પોલીસ ભરતી મુદ્દે HCએ સરકારની ઝાટકણી કાઢી, 10 એપ્રિલ સુધીમાં રિપોર્ટ રજુ કરવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-09 17:45:54

ગુજરાત સરકારના પોલીસ વિભાગનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને પોલીસની ખાલી પડેલી જગ્યાઓ ભરવાના મુદ્દે ઝાટકણી કાઢી હતી.


ગુજરાત HCએ આકરા સવાલો કર્યા


પોલીસ ભરતી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સીધો સવાલ  પૂછ્યો કે, શા માટે ખાલી જગ્યાઓ ઉપર સરકાર ભરતી કરતી નથી? પોલીસ વિભાગમાં પણ સરકાર દ્વારા કેમ ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવતી નથી? માત્ર પોલીસ વિભાગની વાત નથી, પરંતુ સરકારની અનેક જગ્યાઓમાં ખાલી જગ્યાઓ છે. તેમાં પણ સરકાર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની ભરતી માટે કાર્યવાહી કરવામાં આવી રહી નથી? વગેરે વગેરે...


રાજ્ય સરકારે આપ્યો આ જવાબ


પોલીસ ભરતી મામલે ગુજરાત હાઈકોર્ટે કરેલા વિવિધ સવાલોનો રાજ્ય સરકારે પણ જવાબ આપ્યો હતો. રાજ્ય સરકારે આ મુદ્દે જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હકારાત્મક અભિગમ સાથે આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.


ખાલી પડેલી જગ્યાઓનો જવાબ આપો


પોલીસ ભરતી મામલે રાજ્ય સરકારે દિલાસો આપ્યો તેમ છતાં ગુજરાત હાઈકોર્ટે સરકારને ખાલી પડેલી જગ્યાનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્ય સરકારે 10 એપ્રિલ સુધીમાં ખાલી પડેલી જગ્યાને લઈને અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી. તેમ જ ભરતી પ્રક્રિયાને લઈને શું કામગીરી ચાલી રહી છે તેનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 10 એપ્રિલે હાથ ધરવામાં આવશે. હવે  જોવાનું એ છે કે રાજ્ય સરકાર ખાલી પડેલી જગ્યા અંગે શું હાઈકોર્ટમાં શું રિપોર્ટ રજૂ કરે છે તેના પર બધાની નજર રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.