જુનાગઢમાં કસ્ટોડિયલ ટોર્ચર મામલે હાઈકોર્ટ લાલઘૂમ, 32 પોલીસકર્મીઓને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-07-24 20:26:49

જૂનાગઢમાં ગયા મહિને લઘુમતી કોમના કેટલાંક લોકોને જાહેરમાં ફટકારવાના કેસમાં, ગુજરાત હાઈકોર્ટે સોમવારે 32 પોલીસકર્મીઓને નોટિસ પાઠવી હતી, જેમાં કસ્ટોડિયલ ટોર્ચર અને કસ્ટોડિયલ હિંસાની ફરિયાદ પાછી ખેંચવા માટે કથિત રીતે અટકાયત કરીને વકીલ પર દબાણ કરવાના આરોપની અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પોલીસને ફટકારેલી નોટિસ એ બાબત તરફ ધ્યાન દોરે છે કે પોલીસ પણ કાયદાથી ઉપર નથી. દેશમાં ન્યાય પ્રણાલી મજબુત છે એટલે જ પોલીસ માટે પણ કાયદાનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય બની રહે છે. આ જ બાબત સામાન્ય લોકોને પણ એટલી જ લાગુ પડે છે.


હાઈકોર્ટે શું કહ્યું?


ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ એમઆર મેંગડેની ડિવિઝન બેંચે બે અઠવાડિયામાં પરત કરી શકાય તેવી નોટિસ જારી કરી હતી. કથિત પોલીસ અત્યાચારનો ભોગ બનેલી બે વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી કન્ટેપ્ટ અરજી પર નોટિસ જારી કરવામાં આવી હતી, જેમણે પોલીસકર્મીઓ સામે માત્ર ત્રાસ જ નહીં પરંતુ પીડિતોમાંના કેટલાકનું પ્રતિનિધિત્વ કરતા જાણીતા વકીલના જમાઈની પણ અટકાયત કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેથી તેમના પર અત્યાચારની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવે.


બે લોકોએ કરી હતી અરજી 


આ અરજી જાકીર મકવાણા અને સાજીદ કલામુદ્દીન અન્સારીએ દાખલ કરી હતી, એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. જેમાં જુનાગઢ પોલીસ દ્વારા થતાં કસ્ટોડિયલ ટોર્ચર અંગે ફરિયાદ કરવામાં આવી છે. બંને જૂનાગઢના રહેવાસી અને 16 જૂનના રોજ થયેલી હિંસાના સહ આરોપી છે. તેઓએ "જુનાગઢના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જુદા જુદા સમયે અલગ અલગ સમયે એટલે કે 16/06/2023 થી 21/06/2023 ની રાત્રે" કસ્ટોડીયલ હિંસા, ત્રાસ, નિર્દયતા અને ગંભીર મારપીટનો ભોગ બનવાનો દાવો કર્યો છે. જૂનાગઢ શહેરના મજેવડી ખાતે હઝરત ગેબનશાહ પીરની દરગાહને તોડી પાડવાના મુદ્દે મુસ્લિમ સમુદાય અને પોલીસ વચ્ચે મોટી અથડામણ થયા બાદ 16 જૂનના રોજ ધરપકડ કરાયેલા ડઝનેક માણસોમાં બે અરજદારોનો સમાવેશ થાય છે.


સમગ્ર ઘટના શું હતી?


જૂનાગઢમાં 16 જૂને નગરપાલિકા દ્વારા પાંચ ઇસ્લામિક ધાર્મિક સ્થળોને તોડી પાડવાની નોટિસો જાહેર કર્યા પછી, હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 4 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, અને 1 નાગરિકનું મૃત્યુ થયું હતું, તેમજ રાજ્ય પરિવહન બસ અને એક પોલીસ ચોકીમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ વાહનોને નુકસાન થયું હતું. આ મામલે લગભગ 180 લોકોની અટકાયત કરવામાં આવી હતી,. 16મી જૂને જુનાગઢ પોલીસે 8થી 10 મુસ્લિમોની અટકાયત કરી હતી અને તેમને મેજવડી ગેટ ખાતે આવેલી ગેબન શાહ મસ્જિદ સામે ઊભા રાખીને અમાનુષિક રીતે ઢોર માર મરાયો હતો. આ પ્રકારે લઘુમતી કોમની વ્યક્તિઓને કોઇ પણ કાયદાની પ્રક્રિયાનો અમલ કર્યા સિવાય અથવા તો કોઇ પણ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા ન હોય તેમ છતાંય જાહેરમાં ક્રૂરતાપૂર્વક મારવાની બાબત માનવીય અધિકારોનો ભંગ છે. છ સગીરોને પણ અટકમાં લેવાયા હતા અને તેમણે લેખિતમાં કસ્ટોડિયલ વાયોલન્સ અને ટોર્ચરની ફરિયાદ કરી હતી, પરંતુ આ ફરિયાદ પરત ખેંચી લેવાની ફરજ પડાઈ હતી. એવી જ રીતે અન્ય છ શખ્સોએ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ કરી હતી. રિટમાં રજૂઆત કરાઇ છે કે,‘આરોપીઓને જેલમાં લઇ જવામાં આવ્યા હતા અને જુનાગઢ પોલીસે એક અરજી તૈયાર કરી હતી. જે આરોપીઓએ કસ્ટોડિયલ ટોર્ચર અને અત્યાચારની ફરિયાદ કરી હતી તેમને આ અરજીઓ પર દબાણપૂર્વક સહી કરાવીને તેમની ફરિયાદ પરત ખેંચી લેવાઇ હતી.’



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.