ગુજરાત સરકાર લોન લેવામાં પણ ગતિશીલ, કેન્દ્ર સરકાર પાસેથી બે વર્ષમાં કેટલી લોન મેળવી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-18 16:13:07

વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્ય સરકારે લીધેલી લોન અંગે પ્રશ્ન કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ અંગે માહિતી આપી હતી. 


રાજ્ય સરકારે કેટલી લોન લીધી?


નાણામંત્રીએ વિધાન સભામાં આપેલી માહિતી મુજબ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે. વર્ષ 2020-21 માં 44,780 અને 2021-22 માં 41,000 કરોડની લોન લીધી છે. સરકારે આ લોન 5.27 ટકાથી લઈ 7.73ના વ્યાજ દરે લીધી છે અને તે 2 થી 10 વર્ષની મુદતમાં ભરપાઈ કરવાની રહેશે. કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી શકાય એવું સરકારે લોન માટે કારણ આપ્યું છે.


બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે સવાલ


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે પ્રશ્ન કર્યો હતો. જેનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. જે મુજબ વર્ષ 2020-21ના બજેટના નાણાકીય ખર્ચમાં 71,714.48 કરોડનો વહીવટી ખર્ચ જ્યારે 1, 24, 535.85 કરોડનો વિકાસ ખર્ચ થયો છે. વર્ષ 2021-22 ના બજેટના નાણાકીય ખર્ચમાં 82, 479.71 વહીવટી ખર્ચ જ્યારે 1, 31, 221.47 વિકાસ ખર્ચ કરવામાં આવ્યો હતો. 


VAT અને GST હેઠળ કેટલી કમાણી કરી?


રાજ્ય સરકારને વર્ષે 2022-2023 માં VAT અને GSTની હજારો કરોડની આવક થઈ છે. વર્ષે 2022-2023 માં રાજ્ય સરકારને VAT અને GSTની 69 હજાર 483 કરોડ 1 લાખની આવક થઈ છે. GST પેટે 40 હજાર 581 કરોડ 27 લાખની આવક જ્યારે VAT પેટે 28 હજાર 901 કરોડ 83 લાખની આવક થઈ.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."