ચાઈનીઝ દોરીથી થતા મોત મુદ્દે હાઈકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢી, સોગંદનામું રજુ કરવા આદેશ


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-01-03 15:33:34

રાજ્યમાં યુવાનોનો પ્રિય ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. જો  કે ઉત્તરાયણ પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં પતંગની ચાઈનીઝ દોરીથી અકસ્માત અને નિર્દોષ લોકોના મોતની ઘટના વધી રહી છે. ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક જીવલેણ દોરી વેચાઈ રહી છે. લોકોના મોતનો આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ સુનાવણીમાં ઉતરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. ઉપરાંત બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો.


ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ


ગુજરાત હાઈકોર્ટે ચાઇનીઝ દોરી મામલે આકરૂ વલણ અપનાવ્યું છે. ચાઈનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ વેચાણ મુદ્દે સરકારે શું કાર્યવાહી કરી તે અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટે સરકારને કહ્યું કે, ચાઈનીઝ દોરી ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ક્હ્યું કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે ચલાવી નહીં લેવાય. ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલા ભરવાની માંગણી કરતી પિટીશનમાં કોર્ટે આ હુકમ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. 




જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરી એકવાર વિવાદાસ્પદ સૂત્રોચ્ચારનો મામલો સામે આવ્યો છે. JNUની દિવાલો પર વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP), વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીરને લઈને વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની દિવાલો પર 'ભગવા જલેગા, મોદી તેરી કબર ખુદેગી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા હતા.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ભોપાલથી લગભગ 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, આ હેલિકોપ્ટરમાં છ જવાનો હતા. ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બેરસિયાના ડુંગરિયા ગામમાં બનેલા ડેમ પાસે લેન્ડ થયું છે.

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ મામલે પોલીસે આકરી કાર્યવાહી કરતા 48 તોફાની તત્વો વિરૂધ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે.

ટીવી સિરિયલ ખીચડીથી પ્રેરિત ફિલ્મ ખીચડી પણ બની હતી જેણે ધૂમ મચાવી હતી. દર્શકોને ફિલ્મ પસંદ આવી હતી. 2010માં રિલીઝ થયેલી આ ફિલ્મના 13 વર્ષ બાદ ફિલ્મ ખીચડી 2 આવી રહી છે. ટીઝર આજે રિલીઝ થયું છે.