સરકારના કન્યા કેળવણીના દાવાનો ફિયાસ્કો, બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં 452 સાઈકલો બની ભંગાર


  • Published By :
  • Published Date : 2023-05-31 18:15:08

રાજ્ય સરકાર દ્વારા બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થિનીઓને શાળાએથી ઘરે અપડાઉન કરવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ મફત સાયકલ આપવામાં આવે છે. માધ્યમિક શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવતી બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જો કે ઘણીવાર તંત્રની બેદરકારીના કારણે ગરીબ વિદ્યાર્થિનીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચી જ શકતો નથી. જેમ કે બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં  452 જેટલી સાઈકલો છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. આ સમાચાર સામે આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. 


452 વિદ્યાર્થીનીઓને સાઈકલોનું વિતરણ ન થયું


ગુજરાત સરકારે પ્રવેશોત્સવ-2015 હેઠળ બોરસદ તાલુકામાં અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓને 452 જેટલી સાઈકલો ફાળવી હતી. તંત્ર દ્વારા સાઈકલોનું વિતરણ જ કરવામાં આવ્યું ન હતું, આ જ કારણે બોરસદ બી.આર.સી ભવન ખાતે આવેલ વઘવાલા પ્રાથમિક શાળાના બે રૂમમાં શાળા પ્રવેશોત્સવ 2015 દરમિયાન ફાળવાયેલ 452 થી વધુ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. તંત્રની લાલિયાવાડીના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.


વાલીઓમાં ભારે આક્રોશ


બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના એક રૂમમાં 245 અને ત્રીજા રૂમમાં 207 સાયકલો ધુળ ખાઈ રહી છે. આ બાબતે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીઓના વાલીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ફાળવવામાં આવેલ સાઇકલો ભંગાર બની ગઈ છે, જો તેનું સમસયર આયોજન કરીને વિતરણ કરવામાં આવ્યું હોત તો આજે 452 થી વધુ વિદ્યાર્થીનીઓને લાભ મળ્યો હોત તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે સરકારમાં રિપોર્ટ કરવામાં આવનાર છે અને સરકાર તરફથી જે આદેશ મળશે તે મુજબ સાઇકલો અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારી સહાયની લાખો રૂપિયાની સાયકલો રણીધણી વગર પડી રહી છે. જેમાં મોટાભાગની સાયકલોના રીંગો વળી ગયેલ છે અને ટાયર ટ્યુબ ખલાસ થઈ ગયા છે. સાયકલોના ઢગલામાં કરોળિયાના જાળા બાઝી ગયા છે. આટલી મોટી બેદરકારી માટે ખરેખર કોણ જવાબદાર છે તેવા સવાલો થઈ રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.