દિલ્હી CM કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી, PM મોદીની ડિગ્રી મામલે રાહત આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-08-11 15:42:24

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આપના જ રાજ્ય સભાના સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં હાઈકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા AAPના સાંસદ સંજય સિંહ વિરુદ્ધ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ જારી કર્યું હતું. આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે પણ બંને નેતાઓને વચગાળાની કોઈ રાહત આપવાથી ઈનકાર કરી દીધો છે અને અરજી ફગાવી દીધી છે.


હાઈકોર્ટનો રાહત આપવાનો ઈન્કાર


ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેની કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી દરમિયાન બંને નેતાઓને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરતા કથિત રીતે બદનક્ષીભર્યા નિવેદનો કરવા બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી બદનક્ષીની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?


ગુજરાત હાઈકોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, તમને કોર્ટમાં બોલાવ્યા ત્યારે હાજર રહેવું જોઈતું હતું, તમે કોર્ટને આશ્વાસન આપ્યું હતું. હવે તો દિલ્હીમાં પૂરની સ્થિતિ પણ નથી, તમે કોર્ટને ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છો. કેજરીવાલના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે લોકલ કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સ્ટે આપવામાં આવે. જોકે હાઈકોર્ટે આમ કરવાથી ઈનકાર કરી દીધો હતો. હવે સૌ કોઈની નજર નીચલી અદાલતના ચુકાદા પર છે.


યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ કરી હતી અરજી


PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.