ગટર સફાઈ કામદારના મોત મામલે હાઈકોર્ટમાં ભૂલ ભરેલી માહિતી રજૂ કરાઈ, 10 જુલાઈએ થશે વધુ સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-06-21 21:16:15

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં થતા ગટર સફાઈ કામદારોના અવારનવાર થતાં મોત, શારીરિક રીતે થતું ગટર સફાઈનું કામ રોકવા અને તેમના આવા કાર્ય દરમિયાન મૃત્યુ બાદ ચૂકવવાના વળતર અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જે કામદારો ગટરની સફાઈ કરવા ઉતરવા જતા મોતને ભેટ્યા હોય તેવા કામદારોની યાદી હાઇકોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. આ એ કામદારો છે જેમને વળતર ચૂકવવાનું બાકી હતું. જાણીતી સ્વૈચ્છિક સંસ્થા માનવ ગરીમાં દ્વારા કરાયેલી આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.


11માંથી માત્ર 6 કામદારોના પરિવારને જ વળતર ચૂકવાયું


ગુજરાત હાઇકોર્ટના 18 એપ્રિલના હુકમ સંદર્ભે ગુજરાત સરકારમાં સફાઈ કામદાર વિકાસ નિગમના ઇન્ચાર્જ ડિરેકટર નૈનાબેન શ્રીમાળીએ એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં તેમના દ્વારા જણાવાયું હતું કે, 30 એપ્રિલે તેમના દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં 26 ભોગ બનનાર કામદારોના પરિવારમાંથી 11ને વળતર ચૂકવાયું છે. પરંતુ હકીકતમાં પાંચ પરિવારને જ વળતર ચૂકવાયું હતું. આ ભૂલ ટાઈપિંગ એરરને લીધે થઈ છે. ઉપરાંત અગાઉની એફિડેવિટમાં ભોગ બનનાર 11માંથી 6 પરિવારને વળતર ચૂકવાયું હોવાનું જણાવાયુ છે. જેની પણ ચકાસણી જરૂરી છે.


આ મામલે વધુ સુનાવણી 10 જુલાઈએ 

આ કેસમાં માનવ ગરીમાં સંસ્થા દ્વારા 14 જૂને હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં જે બહેનોને રકમ ન મળી હોય તેમનું પણ સોગંદનામું કરાયું હતું. આથી નૈના શ્રીમાળીએ કોર્ટની માફી માંગી હતી. આ સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી 10 જુલાઈએ નક્કી કરતા સરકાર ભોગ બનનાર પરિવારોને તે પહેલાં વળતર ચૂકવી દેશે તેમ કોર્ટને જણાવ્યું હતું.


હાઈકોર્ટે રાજ્ય સરકારને કરી હતી ટકોર


હાઇકોર્ટે 1 મેના રોજ થયેલી સુનવણીમાં જણાવ્યું હતું કે, સરકારની જવાબદારી છે કે ગટર કામદારો દ્વારા શારિરીક રીતે થતું કામ સદંતર બંધ થાય. જો આવી કોઈ ઘટના ઘટે તો મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર, નગર પાલિકામાં ચીફ ઓફિસર તથા ગ્રામ પંચાયતનાં સરપંચ સીધી રીતે જવાબદાર હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારને આ મુદ્દે 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે જ 19 જૂન સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવા પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. ત્યારે અત્યાર સુધીમાં આવો એક પણ બનાવ કોર્ટ સમક્ષ આવ્યો નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.