રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે આ 5 કંપનીઓને 1.99 લાખ હેક્ટર જમીન ફાળવી


  • Published By :
  • Published Date : 2023-04-28 19:17:30

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતની ભાજપ સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. તેમાં પ્રાઈવેટ સેક્ટરની પાંચ મોટી કંપનીઓ માટે 1.99 લાખ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ કંપનીઓને બીજા ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન 40 વર્ષના ભાડાપટ્ટે  તમામને ફાળવવામાં આવશે. 15 હજાર પ્રતિ હેક્ટરના દરે જમીનની ફાળવણી કરાશે અને ભાડા પેટ જમીન ફાળવણીથી સરકારને રૂપિયા 300 કરોડની આવક થશે.


કઈ કંપનીને કેટલી જમીન ફાળવાઈ?


રાજ્ય સરકાર તરફથી ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ માટે કેટલીક પ્રાઈવેટ કંપનીઓને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. તેમાં રિલાયન્સ ન્યુ એનર્જી લિમિટેડને 74,750 હેક્ટર, અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 84,486 હેક્ટર, ટોરેન્ટ પાવર લિમિટેડને 18,000 હેક્ટર, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને 14,393 હેક્ટર અને વેલસ્પન ગ્રૂપને 8,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે.


સરકાર 5 કંપનીઓ પાસેથી લેશે ડિપોઝિટ 


રાજ્ય સરકાર ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે કાર્યરત આ પાંચ કંપનીઓ પાસેથી 2998 કરોડ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેશે. પ્રસ્તાવિત જમીન પર ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરીને કુલ 99,814 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા છે. જેની સાથે 39.95 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે તેમ સરકારી આંકડા દર્શાવે છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.