ગુજરાત સરકાર લોન લેવામાં પણ ગતિશીલ, કેન્દ્ર સરકાર પાસેથી બે વર્ષમાં કેટલી લોન મેળવી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-18 16:13:07

વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્ય સરકારે લીધેલી લોન અંગે પ્રશ્ન કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ અંગે માહિતી આપી હતી. 


રાજ્ય સરકારે કેટલી લોન લીધી?


નાણામંત્રીએ વિધાન સભામાં આપેલી માહિતી મુજબ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે. વર્ષ 2020-21 માં 44,780 અને 2021-22 માં 41,000 કરોડની લોન લીધી છે. સરકારે આ લોન 5.27 ટકાથી લઈ 7.73ના વ્યાજ દરે લીધી છે અને તે 2 થી 10 વર્ષની મુદતમાં ભરપાઈ કરવાની રહેશે. કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી શકાય એવું સરકારે લોન માટે કારણ આપ્યું છે.


બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે સવાલ


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે પ્રશ્ન કર્યો હતો. જેનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. જે મુજબ વર્ષ 2020-21ના બજેટના નાણાકીય ખર્ચમાં 71,714.48 કરોડનો વહીવટી ખર્ચ જ્યારે 1, 24, 535.85 કરોડનો વિકાસ ખર્ચ થયો છે. વર્ષ 2021-22 ના બજેટના નાણાકીય ખર્ચમાં 82, 479.71 વહીવટી ખર્ચ જ્યારે 1, 31, 221.47 વિકાસ ખર્ચ કરવામાં આવ્યો હતો. 


VAT અને GST હેઠળ કેટલી કમાણી કરી?


રાજ્ય સરકારને વર્ષે 2022-2023 માં VAT અને GSTની હજારો કરોડની આવક થઈ છે. વર્ષે 2022-2023 માં રાજ્ય સરકારને VAT અને GSTની 69 હજાર 483 કરોડ 1 લાખની આવક થઈ છે. GST પેટે 40 હજાર 581 કરોડ 27 લાખની આવક જ્યારે VAT પેટે 28 હજાર 901 કરોડ 83 લાખની આવક થઈ.



મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.