Gujarat સરકારે સરકારી શાળાઓના મુખ્ય શિક્ષકોને આપી ગુરૂપૂર્ણિમાની ભેટ, શિક્ષણ મંત્રીએ આપી માહિતી કે..


  • Published By :
  • Published Date : 2024-07-20 17:09:02

થોડા દિવસો પહેલા H-TAT મુખ્ય શિક્ષકો પોતાની માગ સાથે ગાંધીનગર આવ્યા. આમરણ ઉપવાસ પર બેઠા હતા. શિક્ષકો આંદોલન કરે એના થોડા સમય પહેલા શિક્ષણ મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે ટૂંક સમયમાં નિયમો જાહેર કરવામાં આવશે. ત્યારે ગુરૂપૂર્ણિમા નિમીત્તે સરકારે શિક્ષકોને મોટી ભેટ આપી છે.. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ આ અંગેની માહિતી આપી છે. 

ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કર્યું હતું આંદોલન

ગાંધીનગરમાં થોડા સમય પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું...કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ તેમની હતી. અનકે વખત તેમણે સરકાર સુધી પોતાની વાત રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકારને જાણે તેમનો અવાજ સાંભળવો જ ન હોય તેવું લાગ્યું.. પોલીસ સાથે ઘર્ષણ થયાના અનેક વીડિયો આપણી સામે આવ્યા. આંદોલન બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને લઈ જાહેરાત કરવામાં આવી. તે બાદ મુખ્ય શિક્ષકો બદલીના નિયમો સહિતની અનેક પડતર માગ સાથે આંદોલન કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 


સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે અનેક નિર્ણયો.. 

આમરણ ઉપવાસની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે સરકાર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા એવા અનેક નિર્ણયો છેલ્લા થોડા સમયમાં લેવામાં આવી રહ્યા છે જેની પ્રશંસા થવી જોઈએ.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહેજો...  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.