સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં 40 જજોનું પ્રમોશન રદ્દ, જજ એચએચ વર્માને અહીં મળ્યું પોસ્ટિંગ


  • Published By :
  • Published Date : 2023-05-15 18:24:19

ગુજરાતના 68 જજોની બઢતી પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ હાઈકોર્ટે નવી યાદી બહાર પાડી છે. જેમાં હાઈકોર્ટે 68 જજોની પ્રમોશન લિસ્ટમાંથી 40 જજોને હટાવીને તેમના જૂના પદ પર પાછા મોકલી દીધા છે. આ સિવાય હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પ્રમોશન માટે લાયક ગણાતા બાકીના 28 જજોની અલગ યાદી બહાર પાડી છે. તેમને આમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. પ્રમોશન પ્રક્રિયા વિવાદમાં આવ્યા બાદ અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફરી 40 જજોના નામની પસંદગી કરવામાં આવશે.


જજ હરીશ વર્માનું પ્રમોશન યથાવત


મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવનાર જજ એચએચ વર્માના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર થઈ નથી. વર્મા સહિત 27 અન્ય ન્યાયાધીશોની પદોન્નતિ યથાવત રાખવામાં આવી છે કારણ કે તે બધાએ લેખિત પરીક્ષામાં 124 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. વર્માએ લેખિત પરીક્ષામાં 127 માર્ક્સ મેળવ્યા હતા. અગાઉની યાદીમાં એચ.એચ.વર્માને બઢતી આપી રાજકોટ મોકલવામાં આવ્યા હતા. નવી યાદીમાં પણ જજ એચએચ વર્માનું પોસ્ટીંગ રાજકોટમાં રાખવામાં આવ્યું છે. તેઓ ત્યાં એડિશન ડિસ્ટ્રિક્ટ અને એડિશન સેશન્સ જજ તરીકે કામ કરશે.


હાઈકોર્ટની કાર્યવાહી પર ઉઠ્યા હતા સવાલ


ગુજરાત હાઈકોર્ટે સિનિયોરિટી-કમ-મેરિટ સિદ્ધાંત સાથે પરીક્ષાના માર્ક્સ ઉમેરીને બઢતી યાદી તૈયાર કરી હતી. સુપ્રીમ કોર્ટ બાદ મેરિટ-સિનિયોરીટી અને પરીક્ષાના આધારે યાદી તૈયાર કરવામાં આવશે. આ સ્થિતીમાં જે જ્યુડિશિયલ અધિકારીને 124થી વધુ માર્ક્સ મળ્યા બાદ પણ યાદીમાં સ્થાન મળ્યું હતું. તેઓ બધા યાદીની બહાર થઈ જશે. એક અનુમાન મુજબ આ નિર્ણયથી લગભગ 40 જજોના પ્રમોશનને અસર થશે. વર્તમાન યાદીમાં માત્ર 28 નામ જ આગળની યાદીમાં રહી શકશે. સુપ્રીમ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં જે પ્રકારની કડક ટિપ્પણી કરી છે. તેણે ગુજરાત હાઈકોર્ટની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારે હાઈકોર્ટના પ્રમોશન લિસ્ટ અને સરકારના નોટિફિકેશન બંનેને ખોટા ગણાવ્યા હતા.


રાજ્યના ન્યાયતંત્ર પર અસર થશે


ગુજરાતના 68 ન્યાયાધીશોની બઢતી પર સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેની અસર રાજ્યના ન્યાયતંત્ર પર પડશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરાયેલી બઢતી યાદીમાંથી 40 જજોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ગુજરાત હાઈકોર્ટે 65 ટકા ક્વોટા સિસ્ટમ હેઠળ મેરિટ અને સિનિયોરિટીના સિદ્ધાંત સાથે પરીક્ષાના માર્ક્સને ધ્યાનમાં રાખીને નવી યાદી બનાવવી પડશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.