Gujarat Highcourt Exam : જુલાઈમાં લેવાયેલી હતી Peon માટેની પરીક્ષા, મહિનાઓ વિત્યા પરંતુ હજી સુધી નથી આવ્યું પરિણામ


  • Published By :
  • Published Date : 2023-11-03 15:55:42

જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં peon માટેની પરીક્ષા લેવાઈ હતી. પટાવાળા તેમજ અન્ય પોસ્ટ માટે ભરતી કરવાની જાહેરાત કરાઈ. મે 2023માં આ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ભરતી માટેની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ પરંતુ પરીક્ષાનું પરિણામ હજી સુધી નથી આવ્યું. અનેક મહિનાઓ વિતી ગયા પરંતુ પરિણામ આવ્યું નથી અને ક્યારે આવશે તેની જાણ પણ વિદ્યાર્થીઓને નથી જેને કારણે તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મહિનાઓ સુધી પરિણામ આપવામાં નથી આવ્યું. પરિણામ બને તેટલું જલ્દી મળે તેવી પરીક્ષાર્થીઓની માગ છે.          

ફોજદારી કેસમાં હાઈકોર્ટના આદેશ સીધા સંબંધીત સ્ટેશન-જેલ-સુપ્રિન્ટેન્ડન્ટને  મળશે - ખાસ ખબર રાજકોટ

પરીક્ષાને અનેક મહિના વિત્યા પરંતુ પરિણામ નથી આવ્યું 

આપણે ત્યાં અનેક પરીક્ષાઓ લેવામાં આવે છે. યુવાનોને રોજગાર મળે તે હેતુથી પરીક્ષા તો લેવામાં આવે છે પરંતુ અનેક મહિનાઓ વિત્યા બાદ પણ અનેક પરીક્ષાઓનું પરિણામ નથી આવતું. ગુજરાત હાઈકોર્ટની પ્યુનની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ હતી. એવી માહિતી આપવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિના સુધીમાં પરિણામ આવી શકે છે પરંતુ ઓક્ટોબર મહિનો પૂર્ણ થઈ ગયો, નવેમ્બરના પણ અનેક દિવસો વિતી ગયા પરંતુ હજી સુધી તેનું પરિણામ આપવામાં નથી આવ્યું. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં માટે પરીક્ષા લેવાઈ. 7માં મહિનામાં પરીક્ષા લેવાઈ પરંતુ નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છતાંય પરિણામ નથી જાહેર કરવામાં આવ્યું.



જ્યારે પણ ફોન ઉમેદવારો કરે છે ત્યારે કહેવાય છે વેબસાઈટ જોતા રહો...!

પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે પરંતુ ક્યાં સુધી તેમને પરિણામની રાહ જોવી પડશે તે તેમને ખબર નથી. 9-7-2023એ આ પરીક્ષા યોજાઈ હતી, 7-11-2023એ આ પરીક્ષા પૂર્ણ થયે ચાર મહિના વિતી જશે પરંતુ ત્યાં સુધી પણ પરિણામ આવશે તેવી આશા પરીક્ષાર્થીઓને નથી તેવું પરીક્ષાર્થીઓનું કહેવું છે. પરિણામ ક્યારે આવશે એ જાણવા જ્યારે પરીક્ષાર્થીઓ 07927664601 નંબર પર ફોન કરે છે ત્યારે તેમને વેબસાઈટ  https://hc-ojas.gujarat.gov.in/ પર જઈને જોવા માટે કહેવામાં આવે છે. આ વેબસાઈટ પર પરિણામ જાહેર થશે તેવી વાત ફોન પર કરવામાં આવે છે. પરિણામ માટે અનેક વખત વેબસાઈટ જોયા કરતા રહેવું પડે છે. પરિણામ ક્યારે આપવામાં આવશે તેની જાણ પરીક્ષાર્થીઓને નથી જેને કારણે તેઓ આગળનું પ્લાનિંગ નથી કરી શકતા. પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.