પોલીસ ભરતી મુદ્દે HCએ સરકારની ઝાટકણી કાઢી, 10 એપ્રિલ સુધીમાં રિપોર્ટ રજુ કરવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-09 17:45:54

ગુજરાત સરકારના પોલીસ વિભાગનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને પોલીસની ખાલી પડેલી જગ્યાઓ ભરવાના મુદ્દે ઝાટકણી કાઢી હતી.


ગુજરાત HCએ આકરા સવાલો કર્યા


પોલીસ ભરતી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સીધો સવાલ  પૂછ્યો કે, શા માટે ખાલી જગ્યાઓ ઉપર સરકાર ભરતી કરતી નથી? પોલીસ વિભાગમાં પણ સરકાર દ્વારા કેમ ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવતી નથી? માત્ર પોલીસ વિભાગની વાત નથી, પરંતુ સરકારની અનેક જગ્યાઓમાં ખાલી જગ્યાઓ છે. તેમાં પણ સરકાર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની ભરતી માટે કાર્યવાહી કરવામાં આવી રહી નથી? વગેરે વગેરે...


રાજ્ય સરકારે આપ્યો આ જવાબ


પોલીસ ભરતી મામલે ગુજરાત હાઈકોર્ટે કરેલા વિવિધ સવાલોનો રાજ્ય સરકારે પણ જવાબ આપ્યો હતો. રાજ્ય સરકારે આ મુદ્દે જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હકારાત્મક અભિગમ સાથે આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.


ખાલી પડેલી જગ્યાઓનો જવાબ આપો


પોલીસ ભરતી મામલે રાજ્ય સરકારે દિલાસો આપ્યો તેમ છતાં ગુજરાત હાઈકોર્ટે સરકારને ખાલી પડેલી જગ્યાનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્ય સરકારે 10 એપ્રિલ સુધીમાં ખાલી પડેલી જગ્યાને લઈને અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી. તેમ જ ભરતી પ્રક્રિયાને લઈને શું કામગીરી ચાલી રહી છે તેનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 10 એપ્રિલે હાથ ધરવામાં આવશે. હવે  જોવાનું એ છે કે રાજ્ય સરકાર ખાલી પડેલી જગ્યા અંગે શું હાઈકોર્ટમાં શું રિપોર્ટ રજૂ કરે છે તેના પર બધાની નજર રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.