ગટર સફાઈ કામદારના મોત મામલે હાઈકોર્ટમાં ભૂલ ભરેલી માહિતી રજૂ કરાઈ, 10 જુલાઈએ થશે વધુ સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-06-21 21:16:15

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં થતા ગટર સફાઈ કામદારોના અવારનવાર થતાં મોત, શારીરિક રીતે થતું ગટર સફાઈનું કામ રોકવા અને તેમના આવા કાર્ય દરમિયાન મૃત્યુ બાદ ચૂકવવાના વળતર અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જે કામદારો ગટરની સફાઈ કરવા ઉતરવા જતા મોતને ભેટ્યા હોય તેવા કામદારોની યાદી હાઇકોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. આ એ કામદારો છે જેમને વળતર ચૂકવવાનું બાકી હતું. જાણીતી સ્વૈચ્છિક સંસ્થા માનવ ગરીમાં દ્વારા કરાયેલી આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.


11માંથી માત્ર 6 કામદારોના પરિવારને જ વળતર ચૂકવાયું


ગુજરાત હાઇકોર્ટના 18 એપ્રિલના હુકમ સંદર્ભે ગુજરાત સરકારમાં સફાઈ કામદાર વિકાસ નિગમના ઇન્ચાર્જ ડિરેકટર નૈનાબેન શ્રીમાળીએ એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં તેમના દ્વારા જણાવાયું હતું કે, 30 એપ્રિલે તેમના દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં 26 ભોગ બનનાર કામદારોના પરિવારમાંથી 11ને વળતર ચૂકવાયું છે. પરંતુ હકીકતમાં પાંચ પરિવારને જ વળતર ચૂકવાયું હતું. આ ભૂલ ટાઈપિંગ એરરને લીધે થઈ છે. ઉપરાંત અગાઉની એફિડેવિટમાં ભોગ બનનાર 11માંથી 6 પરિવારને વળતર ચૂકવાયું હોવાનું જણાવાયુ છે. જેની પણ ચકાસણી જરૂરી છે.


આ મામલે વધુ સુનાવણી 10 જુલાઈએ 

આ કેસમાં માનવ ગરીમાં સંસ્થા દ્વારા 14 જૂને હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં જે બહેનોને રકમ ન મળી હોય તેમનું પણ સોગંદનામું કરાયું હતું. આથી નૈના શ્રીમાળીએ કોર્ટની માફી માંગી હતી. આ સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી 10 જુલાઈએ નક્કી કરતા સરકાર ભોગ બનનાર પરિવારોને તે પહેલાં વળતર ચૂકવી દેશે તેમ કોર્ટને જણાવ્યું હતું.


હાઈકોર્ટે રાજ્ય સરકારને કરી હતી ટકોર


હાઇકોર્ટે 1 મેના રોજ થયેલી સુનવણીમાં જણાવ્યું હતું કે, સરકારની જવાબદારી છે કે ગટર કામદારો દ્વારા શારિરીક રીતે થતું કામ સદંતર બંધ થાય. જો આવી કોઈ ઘટના ઘટે તો મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર, નગર પાલિકામાં ચીફ ઓફિસર તથા ગ્રામ પંચાયતનાં સરપંચ સીધી રીતે જવાબદાર હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારને આ મુદ્દે 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે જ 19 જૂન સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવા પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. ત્યારે અત્યાર સુધીમાં આવો એક પણ બનાવ કોર્ટ સમક્ષ આવ્યો નથી.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?