Gujarat સરકારે સરકારી શાળાઓના મુખ્ય શિક્ષકોને આપી ગુરૂપૂર્ણિમાની ભેટ, શિક્ષણ મંત્રીએ આપી માહિતી કે..


  • Published By :
  • Published Date : 2024-07-20 17:09:02

થોડા દિવસો પહેલા H-TAT મુખ્ય શિક્ષકો પોતાની માગ સાથે ગાંધીનગર આવ્યા. આમરણ ઉપવાસ પર બેઠા હતા. શિક્ષકો આંદોલન કરે એના થોડા સમય પહેલા શિક્ષણ મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે ટૂંક સમયમાં નિયમો જાહેર કરવામાં આવશે. ત્યારે ગુરૂપૂર્ણિમા નિમીત્તે સરકારે શિક્ષકોને મોટી ભેટ આપી છે.. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ આ અંગેની માહિતી આપી છે. 

ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કર્યું હતું આંદોલન

ગાંધીનગરમાં થોડા સમય પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું...કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ તેમની હતી. અનકે વખત તેમણે સરકાર સુધી પોતાની વાત રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકારને જાણે તેમનો અવાજ સાંભળવો જ ન હોય તેવું લાગ્યું.. પોલીસ સાથે ઘર્ષણ થયાના અનેક વીડિયો આપણી સામે આવ્યા. આંદોલન બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને લઈ જાહેરાત કરવામાં આવી. તે બાદ મુખ્ય શિક્ષકો બદલીના નિયમો સહિતની અનેક પડતર માગ સાથે આંદોલન કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 


સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે અનેક નિર્ણયો.. 

આમરણ ઉપવાસની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે સરકાર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા એવા અનેક નિર્ણયો છેલ્લા થોડા સમયમાં લેવામાં આવી રહ્યા છે જેની પ્રશંસા થવી જોઈએ.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહેજો...  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."