Gujarat Weather Update: ગરમીનો આકરો મિજાજ! અમદાવાદનું તાપમાન પહોંચ્યું 47 ડિગ્રી નજીક, લોકોને CMએ કરી આ અપીલ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-24 11:26:06

અસહ્ય ગરમીનો માર આપણે સહન કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.. ગરમી ક્યારે ઓછી થશે તેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે.. એસી પણ કામ નથી કરતા એવું લાગે છે.. ગુજરાતમાં પણ ગરમી કાળો કહેર વરસાવી રહી છે જેને કારણે ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. અમદાવદ તેમજ ગાંધીનગર માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46.6 નોંધાયું હતું.

News18 Gujarati

અમદાવાદ અને ગાંધીનગર માટે અપાયું રેડ એલર્ટ 

ગુજરાત સહિત દેશભરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે... 26 તારીખ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે તેવું લાગે છે.. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જેને કારણે ઘરની બહાર નીકળતા પહેલા સો વખત વિચાર કરજો કારણ કે લૂ ગમે ત્યારે લાગી શકે છે.. 

News18 Gujarati

અમદાવાદનું નોંધાયું સૌથી વધારે તાપમાન

ગુરૂવારે ગુજરાતનું હોટેસ્ટ સિટી અમદાવાદ બન્યું હતું.. અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું છે.. 42ને પાર અનેક જિલ્લાઓનું તાપમાન પહોંચી ગયું છે.. 26 તારીખ સુધી ગરમીનો માર તો સહન કરવો પડશે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. તે સિવાય ડીસાનું તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 46.0 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું.. વડોદરાનું તાપમાન 45.0 ડિગ્રી જ્યારે સુરતનું 37 ડિગ્રી નોંધાયું હતું. 

News18 Gujarati


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

ભુજનું તાપમાન 42.8 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટનું તાપમાન 45.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 42.2 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 37.4 જ્યારે રાજકોટનું તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 33.2 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.9 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.8 અને કેશોદનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.. 



મુખ્યમંત્રીએ લોકોને કરી આ અપીલ 

મહત્વનું છે કે વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી કેવી રીતે બચવું તે માટે અનેક રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે કે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ, પાણીની કમી શરીરમાં ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. મુખ્યમંત્રી દ્વારા પણ વધતી ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે જાણકારી આપવામાં આવી છે.. જેમાં તેમણે પણ ગરમીથી, લૂ ના લાગે તે માટે કેવા પગલા લેવા જોઈએ તેની જાણકારી આપી છે... તમે પણ ગરમીથી બચવા માટે ઉચિત પગલા લો તેવી આશા..    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.