ગીર અભયારણ્યમાં સિંહોની સુરક્ષા મામલે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ, અરજદારે HCમાં કરી આ રજુઆત


  • Published By :
  • Published Date : 2023-07-05 21:43:39

ગુજરાતના ગીર અભ્યારણમાં આવેલા એશિયાટિક સિંહો વિશ્વ વિખ્યાત છે. જો કે હવે આ અભ્યારણ્યમાં વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. ગીર અભ્યારણમાં આવેલા સિંહો સહિતના અન્ય વન્યજીવોના રક્ષણ માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજીમાં વન્યજીવોનું રક્ષણ યોગ્ય રીતે ન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ અરજદારે જંગલ વિસ્તારમાં નિયત કરતા વધારે વોલ્ટની વીજળી ન આપવા અને જંગલ વિસ્તારમાં સિંહની થતી પજવણી રોકવાની પણ માગ કરી છે. 


ગીરના અભ્યારણમાં કોમર્શિયલ બાંધકામને રોકો


ગીરના અભ્યારણના સિંહોએ આપણી ગુજરાતની ઓળખ સમાન છે. જો કે તેમ છતાં પણ વન્યજીવો તેમજ સિંહનું યોગ્ય રીતે રક્ષણ થતું નથી તે બાબતે અમારે દ્વારા હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ખૂબ જ થઈ રહ્યું છે. જેના કારણે સિંહ સહિતના અન્ય જીવો પણ પ્રભાવિત થઈ રહ્યા છે.


વીજ લાઈન વન્યજીવોની સુરક્ષા માટે જોખમી


અરજીકર્તાએ વન્યજીવોની સુરક્ષા માટે જંગલ વિસ્તારમાં નિયત કરતા વધુ પડતી વીજળીના વોલ્ટ આપવામાં ના આવે એવી પણ અમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં જે પણ વીજળી પસાર થઈ રહી છે તેની વીજ લાઈનમાં નિયત કરતાં વધુ વોલ્ટેજ પસાર કરવામાં આવે તો વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચી શકે છે.


વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં ફેરફારની માગ


અરજદાર દ્વારા તેમની અરજીમાં વન્યજીવોના સંરક્ષણ માટે નવા કાયદા બનાવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. વર્ષ 1960 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટના જે નિયમો છે તેને બદલવા જોઈએ તેવી પણ અરજીમાં માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 27 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે નવા સૂચનો થઈ શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.