Gujarat Highcourt Exam : જુલાઈમાં લેવાયેલી હતી Peon માટેની પરીક્ષા, મહિનાઓ વિત્યા પરંતુ હજી સુધી નથી આવ્યું પરિણામ


  • Published By :
  • Published Date : 2023-11-03 15:55:42

જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં peon માટેની પરીક્ષા લેવાઈ હતી. પટાવાળા તેમજ અન્ય પોસ્ટ માટે ભરતી કરવાની જાહેરાત કરાઈ. મે 2023માં આ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ભરતી માટેની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ પરંતુ પરીક્ષાનું પરિણામ હજી સુધી નથી આવ્યું. અનેક મહિનાઓ વિતી ગયા પરંતુ પરિણામ આવ્યું નથી અને ક્યારે આવશે તેની જાણ પણ વિદ્યાર્થીઓને નથી જેને કારણે તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મહિનાઓ સુધી પરિણામ આપવામાં નથી આવ્યું. પરિણામ બને તેટલું જલ્દી મળે તેવી પરીક્ષાર્થીઓની માગ છે.          

ફોજદારી કેસમાં હાઈકોર્ટના આદેશ સીધા સંબંધીત સ્ટેશન-જેલ-સુપ્રિન્ટેન્ડન્ટને  મળશે - ખાસ ખબર રાજકોટ

પરીક્ષાને અનેક મહિના વિત્યા પરંતુ પરિણામ નથી આવ્યું 

આપણે ત્યાં અનેક પરીક્ષાઓ લેવામાં આવે છે. યુવાનોને રોજગાર મળે તે હેતુથી પરીક્ષા તો લેવામાં આવે છે પરંતુ અનેક મહિનાઓ વિત્યા બાદ પણ અનેક પરીક્ષાઓનું પરિણામ નથી આવતું. ગુજરાત હાઈકોર્ટની પ્યુનની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ હતી. એવી માહિતી આપવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિના સુધીમાં પરિણામ આવી શકે છે પરંતુ ઓક્ટોબર મહિનો પૂર્ણ થઈ ગયો, નવેમ્બરના પણ અનેક દિવસો વિતી ગયા પરંતુ હજી સુધી તેનું પરિણામ આપવામાં નથી આવ્યું. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં માટે પરીક્ષા લેવાઈ. 7માં મહિનામાં પરીક્ષા લેવાઈ પરંતુ નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છતાંય પરિણામ નથી જાહેર કરવામાં આવ્યું.



જ્યારે પણ ફોન ઉમેદવારો કરે છે ત્યારે કહેવાય છે વેબસાઈટ જોતા રહો...!

પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે પરંતુ ક્યાં સુધી તેમને પરિણામની રાહ જોવી પડશે તે તેમને ખબર નથી. 9-7-2023એ આ પરીક્ષા યોજાઈ હતી, 7-11-2023એ આ પરીક્ષા પૂર્ણ થયે ચાર મહિના વિતી જશે પરંતુ ત્યાં સુધી પણ પરિણામ આવશે તેવી આશા પરીક્ષાર્થીઓને નથી તેવું પરીક્ષાર્થીઓનું કહેવું છે. પરિણામ ક્યારે આવશે એ જાણવા જ્યારે પરીક્ષાર્થીઓ 07927664601 નંબર પર ફોન કરે છે ત્યારે તેમને વેબસાઈટ  https://hc-ojas.gujarat.gov.in/ પર જઈને જોવા માટે કહેવામાં આવે છે. આ વેબસાઈટ પર પરિણામ જાહેર થશે તેવી વાત ફોન પર કરવામાં આવે છે. પરિણામ માટે અનેક વખત વેબસાઈટ જોયા કરતા રહેવું પડે છે. પરિણામ ક્યારે આપવામાં આવશે તેની જાણ પરીક્ષાર્થીઓને નથી જેને કારણે તેઓ આગળનું પ્લાનિંગ નથી કરી શકતા. પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.