 


રાજકોટ પૂર્વની સીટ પર ભાજપમાંથી કોણ છે મેદાનમાં? 


રાજકોટની પૂર્વ બેઠકના દાવેદારોનું લીસ્ટ બહું લાબું છે. અરવિંદ રૈયાણી સામે અનેક લોકોએ તેમની દાવેદારી નોંધાવી છે. જેમ કે રમેશ પરમાર, સંજય ગોસ્વામી, અરવિંદ રૈયાણી, અસ્વિન મોલ્યા, દલસુખ જાગાણી, બાબુભાઇ માટીયા, પરેશ લીંબાસીયા, જયંતિ સરધારા, ઉદય કાનગડ, ભારતીબેન પરસાણા, દેવાંગ કુકાવા, પોપટ ટોળીયા, ખીમજી મકવાણા, મનસુખ પીપળીયા, તેજસ ભટ્ટી, વલ્લભભાઈ દુધાત્રા, સંજય હિરાણી, રશિક વોરા, મુકેશ રાદડિયા અને રશિલા સાકરીયાનો સમાવેશ થાય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.