પેટ્રોલ-ડીઝલ પરના VAT થકી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જાણો કેટલી કમાણી થઈ?


  • Published By :
  • Published Date : 2023-03-14 15:47:47

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, આ ભાવ વધારાના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી છે. જો કે ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ છે. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી VAT દ્વારા રૂ. 38,730 કરોડની કમાણી કરી છે. રાજ્ય વિધાનસભામાં નાણાંમંત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 


રાજ્ય સરકારને અધધધ કમાણી


રાજ્ય વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં એક તારાંકિત પ્રશ્નના જવાબમાં, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પેટ્રોલ પરના વેટ અને સેસમાંથી રૂ. 11,870 કરોડ, ડીઝલ પર રૂ. 26,383 કરોડ, PNG પર રૂ. 128 કરોડ અને CNG પર રૂ. 376 કરોડની કમાણી કરી છે.


પેટ્રોલ-ડીઝલ પર કેટલો વેટ?


રાજ્ય સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ પર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, પીએનજી (કોમર્શિયલ) પર 15 ટકા વેટ, પીએનજી (ડોમેસ્ટિક) પર 5 ટકા વેટ લાદ્યો હતો. તેમણે કહ્યું કે, સીએનજી (હોલ સેલર) પર 15 ટકા વેટ અને સીએનજી (રિટેલર) પર 5 ટકા વેટ છે. નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહને વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે ઘરેલું ગ્રાહકો માટે વાહન ઈંધણ તરીકે વપરાતા પીએનજી અને સીએનજી પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 10 ટકા અને 5 ટકા કરવામાં આવ્યો છે.


કેન્દ્ર સરકારે GST વળતર પેટે કેટલી રકમ આપી?


રાજ્ય સરકારને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી કેટલી રકમ મળી તે અંગે પણ વિધાનસભામાં સવાલ થયો હતો. આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે કેન્દ્ર પાસેથી જીએસટીના તેના હિસ્સા તરીકે રૂ. 21,672.90 કરોડ મળશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારને GSTમાંથી તેનો હિસ્સો રૂ. 4,219 કરોડ મળ્યો છે અને બાકીની રકમ માટે તેને રૂ. 15,036.85 કરોડની લોન મળી છે, જે કેન્દ્ર દ્વારા સેસ ફંડમાંથી ચૂકવવામાં આવશે.



લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.