ગુજરાત સરકારે 6 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા


  • Published By :
  • Published Date : 2022-12-30 18:03:11

ગુજરાત કેડરના 6 આઈએએસની બદલીના આદેશ અપાયા છે. સરકાર વહીવટી કારણોસર સમયાંતરે આઈએસની બદલીના આદેશ આપતી હોય છે ત્યારે આજે વધુ છ આઈએએસની બદલીના આદેશ આપ્યા છે. સચિવાલયના 6 આઈએએસ અધિકારીઓને મદદનીશ કલેક્ટર તરીકે ગુજરાતના વિવિધ વિભાગમાં નિયુક્તિ કરાઈ છે. 


IAS મિસ કંચનને વીરમગામના  મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. IAS મિસ કંચન અગાઉ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. 

IAS મિસ નતિશા માથુરની અંકલેશ્વરના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલય ખાતે શહેરી વિકાસ વિભાગમાં અંડર સેક્રેટરી સેવા આપતા હતા. 

IAS યુવરાજ સેદ્ધાર્થની પાલિતાણાના મદદનીશ કલેક્ટj તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં પંચાયત વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 

IAS જયંત કિશોર માનકલેને હિંમતનગરના  મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 

IAS દેવાહુતીની ગોંડલના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. 

IAS યોગેશ શિવકુમાર કપાસેની ડભોઈના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના મહેસૂલ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.