ગુજરાત સરકાર લોન લેવામાં પણ ગતિશીલ, કેન્દ્ર સરકાર પાસેથી બે વર્ષમાં કેટલી લોન મેળવી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-18 16:13:07

વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્ય સરકારે લીધેલી લોન અંગે પ્રશ્ન કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ અંગે માહિતી આપી હતી. 


રાજ્ય સરકારે કેટલી લોન લીધી?


નાણામંત્રીએ વિધાન સભામાં આપેલી માહિતી મુજબ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે. વર્ષ 2020-21 માં 44,780 અને 2021-22 માં 41,000 કરોડની લોન લીધી છે. સરકારે આ લોન 5.27 ટકાથી લઈ 7.73ના વ્યાજ દરે લીધી છે અને તે 2 થી 10 વર્ષની મુદતમાં ભરપાઈ કરવાની રહેશે. કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી શકાય એવું સરકારે લોન માટે કારણ આપ્યું છે.


બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે સવાલ


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે પ્રશ્ન કર્યો હતો. જેનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. જે મુજબ વર્ષ 2020-21ના બજેટના નાણાકીય ખર્ચમાં 71,714.48 કરોડનો વહીવટી ખર્ચ જ્યારે 1, 24, 535.85 કરોડનો વિકાસ ખર્ચ થયો છે. વર્ષ 2021-22 ના બજેટના નાણાકીય ખર્ચમાં 82, 479.71 વહીવટી ખર્ચ જ્યારે 1, 31, 221.47 વિકાસ ખર્ચ કરવામાં આવ્યો હતો. 


VAT અને GST હેઠળ કેટલી કમાણી કરી?


રાજ્ય સરકારને વર્ષે 2022-2023 માં VAT અને GSTની હજારો કરોડની આવક થઈ છે. વર્ષે 2022-2023 માં રાજ્ય સરકારને VAT અને GSTની 69 હજાર 483 કરોડ 1 લાખની આવક થઈ છે. GST પેટે 40 હજાર 581 કરોડ 27 લાખની આવક જ્યારે VAT પેટે 28 હજાર 901 કરોડ 83 લાખની આવક થઈ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.