Gujarat Weather Update: ગરમીનો આકરો મિજાજ! અમદાવાદનું તાપમાન પહોંચ્યું 47 ડિગ્રી નજીક, લોકોને CMએ કરી આ અપીલ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-24 11:26:06

અસહ્ય ગરમીનો માર આપણે સહન કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.. ગરમી ક્યારે ઓછી થશે તેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે.. એસી પણ કામ નથી કરતા એવું લાગે છે.. ગુજરાતમાં પણ ગરમી કાળો કહેર વરસાવી રહી છે જેને કારણે ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. અમદાવદ તેમજ ગાંધીનગર માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46.6 નોંધાયું હતું.

News18 Gujarati

અમદાવાદ અને ગાંધીનગર માટે અપાયું રેડ એલર્ટ 

ગુજરાત સહિત દેશભરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે... 26 તારીખ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે તેવું લાગે છે.. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જેને કારણે ઘરની બહાર નીકળતા પહેલા સો વખત વિચાર કરજો કારણ કે લૂ ગમે ત્યારે લાગી શકે છે.. 

News18 Gujarati

અમદાવાદનું નોંધાયું સૌથી વધારે તાપમાન

ગુરૂવારે ગુજરાતનું હોટેસ્ટ સિટી અમદાવાદ બન્યું હતું.. અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું છે.. 42ને પાર અનેક જિલ્લાઓનું તાપમાન પહોંચી ગયું છે.. 26 તારીખ સુધી ગરમીનો માર તો સહન કરવો પડશે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. તે સિવાય ડીસાનું તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 46.0 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું.. વડોદરાનું તાપમાન 45.0 ડિગ્રી જ્યારે સુરતનું 37 ડિગ્રી નોંધાયું હતું. 

News18 Gujarati


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

ભુજનું તાપમાન 42.8 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટનું તાપમાન 45.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 42.2 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 37.4 જ્યારે રાજકોટનું તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 33.2 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.9 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.8 અને કેશોદનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.. 



મુખ્યમંત્રીએ લોકોને કરી આ અપીલ 

મહત્વનું છે કે વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી કેવી રીતે બચવું તે માટે અનેક રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે કે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ, પાણીની કમી શરીરમાં ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. મુખ્યમંત્રી દ્વારા પણ વધતી ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે જાણકારી આપવામાં આવી છે.. જેમાં તેમણે પણ ગરમીથી, લૂ ના લાગે તે માટે કેવા પગલા લેવા જોઈએ તેની જાણકારી આપી છે... તમે પણ ગરમીથી બચવા માટે ઉચિત પગલા લો તેવી આશા..    



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.