Gujarat Weather Update: ગરમીનો આકરો મિજાજ! અમદાવાદનું તાપમાન પહોંચ્યું 47 ડિગ્રી નજીક, લોકોને CMએ કરી આ અપીલ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-24 11:26:06

અસહ્ય ગરમીનો માર આપણે સહન કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.. ગરમી ક્યારે ઓછી થશે તેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે.. એસી પણ કામ નથી કરતા એવું લાગે છે.. ગુજરાતમાં પણ ગરમી કાળો કહેર વરસાવી રહી છે જેને કારણે ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. અમદાવદ તેમજ ગાંધીનગર માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46.6 નોંધાયું હતું.

News18 Gujarati

અમદાવાદ અને ગાંધીનગર માટે અપાયું રેડ એલર્ટ 

ગુજરાત સહિત દેશભરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે... 26 તારીખ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે તેવું લાગે છે.. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જેને કારણે ઘરની બહાર નીકળતા પહેલા સો વખત વિચાર કરજો કારણ કે લૂ ગમે ત્યારે લાગી શકે છે.. 

News18 Gujarati

અમદાવાદનું નોંધાયું સૌથી વધારે તાપમાન

ગુરૂવારે ગુજરાતનું હોટેસ્ટ સિટી અમદાવાદ બન્યું હતું.. અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું છે.. 42ને પાર અનેક જિલ્લાઓનું તાપમાન પહોંચી ગયું છે.. 26 તારીખ સુધી ગરમીનો માર તો સહન કરવો પડશે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. તે સિવાય ડીસાનું તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 46.0 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું.. વડોદરાનું તાપમાન 45.0 ડિગ્રી જ્યારે સુરતનું 37 ડિગ્રી નોંધાયું હતું. 

News18 Gujarati


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

ભુજનું તાપમાન 42.8 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટનું તાપમાન 45.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 42.2 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 37.4 જ્યારે રાજકોટનું તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 33.2 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.9 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.8 અને કેશોદનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.. 



મુખ્યમંત્રીએ લોકોને કરી આ અપીલ 

મહત્વનું છે કે વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી કેવી રીતે બચવું તે માટે અનેક રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે કે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ, પાણીની કમી શરીરમાં ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. મુખ્યમંત્રી દ્વારા પણ વધતી ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે જાણકારી આપવામાં આવી છે.. જેમાં તેમણે પણ ગરમીથી, લૂ ના લાગે તે માટે કેવા પગલા લેવા જોઈએ તેની જાણકારી આપી છે... તમે પણ ગરમીથી બચવા માટે ઉચિત પગલા લો તેવી આશા..    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .