સુરતના કામરેજના 81 સભ્યોના આ પરિવારે મતદાન દ્વારા લોકશાહીના પર્વની કરી ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-12-01 11:47:20

દેશ અને રાજ્યમાં સંયુક્ત પરિવારો તુટી રહ્યા છે અને ભાઈ-બહેન વચ્ચે કે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા સામાન્ય ઘટના બની ગયા છે, ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતો 81 સભ્યોનો આ પરિવાર એકતા, સંવાદિતા અને પારિવાકરિક બંધુત્વનું અનોખું દ્રષ્ટાંત બની ગયો છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, આ પરિવાર તેમના મતાધિકારને લઈ ખુબ જ સજાગ છે અને પરિવારના તમામ સભ્યોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


મતદાનનો સંદેશ


કામરેજમાં સોલંકી પરિવાર એક સંદેશ આપવા માંગે છે કે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો કેટલો જરૂરી છે. પરિવારમાં સૌથી મોટા મતદાર 82 વર્ષના શામજીભાઈ છે અને સૌથી નાના 18 વર્ષના પાર્થ અને વેદાંત છે જેઓ આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. સોલંકી પરિવારનો મતદાન વિસ્તાર નવાગામમાં છે. આ પરિવાર તેમના વિવિધ વાહનો સાથે મતદાન કરવા પહોંચ્યો ત્યારે નજારો જોવા જેવો હતો. આ પરિવારના 81 સભ્યોમાંથી 60 તો નોંધાયેલા મતદારો છે. આ પરિવારના તમામ સભ્યો તો મતદાન કરે છે પણ અન્ય લોકોને પણ તે માટે પ્રેરણા આપે છે.


છ ભાઈઓનો પરિવાર


બોટાદના લાખિયાણી ગામના વતની અને વ્યવસાયે લુહાર એવા લાલજી સોલંકી સુરતના કામરેજમાં 1985માં આવીને વસ્યા હતા. લાલજી સોલંકી છ ભાઈઓ પણ સુરત શહેરના કામરેજમાં સ્થાયી થયા છે. તેમણે તેમના ભાઈઓ સાથે મળીને ખેતીના સાધનો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પરિવાર વધતો ગયો. હાલમાં, પરિવારનું કદ 96 છે જેમાંથી 15 ગામમાં રહે છે જ્યારે 81 કામરેજમાં રહે છે.


તેઓ જે ઘરમાં રહે છે તેમાં એક વિશાળ હોલ છે, કૌટુંબિક પ્રસંગો માટે આ હોલને ખાસ રીતે સજાવવામાં આવે છે. જો કે આ પરિવાર પણ ફેલાઈ રહ્યો છે તેમ જગ્યાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પરિવારે  જ્ઞાતિ કે અન્ય કોઈ ઝંઝટમાં પડ્યા વગર  સંયુક્તપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે સાથે મળીને મતદાન કરવાનું નક્કી કર્યું છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.