રાજકોટ ભાજપમાં આંતરકલહ, મંત્રી અરવિંદ રૈયાણી સામે સ્થાનિક નેતાઓએ જ કાઢી હૈયાવરાળ


  • Published By :
  • Published Date : 2022-10-30 12:52:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેમ-તેમ ભાજપનો આંતરકલહ સપાટી પર આવી રહ્યો છે. ચૂંટણી પહેલા ભાજપમાં જોવા મળી રહેલા આંતરિક જૂથવાદથી અગ્રણી નેતાઓ પણ ચિંતિત છે. બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં રાજકોટની પૂર્વ બેઠક ને લઈ ખેંચતાણ જોવા મળી હતી. ચૂંટણી પહેલા આ જૂથવાદ ઠારવા ભાજપના દિગ્ગજ નેતાઓ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે હોદ્દેદારો, આગેવાને અને કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી હતી.


મંત્રી અરવિંદ રૈયાણીનો સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ કર્યો વિરોધ


રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન મંત્રી અરવિંદ રૈયાણી સામેનો અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો. રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીનો વિરોધ કરાયો હતો. પાર્ટીના સ્થાનિક નેતાઓ અશ્વિન મોલીયા, મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણીએ રાજકોટ પૂર્વ વિસ્તારમાં વિકાસ ન થયો હોવાનો રૈયાણી પર આરોપ લગાવ્યો હતો. મુકેશ રાદડીયાએ કહ્યું કે આ બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી પરંતુ વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના વધતા જૂથવાદ, અસંતોષ અને આંતરકલહને રોકવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ સંતોષ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. 


રાજકોટ પૂર્વની સીટ પર ભાજપમાંથી કોણ છે મેદાનમાં? 


રાજકોટની પૂર્વ બેઠકના દાવેદારોનું લીસ્ટ બહું લાબું છે. અરવિંદ રૈયાણી સામે અનેક લોકોએ તેમની દાવેદારી નોંધાવી છે. જેમ કે રમેશ પરમાર, સંજય ગોસ્વામી, અરવિંદ રૈયાણી, અસ્વિન મોલ્યા, દલસુખ જાગાણી, બાબુભાઇ માટીયા, પરેશ લીંબાસીયા, જયંતિ સરધારા, ઉદય કાનગડ, ભારતીબેન પરસાણા, દેવાંગ કુકાવા, પોપટ ટોળીયા, ખીમજી મકવાણા, મનસુખ પીપળીયા, તેજસ ભટ્ટી, વલ્લભભાઈ દુધાત્રા, સંજય હિરાણી, રશિક વોરા, મુકેશ રાદડિયા અને રશિલા સાકરીયાનો સમાવેશ થાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.