Gujarat Highcourt Exam : જુલાઈ મહિનામાં Peon માટે લેવાઈ પરીક્ષા, મહિનાઓ વિત્યા પરંતુ નથી આવ્યું પરિણામ


  • Published By :
  • Published Date : 2023-10-26 18:52:43

જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં peon માટેની પરીક્ષા લેવાઈ હતી. પટાવાળા અને અન્ય પોસ્ટ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી. મે 2023માં આ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ભરતી માટેની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ. અનેક મહિનાઓ વિતી ગયા પરંતુ હજી સુધી પરિણામ આવ્યું નથી. પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મહિનાઓ સુધી પરિણામ આપવામાં નથી આવ્યું. પરિણામ બને તેટલું જલ્દી મળે તેવી પરીક્ષાર્થીઓની માગ છે. 

The Gujarat High Court Advocate Association made a representation to the  Chief Justice regarding security in the court | ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ  એસોસિએશને ચીફ જસ્ટિસને કોર્ટમાં સુરક્ષાને લઇ ...

પરીક્ષાને અનેક મહિના વિત્યા પરંતુ પરિણામ નથી આવ્યું 

આપણે ત્યાં અનેક પરીક્ષાઓ લેવામાં આવે છે. યુવાનોને રોજગાર મળે તે હેતુથી પરીક્ષા તો લેવામાં આવે છે પરંતુ અનેક મહિનાઓ વિત્યા બાદ પણ અનેક પરીક્ષાઓનું પરિણામ નથી આવતું. ગુજરાત હાઈકોર્ટની પ્યુનની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ હતી. એવી માહિતી આપવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિના સુધીમાં પરિણામ આવી શકે છે પરંતુ ઓક્ટોબર મહિનો પતવા આવ્યો પરંતુ હજી સુધી તેનું પરિણામ આપવામાં નથી આવ્યું. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં માટે પરીક્ષા લેવાઈ. 7માં મહિનામાં પરીક્ષા લેવાઈ પરંતુ ઓક્ટોબર મહિનો પૂર્ણ થવા આવ્યો ત્યાં સુધી પરિણામ નથી જાહેર કરવામાં આવ્યું.



જ્યારે પણ ફોન ઉમેદવારો કરે છે ત્યારે કહેવાય છે વેબસાઈટ જોતા રહો...!

પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે પરંતુ ક્યાં સુધી તેમને પરિણામની રાહ જોવી પડશે તે તેમને ખબર નથી. 9-7-2023એ આ પરીક્ષા યોજાઈ હતી, 7-11-2023એ આ પરીક્ષા પૂર્ણ થયે ચાર મહિના વિતી જશે પરંતુ પરિણામ આવશે તેવી આશા પરીક્ષાર્થીઓને નથી. પરિણામ ક્યારે આવશે એ જાણવા જ્યારે પરીક્ષાર્થીઓ જ્યારે 07927664601 નંબર પર ફોન કરે છે ત્યારે તેમને વેબસાઈટ  https://hc-ojas.gujarat.gov.in/ પર જઈને જોવા માટે કહેવામાં આવે છે. આ વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. પરિણામ માટે અનેક વખત વેબસાઈટ જોયા કરતા રહેવું પડે છે. પરિણામ ક્યારે આપવામાં આવશે તેની જાણ પરીક્ષાર્થીઓ નથી જેને કારણે તેઓ આગળનું પ્લાનિંગ નથી કરી શકતા. પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.