નાણા વિભાગની તમામ વિભાગોને સૂચન, "ખર્ચો ઘટાડો"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:45:24

ગુજરાતનું નવું નાણાકીય વર્ષ આગામી વર્ષથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના નાણા વિભાગે ગાઈડલાઈન જાહેર કરીને તમામ વિભાગોને સૂચના આપી છે કે ખર્ચો ઘટાડો અને નવું મહેકમ મંજૂર કરવામાં ધ્યાન આપો. વર્ષ 2023-24ના બજેટને ધ્યાનમાં રાખીને સૂચના આપવામાં આવી છે. 


ગુજરાતમાં નો ન્યૂ કોન્ટ્રાક્ટ

ગુજરાત સરકારના નાણાવિભાગે ક્લાસ ફોરના કર્મચારીઓની કામગીરી માટે આઉટસોર્સિંગની નવી જગ્યાઓ નહીં ભરવાની જાહેરાત કરી દીધી છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને માટે સમાચાર છે કે આ નિર્ણય પરથી કહી શકાય કે નવી ભરતી કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. નાણા વિભાગની આ ગાઈડલાઈનમાં જાણ કરી છે કે અધિકારીઓ માટે નવા વાહનોની ખરીદીમાં કરકસર કરવાની રહેશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.