Gujarat સરકારે સરકારી શાળાઓના મુખ્ય શિક્ષકોને આપી ગુરૂપૂર્ણિમાની ભેટ, શિક્ષણ મંત્રીએ આપી માહિતી કે..


  • Published By :
  • Published Date : 2024-07-20 17:09:02

થોડા દિવસો પહેલા H-TAT મુખ્ય શિક્ષકો પોતાની માગ સાથે ગાંધીનગર આવ્યા. આમરણ ઉપવાસ પર બેઠા હતા. શિક્ષકો આંદોલન કરે એના થોડા સમય પહેલા શિક્ષણ મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે ટૂંક સમયમાં નિયમો જાહેર કરવામાં આવશે. ત્યારે ગુરૂપૂર્ણિમા નિમીત્તે સરકારે શિક્ષકોને મોટી ભેટ આપી છે.. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ આ અંગેની માહિતી આપી છે. 

ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કર્યું હતું આંદોલન

ગાંધીનગરમાં થોડા સમય પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું...કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ તેમની હતી. અનકે વખત તેમણે સરકાર સુધી પોતાની વાત રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકારને જાણે તેમનો અવાજ સાંભળવો જ ન હોય તેવું લાગ્યું.. પોલીસ સાથે ઘર્ષણ થયાના અનેક વીડિયો આપણી સામે આવ્યા. આંદોલન બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને લઈ જાહેરાત કરવામાં આવી. તે બાદ મુખ્ય શિક્ષકો બદલીના નિયમો સહિતની અનેક પડતર માગ સાથે આંદોલન કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 


સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે અનેક નિર્ણયો.. 

આમરણ ઉપવાસની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે સરકાર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા એવા અનેક નિર્ણયો છેલ્લા થોડા સમયમાં લેવામાં આવી રહ્યા છે જેની પ્રશંસા થવી જોઈએ.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહેજો...  



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.