રેલો આવ્યો... સરકારો યુ-ટર્ન લીધો, રખડતા પશુ નિયંત્રણ કાયદો પરત લેવાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:06:55

રાજ્યપાલે પરત મોકલેલું બિલ વિધાનસભામાં સરકારે પરત લીધું, વિધેયક પાછુ ખેંચવા અનુમતિ પ્રસ્તાવ માગ્યો

આંદોલન સિવાય સાંભળતી જ નથી સરકાર

કૉંગ્રેસના નેતાઓએ સરકાર બિલ લઈને આવી ત્યારે જ ચર્ચા કરીને સુધારાની માંગણી કરી હતી, પણ સરકારે સાંભળ્યું નહીં અને હવે માલધારીઓએ વિરોધ કર્યો તો બિલ વિધાનસભામાં પરત તો લીધું પણ રાજ્યસરકારના પ્રવક્તાએ કૉંગ્રેસ પર જ પ્રહારો કર્યા, કહ્યું કે કૉંગ્રેસનો લોકો સાથે સંપર્ક નથી રહ્યો

હવે બીજા મુદ્દા માટે આંદોલન ચાલુ છે

'ડોશી મરે એનો વાંધો નથી પણ જમ ઘર ના ભાળી જવો જઈએ' આવુ માનવા વાળી ભાજપ આંદોલનોમાં ભરાઈ ગઈ છે, કેમ કે હવે બધા જ આ પ્રેશર ટેકનીક સમજી ગયા છે, માલધારીઓ હવે ગીર-બરડા-આલેચના માલધારીઓેને એસ.ટી સર્ટીફીકેટના મામલે જંગે ચડ્યા છે, અન ેઆ મામલે તો સરકાર એક પણ બાજુ જઈને નિર્ણય લઈ શકે એમ નથી, એ સિવાય ગૌચર ખાલી કરાવવા, વસાહતો આપવી, વસ્તિ આધારીત ગણતરી જેવી માગો તો બાકી જ છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .