પેટ્રોલ-ડીઝલ પરના VAT થકી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જાણો કેટલી કમાણી થઈ?


  • Published By :
  • Published Date : 2023-03-14 15:47:47

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, આ ભાવ વધારાના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી છે. જો કે ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ છે. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી VAT દ્વારા રૂ. 38,730 કરોડની કમાણી કરી છે. રાજ્ય વિધાનસભામાં નાણાંમંત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 


રાજ્ય સરકારને અધધધ કમાણી


રાજ્ય વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં એક તારાંકિત પ્રશ્નના જવાબમાં, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પેટ્રોલ પરના વેટ અને સેસમાંથી રૂ. 11,870 કરોડ, ડીઝલ પર રૂ. 26,383 કરોડ, PNG પર રૂ. 128 કરોડ અને CNG પર રૂ. 376 કરોડની કમાણી કરી છે.


પેટ્રોલ-ડીઝલ પર કેટલો વેટ?


રાજ્ય સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ પર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, પીએનજી (કોમર્શિયલ) પર 15 ટકા વેટ, પીએનજી (ડોમેસ્ટિક) પર 5 ટકા વેટ લાદ્યો હતો. તેમણે કહ્યું કે, સીએનજી (હોલ સેલર) પર 15 ટકા વેટ અને સીએનજી (રિટેલર) પર 5 ટકા વેટ છે. નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહને વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે ઘરેલું ગ્રાહકો માટે વાહન ઈંધણ તરીકે વપરાતા પીએનજી અને સીએનજી પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 10 ટકા અને 5 ટકા કરવામાં આવ્યો છે.


કેન્દ્ર સરકારે GST વળતર પેટે કેટલી રકમ આપી?


રાજ્ય સરકારને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી કેટલી રકમ મળી તે અંગે પણ વિધાનસભામાં સવાલ થયો હતો. આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે કેન્દ્ર પાસેથી જીએસટીના તેના હિસ્સા તરીકે રૂ. 21,672.90 કરોડ મળશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારને GSTમાંથી તેનો હિસ્સો રૂ. 4,219 કરોડ મળ્યો છે અને બાકીની રકમ માટે તેને રૂ. 15,036.85 કરોડની લોન મળી છે, જે કેન્દ્ર દ્વારા સેસ ફંડમાંથી ચૂકવવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.