સુરતના કામરેજના 81 સભ્યોના આ પરિવારે મતદાન દ્વારા લોકશાહીના પર્વની કરી ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-12-01 11:47:20

દેશ અને રાજ્યમાં સંયુક્ત પરિવારો તુટી રહ્યા છે અને ભાઈ-બહેન વચ્ચે કે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા સામાન્ય ઘટના બની ગયા છે, ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતો 81 સભ્યોનો આ પરિવાર એકતા, સંવાદિતા અને પારિવાકરિક બંધુત્વનું અનોખું દ્રષ્ટાંત બની ગયો છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, આ પરિવાર તેમના મતાધિકારને લઈ ખુબ જ સજાગ છે અને પરિવારના તમામ સભ્યોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


મતદાનનો સંદેશ


કામરેજમાં સોલંકી પરિવાર એક સંદેશ આપવા માંગે છે કે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો કેટલો જરૂરી છે. પરિવારમાં સૌથી મોટા મતદાર 82 વર્ષના શામજીભાઈ છે અને સૌથી નાના 18 વર્ષના પાર્થ અને વેદાંત છે જેઓ આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. સોલંકી પરિવારનો મતદાન વિસ્તાર નવાગામમાં છે. આ પરિવાર તેમના વિવિધ વાહનો સાથે મતદાન કરવા પહોંચ્યો ત્યારે નજારો જોવા જેવો હતો. આ પરિવારના 81 સભ્યોમાંથી 60 તો નોંધાયેલા મતદારો છે. આ પરિવારના તમામ સભ્યો તો મતદાન કરે છે પણ અન્ય લોકોને પણ તે માટે પ્રેરણા આપે છે.


છ ભાઈઓનો પરિવાર


બોટાદના લાખિયાણી ગામના વતની અને વ્યવસાયે લુહાર એવા લાલજી સોલંકી સુરતના કામરેજમાં 1985માં આવીને વસ્યા હતા. લાલજી સોલંકી છ ભાઈઓ પણ સુરત શહેરના કામરેજમાં સ્થાયી થયા છે. તેમણે તેમના ભાઈઓ સાથે મળીને ખેતીના સાધનો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પરિવાર વધતો ગયો. હાલમાં, પરિવારનું કદ 96 છે જેમાંથી 15 ગામમાં રહે છે જ્યારે 81 કામરેજમાં રહે છે.


તેઓ જે ઘરમાં રહે છે તેમાં એક વિશાળ હોલ છે, કૌટુંબિક પ્રસંગો માટે આ હોલને ખાસ રીતે સજાવવામાં આવે છે. જો કે આ પરિવાર પણ ફેલાઈ રહ્યો છે તેમ જગ્યાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પરિવારે  જ્ઞાતિ કે અન્ય કોઈ ઝંઝટમાં પડ્યા વગર  સંયુક્તપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે સાથે મળીને મતદાન કરવાનું નક્કી કર્યું છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.