ગુજરાત સરકારે 6 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા


  • Published By :
  • Published Date : 2022-12-30 18:03:11

ગુજરાત કેડરના 6 આઈએએસની બદલીના આદેશ અપાયા છે. સરકાર વહીવટી કારણોસર સમયાંતરે આઈએસની બદલીના આદેશ આપતી હોય છે ત્યારે આજે વધુ છ આઈએએસની બદલીના આદેશ આપ્યા છે. સચિવાલયના 6 આઈએએસ અધિકારીઓને મદદનીશ કલેક્ટર તરીકે ગુજરાતના વિવિધ વિભાગમાં નિયુક્તિ કરાઈ છે. 


IAS મિસ કંચનને વીરમગામના  મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. IAS મિસ કંચન અગાઉ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. 

IAS મિસ નતિશા માથુરની અંકલેશ્વરના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલય ખાતે શહેરી વિકાસ વિભાગમાં અંડર સેક્રેટરી સેવા આપતા હતા. 

IAS યુવરાજ સેદ્ધાર્થની પાલિતાણાના મદદનીશ કલેક્ટj તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં પંચાયત વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 

IAS જયંત કિશોર માનકલેને હિંમતનગરના  મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 

IAS દેવાહુતીની ગોંડલના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. 

IAS યોગેશ શિવકુમાર કપાસેની ડભોઈના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના મહેસૂલ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.