ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં, સજા પર સ્ટે માંગતી અરજી પર ચુકાદો અનામત


  • Published By :
  • Published Date : 2023-05-02 18:02:48

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાહુલને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. સુરત જિલ્લાની એક કોર્ટે મોદી સરનેમ કેસમાં દાખલ કરાયેલ ફોજદારી માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે રાહુલ ગાંધીએ આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને બે વર્ષની સજા પર સ્ટેની માગ કરતી અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે આ કેસ અંગે ખુબ જ મહત્વની સુનાવણી થઈ હતી. 


ચુકાદો ઉનાળું વેકેશન પછી આવી શકે


ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ અને પૂર્ણેશ મોદીના વકીલે સામ સામે દલીલો કરી હતી. કોર્ટે બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટમાં આવતી કાલથી ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. વેકેશન દરમિયાન કોર્ટ ચૂકાદો  લખાવશે, વેકેશન બાદ જ કોર્ટ ચૂકાદો જાહેર કરી શકે છે. આગામી એક મહિના સુધી સજા મોકૂફી મુદ્દે નિર્ણય અનામત રહી શકે છે. જેથી એક રીતે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સંઘવીએ જુદા જુદા કેસમાં આવેલા ચુકાદાઓને ટાંકીને ધારદાર દલીલો કરી હતી.


બંને પક્ષોના વકીલો કોર્ટમાં હાજર


ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ હેમંત એમ. પ્રચ્છકે  રાહુલ ગાંધીની અપીલ પર દલીલો સાંભળી હતી. કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી હાઈકોર્ટના વકીલ પંકજ ચાંપાનેરી પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તે જ પ્રકારે પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તૌલિયા, નિરૂપમ નાણાવટી, અને ગુજરાત સરકાર તરફથી સરકારી વકીલ મિતેષ અમીન પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.  


હાઈકોર્ટનો ચુકાદો કેટલો મહત્વનો?


ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રાહુલ ગાંધી માટે ખુબ જ મહત્વનો છે. જો તેમની સજા પર સ્ટેની માગ કોર્ટ ફગાવી દે છે તો તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. જ્યારે વાયનાડમાં ફરીથી વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતીમાં તેમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. હાઈકોર્ટ રાહુલ ગાધીની સજા પર સ્ટે નથી આપતી તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. 



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .