Gujarat : ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધનો ખેડૂતોએ કર્યો વિરોધ, રસ્તા પર ડુંગળી ફેંકી અને રસ્તા કર્યા ચક્કાજામ


  • Published By :
  • Published Date : 2023-12-14 14:31:00

ડુંગળીના નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નિકાસ બંધની સીધી અસર ખેડૂતોની આવક પર પડી છે. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. નિકાસ બંધીના નિર્ણય પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતોએ ડુંગળી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અનેક જગ્યાઓથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગળીનો નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધને લઈ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા આંબલિયાએ કહ્યું કે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ છે. 


Onion Export Ban: Farmers protested by throwing onions on the highway in Gondal for not getting enough price of onions ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ગોંડલમાં ખેડૂતોનો આક્રોશ, હાઇવે પર ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો

સરકારે ડુંગળીના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ       

ગરીબોની કસ્તુરી ડુંગળીને માનવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને અનેક પરિવારો ગુજરાન ચલાવતા હોય છે. નિકાસને ધ્યાનમાં રાખી, સારી કમાણી થઈ શકે તેવી આશા સાથે ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધારે કર્યું છે. એક તરફ ખેડૂતોએ સારી કમાણીની આશા રાખી પરંતુ દર વખતની જેમ ખેડૂતોના પડ્યા પર પાટું પડ્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું. નિકાસ પર પ્રતિબંધ મૂકાવવાને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. એક સાથે મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થવાને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અનેક યાર્ડોમાં હરાજી બંધ કરવામાં આવી છે.




ખેડૂતોએ રસ્તા પર કર્યો ચક્કાજામ

નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટી જાય તે માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતો ઉતરી આવ્યા છે. ખેડૂતોએ અનેક હાઈવે પર ચક્કાજામ કર્યું છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. નિકાસના વિરોધમાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. જૂનાગઢ નેશનલ હાઈવે પર પણ ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જામનગરથી પણ કંઈક આવા જ સમાચાર, આવા જ દ્રશ્યો સામે આવ્યા. નિકાસ પર પ્રતિબંધ લાગવાને કારણે મોટા પ્રમાણમાં ભાવમાં ઘટાડો થયો છે. 


પાલભાઈ આંબલિયાએ નિકાસ બંધી પર આપી પ્રતિક્રિયા

એક તરફ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમના કહેવા અનુસાર  સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી. આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી.


ખેડૂતોની હાલત પ્રતિદિન બની રહી છે કફોડી!

ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો માગ કરી રહ્યા છે. ખેડૂતોને આ નિર્ણયને કારણે રડવાનો વારો આવ્યો છે. નિકાસ પર પ્રતિબંધ લગાવવાને કારણે ડુંગળીના ભાવ સાવ નીચે આવી ગયા છે જેને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. મહત્વનું છે કે વાતાવરણમાં પણ જો કોઈ ફેરફાર આવે છે તો તેની સીધી અસર ખેડૂતોની આવક પર પડતી હોય છે. વરસાદ વધારે થાય તો પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.