Gujarat Weather Update: ગરમીનો આકરો મિજાજ! અમદાવાદનું તાપમાન પહોંચ્યું 47 ડિગ્રી નજીક, લોકોને CMએ કરી આ અપીલ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-24 11:26:06

અસહ્ય ગરમીનો માર આપણે સહન કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.. ગરમી ક્યારે ઓછી થશે તેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે.. એસી પણ કામ નથી કરતા એવું લાગે છે.. ગુજરાતમાં પણ ગરમી કાળો કહેર વરસાવી રહી છે જેને કારણે ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. અમદાવદ તેમજ ગાંધીનગર માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46.6 નોંધાયું હતું.

News18 Gujarati

અમદાવાદ અને ગાંધીનગર માટે અપાયું રેડ એલર્ટ 

ગુજરાત સહિત દેશભરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે... 26 તારીખ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે તેવું લાગે છે.. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જેને કારણે ઘરની બહાર નીકળતા પહેલા સો વખત વિચાર કરજો કારણ કે લૂ ગમે ત્યારે લાગી શકે છે.. 

News18 Gujarati

અમદાવાદનું નોંધાયું સૌથી વધારે તાપમાન

ગુરૂવારે ગુજરાતનું હોટેસ્ટ સિટી અમદાવાદ બન્યું હતું.. અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું છે.. 42ને પાર અનેક જિલ્લાઓનું તાપમાન પહોંચી ગયું છે.. 26 તારીખ સુધી ગરમીનો માર તો સહન કરવો પડશે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. તે સિવાય ડીસાનું તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 46.0 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું.. વડોદરાનું તાપમાન 45.0 ડિગ્રી જ્યારે સુરતનું 37 ડિગ્રી નોંધાયું હતું. 

News18 Gujarati


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

ભુજનું તાપમાન 42.8 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટનું તાપમાન 45.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 42.2 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 37.4 જ્યારે રાજકોટનું તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 33.2 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.9 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.8 અને કેશોદનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.. 



મુખ્યમંત્રીએ લોકોને કરી આ અપીલ 

મહત્વનું છે કે વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી કેવી રીતે બચવું તે માટે અનેક રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે કે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ, પાણીની કમી શરીરમાં ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. મુખ્યમંત્રી દ્વારા પણ વધતી ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે જાણકારી આપવામાં આવી છે.. જેમાં તેમણે પણ ગરમીથી, લૂ ના લાગે તે માટે કેવા પગલા લેવા જોઈએ તેની જાણકારી આપી છે... તમે પણ ગરમીથી બચવા માટે ઉચિત પગલા લો તેવી આશા..    



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.