સરકાર મોડે મોડે જાગી, હવે પેપર લીક મામલે કડક કાયદો લાવશે, મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-01 20:27:41

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર રાજ્યમાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ ઠેર-ઠેર સરકાર વિરોધી દેખાવો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરીક્ષાર્થીઓથી લઈને તેમના વાલીઓ પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવવામાંની માગ કરી રહ્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે જો કે આ પહેલા પણ ગુજરાતમાં અનેક વખત પેપર લીકની ઘટનાઓ બની ચૂકી છે અને રાજ્ય સરકારે તેમાંથી કોઈ પણ પ્રકારોનો બોધપાઠ લીધો નથી. હવે આ વાતને લઈને રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટી જાહેરાત કરી છે.


શું કહ્યું  ઋષિકેશ પટેલે?


પેપર લીક કાંડ મુદ્દે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, જુનિયાર ક્લાર્કના પેપર લીક અંગે પોલીસને જાણ થઈ એટલે તાત્કાલિક રેડ કરવામાં આવી. લાયકાત વાળા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે પરીક્ષા રદ્દ કરાઈ હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, છેલ્લા 3- 4 મહિનાથી કડક કાયદો બનાવવાની કવાયત ચાલુ છે. વિધાનસભામાં કડક સજાવાળો કાયદો ઘડવામાં આવશે. જે પરીક્ષાઓ અટકી છે તે પરીક્ષાની તારીખો ઝડપથી જાહેર કરવામાં આવશે. નવા કાયદામાં કડક જોગવાઈ હશે. પેપર જ્યાં છપાશે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે તે તમામ લોકોની જવાબદારી બનશે. આગામી બજેટ સત્રમાં જ પેપરલીક મામલે ગુજરાત સરકાર નવો કાયદો લાવશે.


ભૂતકાળમાં આ પેપર ફૂટ્યા 


2014 માં GPSC ચીફ ઓફિસરનું પેપર, 2014- રેવન્યુ તલાટીની ભરતી,2014- ચીફ ઓફિસર, 2015- તલાટીની પરીક્ષા,  2016માં તલાટીની પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું, 2018- મુખ્ય સેવિકાની પરીક્ષા, 2018- નાયબ ચિટનીસની પરીક્ષા, 2018- લોક રક્ષક દળ, 2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT,2019માં- બિન સચિવાલય ક્લાર્ક, 2021- હેડ ક્લાર્ક, 2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 2021- સબ-ઓડિટર, 2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું, 2022- જૂનિયર કલાર્ક



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.