ગટર સફાઈ કામદારના મોત મામલે હાઈકોર્ટમાં ભૂલ ભરેલી માહિતી રજૂ કરાઈ, 10 જુલાઈએ થશે વધુ સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-06-21 21:16:15

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં થતા ગટર સફાઈ કામદારોના અવારનવાર થતાં મોત, શારીરિક રીતે થતું ગટર સફાઈનું કામ રોકવા અને તેમના આવા કાર્ય દરમિયાન મૃત્યુ બાદ ચૂકવવાના વળતર અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જે કામદારો ગટરની સફાઈ કરવા ઉતરવા જતા મોતને ભેટ્યા હોય તેવા કામદારોની યાદી હાઇકોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. આ એ કામદારો છે જેમને વળતર ચૂકવવાનું બાકી હતું. જાણીતી સ્વૈચ્છિક સંસ્થા માનવ ગરીમાં દ્વારા કરાયેલી આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.


11માંથી માત્ર 6 કામદારોના પરિવારને જ વળતર ચૂકવાયું


ગુજરાત હાઇકોર્ટના 18 એપ્રિલના હુકમ સંદર્ભે ગુજરાત સરકારમાં સફાઈ કામદાર વિકાસ નિગમના ઇન્ચાર્જ ડિરેકટર નૈનાબેન શ્રીમાળીએ એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં તેમના દ્વારા જણાવાયું હતું કે, 30 એપ્રિલે તેમના દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં 26 ભોગ બનનાર કામદારોના પરિવારમાંથી 11ને વળતર ચૂકવાયું છે. પરંતુ હકીકતમાં પાંચ પરિવારને જ વળતર ચૂકવાયું હતું. આ ભૂલ ટાઈપિંગ એરરને લીધે થઈ છે. ઉપરાંત અગાઉની એફિડેવિટમાં ભોગ બનનાર 11માંથી 6 પરિવારને વળતર ચૂકવાયું હોવાનું જણાવાયુ છે. જેની પણ ચકાસણી જરૂરી છે.


આ મામલે વધુ સુનાવણી 10 જુલાઈએ 

આ કેસમાં માનવ ગરીમાં સંસ્થા દ્વારા 14 જૂને હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં જે બહેનોને રકમ ન મળી હોય તેમનું પણ સોગંદનામું કરાયું હતું. આથી નૈના શ્રીમાળીએ કોર્ટની માફી માંગી હતી. આ સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી 10 જુલાઈએ નક્કી કરતા સરકાર ભોગ બનનાર પરિવારોને તે પહેલાં વળતર ચૂકવી દેશે તેમ કોર્ટને જણાવ્યું હતું.


હાઈકોર્ટે રાજ્ય સરકારને કરી હતી ટકોર


હાઇકોર્ટે 1 મેના રોજ થયેલી સુનવણીમાં જણાવ્યું હતું કે, સરકારની જવાબદારી છે કે ગટર કામદારો દ્વારા શારિરીક રીતે થતું કામ સદંતર બંધ થાય. જો આવી કોઈ ઘટના ઘટે તો મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર, નગર પાલિકામાં ચીફ ઓફિસર તથા ગ્રામ પંચાયતનાં સરપંચ સીધી રીતે જવાબદાર હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારને આ મુદ્દે 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે જ 19 જૂન સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવા પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. ત્યારે અત્યાર સુધીમાં આવો એક પણ બનાવ કોર્ટ સમક્ષ આવ્યો નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.