સુરતના કામરેજના 81 સભ્યોના આ પરિવારે મતદાન દ્વારા લોકશાહીના પર્વની કરી ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-12-01 11:47:20

દેશ અને રાજ્યમાં સંયુક્ત પરિવારો તુટી રહ્યા છે અને ભાઈ-બહેન વચ્ચે કે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા સામાન્ય ઘટના બની ગયા છે, ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતો 81 સભ્યોનો આ પરિવાર એકતા, સંવાદિતા અને પારિવાકરિક બંધુત્વનું અનોખું દ્રષ્ટાંત બની ગયો છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, આ પરિવાર તેમના મતાધિકારને લઈ ખુબ જ સજાગ છે અને પરિવારના તમામ સભ્યોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


મતદાનનો સંદેશ


કામરેજમાં સોલંકી પરિવાર એક સંદેશ આપવા માંગે છે કે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો કેટલો જરૂરી છે. પરિવારમાં સૌથી મોટા મતદાર 82 વર્ષના શામજીભાઈ છે અને સૌથી નાના 18 વર્ષના પાર્થ અને વેદાંત છે જેઓ આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. સોલંકી પરિવારનો મતદાન વિસ્તાર નવાગામમાં છે. આ પરિવાર તેમના વિવિધ વાહનો સાથે મતદાન કરવા પહોંચ્યો ત્યારે નજારો જોવા જેવો હતો. આ પરિવારના 81 સભ્યોમાંથી 60 તો નોંધાયેલા મતદારો છે. આ પરિવારના તમામ સભ્યો તો મતદાન કરે છે પણ અન્ય લોકોને પણ તે માટે પ્રેરણા આપે છે.


છ ભાઈઓનો પરિવાર


બોટાદના લાખિયાણી ગામના વતની અને વ્યવસાયે લુહાર એવા લાલજી સોલંકી સુરતના કામરેજમાં 1985માં આવીને વસ્યા હતા. લાલજી સોલંકી છ ભાઈઓ પણ સુરત શહેરના કામરેજમાં સ્થાયી થયા છે. તેમણે તેમના ભાઈઓ સાથે મળીને ખેતીના સાધનો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પરિવાર વધતો ગયો. હાલમાં, પરિવારનું કદ 96 છે જેમાંથી 15 ગામમાં રહે છે જ્યારે 81 કામરેજમાં રહે છે.


તેઓ જે ઘરમાં રહે છે તેમાં એક વિશાળ હોલ છે, કૌટુંબિક પ્રસંગો માટે આ હોલને ખાસ રીતે સજાવવામાં આવે છે. જો કે આ પરિવાર પણ ફેલાઈ રહ્યો છે તેમ જગ્યાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પરિવારે  જ્ઞાતિ કે અન્ય કોઈ ઝંઝટમાં પડ્યા વગર  સંયુક્તપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે સાથે મળીને મતદાન કરવાનું નક્કી કર્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .