Chinaમાં ફેલાઈ રહેલી રહસ્યમય બિમારીને લઈ Gujarat સરકાર એલર્ટ, હોસ્પિટલોને અપાયા આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-28 15:43:28

થોડા વર્ષો પહેલા જ વિશ્વ કોરોનાની મહામારીમાંથી બહાર નીકળ્યું છે. કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે ચીનમાં વધુ એક રહસ્યમય બિમારી પ્રસરી રહી છે. અનેક શાળાઓ ચીનમાં બંધ કરવામાં આવી છે ઉપરાંત અનેક હોસ્પિટલો પણ ફૂલ છે. ત્યારે ચીનમાં વધતા કેસને લઈ WHOએ એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જાહેર થયા બાદ ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. આ બિમારી ગુજરાતમાં દસ્તક આપે તે પહેલા આ બિમારીથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓને તેમજ હોસ્પિટલ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. 


આરોગ્ય વિભાગે જાહેર કરી ગાઈડલાઈન્સ!

કોરોનાના સમય દરમિયાન અનેક પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ચાઈનાથી એક એવા સમાચાર આવ્યા જેણે વિશ્વભરની ચિંતા વધારી દીધી. ચાઈનામાં વધુ એક રોગચાળો પ્રસરી રહ્યો છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બાળકો આ બિમારીનો શિકાર બની રહ્યા છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ એલર્ટ જાહેર કરી દીધું છે. ચીનમાં વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના જેવી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તો માર્ગદર્શિકા જાહેર કરી છે પરંતુ ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. 


હોસ્પિટલમાં કરાઈ રહી છે યોગ્ય વ્યવસ્થા 

રાજ્ય સરકારે હોસ્પિટલ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. હોસ્પિટલોને સજ્જ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં જરૂરી બેડ, દવાઓ તેમજ જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આદેશ મળ્યા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પીપીઈ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. અમદાવાદ ઉપરાંત સુરત તેમજ વડોદરા સિવિલ હોસ્પિટલ પણ એક્ટિવ દેખાઈ રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.