ગુજરાત ATSએ પાકિસ્તાન માટે કામ કરનાર એક જાસૂસને પકડી પાડ્યો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-24 14:49:24

ભારત પાકિસ્તાન સરહદેથી સમાચાર સામે આવ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે બોર્ડર સિક્યોરિટી ફોર્સની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . સાથે જ આપણા બીજા સરહદી જિલ્લા બનાસકાંઠામાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. આ પાકિસ્તાનીએ ૨૩મે ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. થોડાક સમય પેહલા ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર ભારતમાં ૯ થી ૧૦ જેટલા નાગરિકોની પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI માટે કામ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક પ્રખ્યાત યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. હવે કચ્છ જિલ્લાથી સમાચાર સામે આવી રહ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે. આ માટે એક PSIને લીડ મળી હતી કે તે BSF અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . બાદમાં સ્પેશ્યલ ટિમ બનાવીને તેને ઝડપી લેવાયો હતો. 

આદિતી ભારદ્વાજ નામની છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી. અદિતિએ આરોપી પાસેથી BSF અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી.આરોપી સહદેવ સિંહને 40 હજાર રોકડ પણ અપાયા હતા. કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે. તેની પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી. આ આરોપી સહદેવસિંહ ગોહિલ જૂન જુલાઈ ૨૦૨૩થી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો . બીજા સમાચાર સરહદી જિલ્લા બનાસકાંઠાથી સામે આવ્યા છે કે BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી છતાં તે આગળ વધી રહ્યો હતો, જેથી પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.

BSF may be withdrawn from LoC, deployed to secure Indo-Pak International  Border - The Economic Times

બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFએ થોડાક સમય પેહલા જમ્મુ કાશ્મીરમાં પાંચ પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી લોન્ચ પેડ કે જે POKના મસ્તપુરમાં આવ્યું છે તેનો નાશ કર્યો હતો . તે માટેની કામગીરી ક્યા દિવસે હાથ ધરવામાં આવી હતી તે બહાર નથી આવ્યું. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.