સુરતના કામરેજના 81 સભ્યોના આ પરિવારે મતદાન દ્વારા લોકશાહીના પર્વની કરી ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-12-01 11:47:20

દેશ અને રાજ્યમાં સંયુક્ત પરિવારો તુટી રહ્યા છે અને ભાઈ-બહેન વચ્ચે કે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા સામાન્ય ઘટના બની ગયા છે, ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતો 81 સભ્યોનો આ પરિવાર એકતા, સંવાદિતા અને પારિવાકરિક બંધુત્વનું અનોખું દ્રષ્ટાંત બની ગયો છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, આ પરિવાર તેમના મતાધિકારને લઈ ખુબ જ સજાગ છે અને પરિવારના તમામ સભ્યોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


મતદાનનો સંદેશ


કામરેજમાં સોલંકી પરિવાર એક સંદેશ આપવા માંગે છે કે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો કેટલો જરૂરી છે. પરિવારમાં સૌથી મોટા મતદાર 82 વર્ષના શામજીભાઈ છે અને સૌથી નાના 18 વર્ષના પાર્થ અને વેદાંત છે જેઓ આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. સોલંકી પરિવારનો મતદાન વિસ્તાર નવાગામમાં છે. આ પરિવાર તેમના વિવિધ વાહનો સાથે મતદાન કરવા પહોંચ્યો ત્યારે નજારો જોવા જેવો હતો. આ પરિવારના 81 સભ્યોમાંથી 60 તો નોંધાયેલા મતદારો છે. આ પરિવારના તમામ સભ્યો તો મતદાન કરે છે પણ અન્ય લોકોને પણ તે માટે પ્રેરણા આપે છે.


છ ભાઈઓનો પરિવાર


બોટાદના લાખિયાણી ગામના વતની અને વ્યવસાયે લુહાર એવા લાલજી સોલંકી સુરતના કામરેજમાં 1985માં આવીને વસ્યા હતા. લાલજી સોલંકી છ ભાઈઓ પણ સુરત શહેરના કામરેજમાં સ્થાયી થયા છે. તેમણે તેમના ભાઈઓ સાથે મળીને ખેતીના સાધનો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પરિવાર વધતો ગયો. હાલમાં, પરિવારનું કદ 96 છે જેમાંથી 15 ગામમાં રહે છે જ્યારે 81 કામરેજમાં રહે છે.


તેઓ જે ઘરમાં રહે છે તેમાં એક વિશાળ હોલ છે, કૌટુંબિક પ્રસંગો માટે આ હોલને ખાસ રીતે સજાવવામાં આવે છે. જો કે આ પરિવાર પણ ફેલાઈ રહ્યો છે તેમ જગ્યાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પરિવારે  જ્ઞાતિ કે અન્ય કોઈ ઝંઝટમાં પડ્યા વગર  સંયુક્તપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે સાથે મળીને મતદાન કરવાનું નક્કી કર્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.