રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે આ 5 કંપનીઓને 1.99 લાખ હેક્ટર જમીન ફાળવી


  • Published By :
  • Published Date : 2023-04-28 19:17:30

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતની ભાજપ સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. તેમાં પ્રાઈવેટ સેક્ટરની પાંચ મોટી કંપનીઓ માટે 1.99 લાખ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ કંપનીઓને બીજા ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન 40 વર્ષના ભાડાપટ્ટે  તમામને ફાળવવામાં આવશે. 15 હજાર પ્રતિ હેક્ટરના દરે જમીનની ફાળવણી કરાશે અને ભાડા પેટ જમીન ફાળવણીથી સરકારને રૂપિયા 300 કરોડની આવક થશે.


કઈ કંપનીને કેટલી જમીન ફાળવાઈ?


રાજ્ય સરકાર તરફથી ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ માટે કેટલીક પ્રાઈવેટ કંપનીઓને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. તેમાં રિલાયન્સ ન્યુ એનર્જી લિમિટેડને 74,750 હેક્ટર, અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 84,486 હેક્ટર, ટોરેન્ટ પાવર લિમિટેડને 18,000 હેક્ટર, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને 14,393 હેક્ટર અને વેલસ્પન ગ્રૂપને 8,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે.


સરકાર 5 કંપનીઓ પાસેથી લેશે ડિપોઝિટ 


રાજ્ય સરકાર ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે કાર્યરત આ પાંચ કંપનીઓ પાસેથી 2998 કરોડ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેશે. પ્રસ્તાવિત જમીન પર ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરીને કુલ 99,814 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા છે. જેની સાથે 39.95 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે તેમ સરકારી આંકડા દર્શાવે છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.