પેટ્રોલ-ડીઝલ પરના VAT થકી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જાણો કેટલી કમાણી થઈ?


  • Published By :
  • Published Date : 2023-03-14 15:47:47

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, આ ભાવ વધારાના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી છે. જો કે ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ છે. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી VAT દ્વારા રૂ. 38,730 કરોડની કમાણી કરી છે. રાજ્ય વિધાનસભામાં નાણાંમંત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 


રાજ્ય સરકારને અધધધ કમાણી


રાજ્ય વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં એક તારાંકિત પ્રશ્નના જવાબમાં, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પેટ્રોલ પરના વેટ અને સેસમાંથી રૂ. 11,870 કરોડ, ડીઝલ પર રૂ. 26,383 કરોડ, PNG પર રૂ. 128 કરોડ અને CNG પર રૂ. 376 કરોડની કમાણી કરી છે.


પેટ્રોલ-ડીઝલ પર કેટલો વેટ?


રાજ્ય સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ પર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, પીએનજી (કોમર્શિયલ) પર 15 ટકા વેટ, પીએનજી (ડોમેસ્ટિક) પર 5 ટકા વેટ લાદ્યો હતો. તેમણે કહ્યું કે, સીએનજી (હોલ સેલર) પર 15 ટકા વેટ અને સીએનજી (રિટેલર) પર 5 ટકા વેટ છે. નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહને વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે ઘરેલું ગ્રાહકો માટે વાહન ઈંધણ તરીકે વપરાતા પીએનજી અને સીએનજી પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 10 ટકા અને 5 ટકા કરવામાં આવ્યો છે.


કેન્દ્ર સરકારે GST વળતર પેટે કેટલી રકમ આપી?


રાજ્ય સરકારને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી કેટલી રકમ મળી તે અંગે પણ વિધાનસભામાં સવાલ થયો હતો. આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે કેન્દ્ર પાસેથી જીએસટીના તેના હિસ્સા તરીકે રૂ. 21,672.90 કરોડ મળશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારને GSTમાંથી તેનો હિસ્સો રૂ. 4,219 કરોડ મળ્યો છે અને બાકીની રકમ માટે તેને રૂ. 15,036.85 કરોડની લોન મળી છે, જે કેન્દ્ર દ્વારા સેસ ફંડમાંથી ચૂકવવામાં આવશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.