સરકાર પાક નુકસાની માટે વળતર નહીં આપે? માવઠા અંગે થયેલા સર્વેમાં કરાયો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-08 12:58:59

રાજ્યમાં થયેલા માવઠાના કારણે ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો પાક નુકસાની માટે સરકાર તરફથી વળતરની આશા રાખી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ સરકારે ખેડૂતોને થયેલા નુકસાના અંગે સર્વે કરાવવાની પણ સુચના આપી હતી. સરકારના આદેશ બાદ કૃષિ વિભાગે માવઠાથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી અને સરકારને સર્વેની વિગતવાર જાણકારી આપી હતી.


સર્વે રિપોર્ટમાં શું કહ્યું છે? 


રાજ્યમાં ગત દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુક્શાની ન હોવાના કારણે વળતર ચુકવણી નહીં થાય.


14 જિલ્લાના 50 તાલુકાઓમાં માવઠું


અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમા કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 1મી.મી.થી 28મી.મી. સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતા પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો.



ગરીબ પરિવારની સ્થિતિ સુધરશે તેવી વાતો ચૂંટણી પ્રચાર દરમિયાન સાંભળવા મળતી હોય છે પરંતુ ગરીબીમાં રહેતા પરિવારની સ્થિતિ નથી બદલાતી.. ત્યારે અમદાવાદમાં રહેતા એક પરિવારની કહાણી સાંભળો..

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..