Gujarat : Congress ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા GeniBen Thakorએ શરૂ કરી દીધો પ્રચાર! વીડિયો વાયરલ થયો જેમાં તે કહી રહ્યા છે કે....


  • Published By :
  • Published Date : 2024-03-11 11:37:31

કોંગ્રેસે થોડા દિવસો પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે આજે અથવા આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામને લઈ મંથન કરવામાં આવી ગયું છે માત્ર જાહેરાત કરવાની બાકી છે અને એ જાહેરાત થોડા કલાકોની અંદર થઈ શકે છે તેવી માહિતી મળી છે. બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની પણ જાહેરાત થઈ શકે છે. 24 બેઠકોમાંથી આ યાદીમાં 8થી 10 ઉમેદવાર હોઈ શકે છે. ગુજરાતની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યોને જ કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કરી શકે છે. 

ગુજરાતના 8કે 10 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત! 

ગયા શનિવારે જ્યારે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારથી બધા કોંગ્રેસના યાદીની રાહ જોઈ રહ્યા હતા. ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી જ્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જ જાહેરાત કરી. ઉમેદવારોની બીજી યાદી કોંગ્રેસ આજે અથવા તો આવતી કાલ સુધીમાં જાહેર કરી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. ગુજરાતની અનેક બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત આ યાદીમાં થઈ શકે છે તેવી માહિતી છે. ગુજરાતની 8થી 10 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરી શકે છે. 



બનાસકાંઠામાં જોવા મળી શકે છે મહિલા Vs મહિલાનો જંગ!

એક તરફ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતની બેઠકો માટે નામની જાહેરાત થઈ શકે છે તો બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હોય તેવું લાગે છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. મહત્વનું છે કે જો કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં બનાસકાંઠાથી ઉતારે તો ત્યાં મહિલા Vs મહિલાનો જંગ જોવા મળી શકે છે. ભાજપે ત્યાં માટે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. 



ગેનીબેન ઠાકોરે લોકોને અપીલ કરતા કહ્યું કે... 

સોશિયલ મીડિયા પર એક વીડિયો ગેનીબેન ઠાકોરનો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને અપીલ કરી રહ્યા છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગેનીબેન લોકોને કહી રહ્યા છે કે  “આપણી પાસે ક્યાં મોટી મોટી ગાડીઓ છે, તમારી પાસે જે હોય તે લઇને આવજો. આપણી પાસે હોન્ડા હોય તો હોન્ડા લઇને આવજો, રિક્ષા હોય તો તે લઇને આવજો, ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઇને આવજો. બધા બહેનોને પણ લાવજો. આપણે ઢોલનગારા સાથે ફોર્મ ભરવાનું છે ઢીલું-પોચું નથી ભરવાનુ.” તે ઉપરાંત તેમણે કહ્યું કે “મામેરામાં હું તમારી પાસે પૈસા, હીરા, મોતી નથી માંગતી ફક્ત બે જ દિવસ માંગુ છું. પહેલા દિવસે તેમે કડેધડે ફોર્મ ભરવા આવો અને એક દિવસ તમે મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. મારા આ બે દિવસના રૂડા પ્રસંગ તમે સાચવજો.” ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવે છે કે કોઈ બીજાને..


24 બેઠકો માટે કોંગ્રેસે એક ઉમેદવારના નામની નથી જાહેરાત! 

મહત્વનું છે કે ગુજરાત માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. 26માંથી 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે બે બેઠક પરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે. આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે તો ભાવનગરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. ગુજરાત માટે કોંગ્રેસે 24 બેઠકોમાંથી એક પણ બેઠક માટે ઉમેદવાર નથી ઘોષિત કર્યા.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.