નાણા વિભાગની તમામ વિભાગોને સૂચન, "ખર્ચો ઘટાડો"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:45:24

ગુજરાતનું નવું નાણાકીય વર્ષ આગામી વર્ષથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના નાણા વિભાગે ગાઈડલાઈન જાહેર કરીને તમામ વિભાગોને સૂચના આપી છે કે ખર્ચો ઘટાડો અને નવું મહેકમ મંજૂર કરવામાં ધ્યાન આપો. વર્ષ 2023-24ના બજેટને ધ્યાનમાં રાખીને સૂચના આપવામાં આવી છે. 


ગુજરાતમાં નો ન્યૂ કોન્ટ્રાક્ટ

ગુજરાત સરકારના નાણાવિભાગે ક્લાસ ફોરના કર્મચારીઓની કામગીરી માટે આઉટસોર્સિંગની નવી જગ્યાઓ નહીં ભરવાની જાહેરાત કરી દીધી છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને માટે સમાચાર છે કે આ નિર્ણય પરથી કહી શકાય કે નવી ભરતી કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. નાણા વિભાગની આ ગાઈડલાઈનમાં જાણ કરી છે કે અધિકારીઓ માટે નવા વાહનોની ખરીદીમાં કરકસર કરવાની રહેશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે