ગુજરાત હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની આપી મંજુરી, સગા પિતાએ 12 વર્ષની પુત્રી પર આચર્યું હતું દુષ્કર્મ


  • Published By :
  • Published Date : 2023-09-06 16:26:59

ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા 12 વર્ષીય સગીરાના લગભગ 27 સપ્તાહના ગર્ભાવસ્થાના ગર્ભપાતની મંજૂરી આપી છે. આ સગીરા પર તેના જ પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો. ન્યાયમૂર્તિ સમીર દવેએ વડોદરા સ્થિત સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ દ્વારા રજુ કરવામાં આવેલા રિપોર્ટને ધ્યાનમાં રાખ્યો હતો. મેડિકલ સુપ્રીટેન્ડન્ટએ 4 સપ્ટેમ્બરના રોજ તબીબોની એક પેનલ દ્વારા પિડીતાની મેડિકલ તપાસનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં પિતાના દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાની ગર્ભપાત માટે અરજન્ટ પિટિશન કરાઈ હતી. જેની વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા પીડિતાના ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. 


પીડિતાને 2.5 લાખનું વળતર ચૂકવવા આદેશ


હાઈકોર્ટે રાજ્ય સરકારને પીડિતાને રૂ. 2.5 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો હતો, જેમાંથી રૂ. 50,000 તાત્કાલિક ચૂકવવાના હતા અને રૂ. 2 લાખ તેના નામે જમા કરાવવાના હતા અને જ્યાં સુધી ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ ન મળે ત્યાં સુધી સગીરાને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે તેમ પણ કહ્યું કે જ્યારે પીડિતા 21 વર્ષની થાય ત્યારે તેને ડિપોઝીટની રકમ આપવામાં આવે. હાઈકોર્ટે તેના  ચુકાદામાં વધુમાં કહ્યું  હતું કે ટ્રાયલ પૂર્ણ થવા પર પીડિતને આપવામાં આવનાર વળતરને ટ્રાયલ કોર્ટ દ્વારા કલમ 357 CrPC હેઠળ સ્વતંત્ર રીતે ધ્યાનમાં લેવું જોઈએ. હાઈકોર્ટે હોસ્પિટલને અરજદારની વિનંતી મુજબ ભ્રૂણના ડીએનએને સાચવવાની કાળજી લેવાનો પણ હુકમ આપ્યો હતો. હાઈકોર્ટે ડેડિયાપાડાના સંબંધિત પોલીસ સ્ટેશનને પણ પીડિતાને ગર્ભાપાત માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.


સગા પિતાએ પુત્રીને બનાવી હતી ગર્ભવતી


નર્મદા જિલ્લાની ડેડિયાપાડા પોલીસ દ્વારા પીડિતાના પિતાની બળાત્કાર અને ગર્ભાધાનના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યાના બે દિવસ પછી, છોકરીની માતાએ તેની પુત્રીના ગર્ભપાતની મંજૂરી માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અરજદારના વકીલે આ મામલે તાકીદે સુનાવણીની માંગ કરતા કહ્યું હતું કે પીડિતાની માતાએ 2 સપ્ટેમ્બરે એફઆઈઆર નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે સગા પિતા દ્વારા 11 વર્ષ અને 9 મહિનાની દીકરી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને તેને ગર્ભવતી બનાવવામાં આવી હતી. 


સમગ્ર કેસની વિગત જોઇએ તો પીડિતાની માતા દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ બનાવ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પીડિતા પર તેના જ સગા પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પીડિતાને 27 સપ્તાહનો ગર્ભ છે. આ કેસમાં પીડિતાની માનસિક, શારિરીક અને સામાજિક પીડા અને વેદનાને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એકટ-1971ની જોગવાઇઓ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી આપવી જોઇએ. અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજન્ટ પીડિતાની મેડિકલ તપાસ કરી તા.6 સપ્ટેમ્બરે તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.