ગુજરાત સરકાર લોન લેવામાં પણ ગતિશીલ, કેન્દ્ર સરકાર પાસેથી બે વર્ષમાં કેટલી લોન મેળવી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-18 16:13:07

વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્ય સરકારે લીધેલી લોન અંગે પ્રશ્ન કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ અંગે માહિતી આપી હતી. 


રાજ્ય સરકારે કેટલી લોન લીધી?


નાણામંત્રીએ વિધાન સભામાં આપેલી માહિતી મુજબ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે. વર્ષ 2020-21 માં 44,780 અને 2021-22 માં 41,000 કરોડની લોન લીધી છે. સરકારે આ લોન 5.27 ટકાથી લઈ 7.73ના વ્યાજ દરે લીધી છે અને તે 2 થી 10 વર્ષની મુદતમાં ભરપાઈ કરવાની રહેશે. કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી શકાય એવું સરકારે લોન માટે કારણ આપ્યું છે.


બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે સવાલ


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે પ્રશ્ન કર્યો હતો. જેનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. જે મુજબ વર્ષ 2020-21ના બજેટના નાણાકીય ખર્ચમાં 71,714.48 કરોડનો વહીવટી ખર્ચ જ્યારે 1, 24, 535.85 કરોડનો વિકાસ ખર્ચ થયો છે. વર્ષ 2021-22 ના બજેટના નાણાકીય ખર્ચમાં 82, 479.71 વહીવટી ખર્ચ જ્યારે 1, 31, 221.47 વિકાસ ખર્ચ કરવામાં આવ્યો હતો. 


VAT અને GST હેઠળ કેટલી કમાણી કરી?


રાજ્ય સરકારને વર્ષે 2022-2023 માં VAT અને GSTની હજારો કરોડની આવક થઈ છે. વર્ષે 2022-2023 માં રાજ્ય સરકારને VAT અને GSTની 69 હજાર 483 કરોડ 1 લાખની આવક થઈ છે. GST પેટે 40 હજાર 581 કરોડ 27 લાખની આવક જ્યારે VAT પેટે 28 હજાર 901 કરોડ 83 લાખની આવક થઈ.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.