ગુજરાતના માછીમારોની દિવાળી સુધરી, 80 માછીમારોને પાકિસ્તાનની કરાંચી જેલમાંથી મુક્ત કરાયા


  • Published By :
  • Published Date : 2023-11-11 17:46:58

પાકિસ્તાને કરાચી જેલમાં બંધ 80 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, આ તમામ માછીમારોને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. પાકિસ્તાની સરકારના એક અભિયાન હેઠળ ગેરકાયદે વિદેશી પ્રવાસીયોને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ભારતીય માછીમારોને ભારે સુરક્ષા વચ્ચે અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા હતા. ગુજરાતના ફિશરીઝ ડિપોર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના અધિકારીઓની એક ટીમ અમૃતસરમાં તેમનું સ્વાગત કરશે.  


77 માછીમારો ગુજરાતના


પાકિસ્તાન ફિશરકોક ફોરમ (PFF)ના મહા સચિવ સઈદ બલોચે 10 નવેમ્બરે પોસ્ટ કરી 80 ભારતીયને મુક્ત કરવાની જાણકારી આપી હતી.  પાકિસ્તાને મુક્ત કરેલા 80 માછીમારો પૈકીના 77 માછીમારો ગુજરાતના છે, તેમાં પણ 59 સોમનાથ, 15 દ્વારકા, 2 અમરેલી, એક જામનગર 3 દીવ, દમણ અને દાદરા નગર હવેલીથી છે. પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરીટી એજન્સી (PMSA)એ સપ્ટેમ્બર અને નવેમ્બર 2020 દરમિયાન આ 80 માછીમારોની માછલી પકડતા અટકાયત કરવામાં આવી હતી. પાકિસ્તાની જેલમાં જુલાઈ સુધી 266 ભારતીય માછીમારો બંધ હતા, તેમાંથી બે ઓગસ્ટ અને એક ઓક્ટોબરમાં અવસાન પામ્યા હતા. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.