સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં 40 જજોનું પ્રમોશન રદ્દ, જજ એચએચ વર્માને અહીં મળ્યું પોસ્ટિંગ


  • Published By :
  • Published Date : 2023-05-15 18:24:19

ગુજરાતના 68 જજોની બઢતી પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ હાઈકોર્ટે નવી યાદી બહાર પાડી છે. જેમાં હાઈકોર્ટે 68 જજોની પ્રમોશન લિસ્ટમાંથી 40 જજોને હટાવીને તેમના જૂના પદ પર પાછા મોકલી દીધા છે. આ સિવાય હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પ્રમોશન માટે લાયક ગણાતા બાકીના 28 જજોની અલગ યાદી બહાર પાડી છે. તેમને આમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. પ્રમોશન પ્રક્રિયા વિવાદમાં આવ્યા બાદ અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફરી 40 જજોના નામની પસંદગી કરવામાં આવશે.


જજ હરીશ વર્માનું પ્રમોશન યથાવત


મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવનાર જજ એચએચ વર્માના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર થઈ નથી. વર્મા સહિત 27 અન્ય ન્યાયાધીશોની પદોન્નતિ યથાવત રાખવામાં આવી છે કારણ કે તે બધાએ લેખિત પરીક્ષામાં 124 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. વર્માએ લેખિત પરીક્ષામાં 127 માર્ક્સ મેળવ્યા હતા. અગાઉની યાદીમાં એચ.એચ.વર્માને બઢતી આપી રાજકોટ મોકલવામાં આવ્યા હતા. નવી યાદીમાં પણ જજ એચએચ વર્માનું પોસ્ટીંગ રાજકોટમાં રાખવામાં આવ્યું છે. તેઓ ત્યાં એડિશન ડિસ્ટ્રિક્ટ અને એડિશન સેશન્સ જજ તરીકે કામ કરશે.


હાઈકોર્ટની કાર્યવાહી પર ઉઠ્યા હતા સવાલ


ગુજરાત હાઈકોર્ટે સિનિયોરિટી-કમ-મેરિટ સિદ્ધાંત સાથે પરીક્ષાના માર્ક્સ ઉમેરીને બઢતી યાદી તૈયાર કરી હતી. સુપ્રીમ કોર્ટ બાદ મેરિટ-સિનિયોરીટી અને પરીક્ષાના આધારે યાદી તૈયાર કરવામાં આવશે. આ સ્થિતીમાં જે જ્યુડિશિયલ અધિકારીને 124થી વધુ માર્ક્સ મળ્યા બાદ પણ યાદીમાં સ્થાન મળ્યું હતું. તેઓ બધા યાદીની બહાર થઈ જશે. એક અનુમાન મુજબ આ નિર્ણયથી લગભગ 40 જજોના પ્રમોશનને અસર થશે. વર્તમાન યાદીમાં માત્ર 28 નામ જ આગળની યાદીમાં રહી શકશે. સુપ્રીમ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં જે પ્રકારની કડક ટિપ્પણી કરી છે. તેણે ગુજરાત હાઈકોર્ટની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારે હાઈકોર્ટના પ્રમોશન લિસ્ટ અને સરકારના નોટિફિકેશન બંનેને ખોટા ગણાવ્યા હતા.


રાજ્યના ન્યાયતંત્ર પર અસર થશે


ગુજરાતના 68 ન્યાયાધીશોની બઢતી પર સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેની અસર રાજ્યના ન્યાયતંત્ર પર પડશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરાયેલી બઢતી યાદીમાંથી 40 જજોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ગુજરાત હાઈકોર્ટે 65 ટકા ક્વોટા સિસ્ટમ હેઠળ મેરિટ અને સિનિયોરિટીના સિદ્ધાંત સાથે પરીક્ષાના માર્ક્સને ધ્યાનમાં રાખીને નવી યાદી બનાવવી પડશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.