રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ, રાજ્ય સરકારને 9 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-12-20 16:42:41

ગુજરાતમાં રખડતા ઢોરનો  ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. અવારનવાર નિર્દોષ લોકો રખડતા ઢોરની એડફેટે ચડીને ઘાયલ કે મોતને ભેટે છે. આ પ્રશ્ને હાઈકોર્ટે પણ સરકારનો ઘણી વખત ઉધડો લીધો છે જો કે પરિણામ સંતોષજનક આવ્યું નથી. રાજકોટમાં એક નિવૃત આર્મીમેન રખડતા ઢોરની ભેટે ચડી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ફરી એક વખત રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.


મામલો શું હતો?


રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં રખડતા ઢોરે એક્સ આર્મીમેન નવલસિંહ ઝાલા અને તેમની પૌત્રીને અડફેટે લીધા હતા. જેમાં નવલસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ રાજકોટની ઘટનાની નોંધ લીધી હતી. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે, રખડતા પશુના ત્રાસને ડામવા નક્કર કાર્યવાહી કરાશે. આ માટે કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન હાઈકોર્ટે 9 જાન્યુઆરી સુધીમાં નક્કર કામગીરી કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો હતો. 


પોલીસે અજાણ્યા પશુ માલિક સામે ગુનો નોંધ્યો


રાજકોટમાં નિવૃત્ત આર્મીમેન અને તેમની પૌત્રી ઘાયલ થયા બાદ પરિવારજનોએ રાજકોટ મનપા અને પોલીસને પશુઓને જાહેરમાં છુટા મુકનારા માલિક સામે ગુનો દાખલ કરવા માંગ કરી હતી. જેથી પોલીસે અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ ગુનો દાખલ નોંધ્યો હતો. રાજકોટ શહેરના મેયર ડો.પ્રદીપ ડવે આ મુદ્દે જણાવ્યું હતું કે, આવી ઘટના બીજીવાર ન બને તે માટે હવે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઢોર પકડવા માટે SRPની ટુકડી ફાળવવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.