ગુજરાત ATSએ પાકિસ્તાન માટે કામ કરનાર એક જાસૂસને પકડી પાડ્યો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-24 14:49:24

ભારત પાકિસ્તાન સરહદેથી સમાચાર સામે આવ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે બોર્ડર સિક્યોરિટી ફોર્સની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . સાથે જ આપણા બીજા સરહદી જિલ્લા બનાસકાંઠામાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. આ પાકિસ્તાનીએ ૨૩મે ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. થોડાક સમય પેહલા ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર ભારતમાં ૯ થી ૧૦ જેટલા નાગરિકોની પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI માટે કામ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક પ્રખ્યાત યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. હવે કચ્છ જિલ્લાથી સમાચાર સામે આવી રહ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે. આ માટે એક PSIને લીડ મળી હતી કે તે BSF અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . બાદમાં સ્પેશ્યલ ટિમ બનાવીને તેને ઝડપી લેવાયો હતો. 

આદિતી ભારદ્વાજ નામની છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી. અદિતિએ આરોપી પાસેથી BSF અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી.આરોપી સહદેવ સિંહને 40 હજાર રોકડ પણ અપાયા હતા. કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે. તેની પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી. આ આરોપી સહદેવસિંહ ગોહિલ જૂન જુલાઈ ૨૦૨૩થી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો . બીજા સમાચાર સરહદી જિલ્લા બનાસકાંઠાથી સામે આવ્યા છે કે BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી છતાં તે આગળ વધી રહ્યો હતો, જેથી પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.

BSF may be withdrawn from LoC, deployed to secure Indo-Pak International  Border - The Economic Times

બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFએ થોડાક સમય પેહલા જમ્મુ કાશ્મીરમાં પાંચ પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી લોન્ચ પેડ કે જે POKના મસ્તપુરમાં આવ્યું છે તેનો નાશ કર્યો હતો . તે માટેની કામગીરી ક્યા દિવસે હાથ ધરવામાં આવી હતી તે બહાર નથી આવ્યું. 




ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.

ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે .

પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી, અને તેના કારણે ઘણી ઇમારતો, જેમાં 100 વર્ષ જૂના એક ચર્ચનો પણ સમાવેશ થાય છે. વીજળી કટોકટી, પાણીની અછત અને આફ્ટરશોક્સના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો .