ગટર સફાઈ કામદારના મોત મામલે હાઈકોર્ટમાં ભૂલ ભરેલી માહિતી રજૂ કરાઈ, 10 જુલાઈએ થશે વધુ સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-06-21 21:16:15

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં થતા ગટર સફાઈ કામદારોના અવારનવાર થતાં મોત, શારીરિક રીતે થતું ગટર સફાઈનું કામ રોકવા અને તેમના આવા કાર્ય દરમિયાન મૃત્યુ બાદ ચૂકવવાના વળતર અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જે કામદારો ગટરની સફાઈ કરવા ઉતરવા જતા મોતને ભેટ્યા હોય તેવા કામદારોની યાદી હાઇકોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. આ એ કામદારો છે જેમને વળતર ચૂકવવાનું બાકી હતું. જાણીતી સ્વૈચ્છિક સંસ્થા માનવ ગરીમાં દ્વારા કરાયેલી આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.


11માંથી માત્ર 6 કામદારોના પરિવારને જ વળતર ચૂકવાયું


ગુજરાત હાઇકોર્ટના 18 એપ્રિલના હુકમ સંદર્ભે ગુજરાત સરકારમાં સફાઈ કામદાર વિકાસ નિગમના ઇન્ચાર્જ ડિરેકટર નૈનાબેન શ્રીમાળીએ એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં તેમના દ્વારા જણાવાયું હતું કે, 30 એપ્રિલે તેમના દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં 26 ભોગ બનનાર કામદારોના પરિવારમાંથી 11ને વળતર ચૂકવાયું છે. પરંતુ હકીકતમાં પાંચ પરિવારને જ વળતર ચૂકવાયું હતું. આ ભૂલ ટાઈપિંગ એરરને લીધે થઈ છે. ઉપરાંત અગાઉની એફિડેવિટમાં ભોગ બનનાર 11માંથી 6 પરિવારને વળતર ચૂકવાયું હોવાનું જણાવાયુ છે. જેની પણ ચકાસણી જરૂરી છે.


આ મામલે વધુ સુનાવણી 10 જુલાઈએ 

આ કેસમાં માનવ ગરીમાં સંસ્થા દ્વારા 14 જૂને હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં જે બહેનોને રકમ ન મળી હોય તેમનું પણ સોગંદનામું કરાયું હતું. આથી નૈના શ્રીમાળીએ કોર્ટની માફી માંગી હતી. આ સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી 10 જુલાઈએ નક્કી કરતા સરકાર ભોગ બનનાર પરિવારોને તે પહેલાં વળતર ચૂકવી દેશે તેમ કોર્ટને જણાવ્યું હતું.


હાઈકોર્ટે રાજ્ય સરકારને કરી હતી ટકોર


હાઇકોર્ટે 1 મેના રોજ થયેલી સુનવણીમાં જણાવ્યું હતું કે, સરકારની જવાબદારી છે કે ગટર કામદારો દ્વારા શારિરીક રીતે થતું કામ સદંતર બંધ થાય. જો આવી કોઈ ઘટના ઘટે તો મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર, નગર પાલિકામાં ચીફ ઓફિસર તથા ગ્રામ પંચાયતનાં સરપંચ સીધી રીતે જવાબદાર હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારને આ મુદ્દે 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે જ 19 જૂન સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવા પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. ત્યારે અત્યાર સુધીમાં આવો એક પણ બનાવ કોર્ટ સમક્ષ આવ્યો નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.